SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો ઈતિહાસ જૈન ગૂર્જર કવિઓ-બીજો ભાગ-સંબંધી અભિપ્રાયો. જૈિન ગૂર્જર કવિઓ-બીજો ભાગ કે જેની પ્રસ્તાવના તરીકે આ ઇતિહાસને મૂકવા ધાર્યું હતું તે આ ઇતિહાસ દળદાર થઈ જવાથી તેના વગર બહાર પડી ગયો છે અને તેમાં તેના પરિશિષ્ટ પ માં જૈન ગૂર્જર કવિઓ-પ્રથમ ભાગ સંબંધીના અભિપ્રાયો આપેલા છે અને ઉક્ત બીજા ભાગના સંબંધી આવેલ પહોંચ, સૂચના, અભિપ્રાય અત્ર પ્રકટ કરવામાં આવે છે કે જે પૈકી કેટલાંકમાં પ્રથમ ભાગ સંબંધી પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે.] ૧ પંડિત શ્રી લાલચંદ ભગવાનદાસ ગાંધી જૈન પંડિત ઓરિયન્ટલ ઇન્સ્ટિટયૂટ કોઠી પોળ વડોદરા-લેખક પરના તા. ૬-૭-૩૧ના પત્રમાં જણાવે છે કે - આપનો “જૈન ગૂર્જર કવિઓ' ભાગ ૨ જો દળદાર ગ્રંથ કો. ઓફીસ દ્વારા હુને ભેટ મળી ગયો છે, આપના એ ભગીરથ પરિશ્રમ માટે સર્વ કોઈ ઇતિહાસ પ્રેમી અને સાહિત્યપ્રેમી ધન્યવાદ ઉચ્ચારે એ સ્વાભાવિક છે. ૨ પ્રોફેઇ બલવન્તરાય કલ્યાણરાય ઠાકોર વડોદરા લેખક પરના તા. ૭-૭-૩૧ના પત્રમાં જણાવે છે કે:-જૈન ગૂર્જર કવિઓ બીજો ભાગ પ્રત ૧ ગઈ કાલે મળી તે માટે હમને જેટલો ધન્યવાદ આપિયે તેટલો ઓછો, જો કે આગલા સૈકાઓમાંથી જેમ જેમ આ તર્ક-વર્તમાનમાં-આવો છો તેમ તેમ કામની મુશ્કેલી અને અગત્ય બંને ઓછાં. કોન્ફરન્સના મંત્રી સાહેબોનો ઉપકાર માનું છું. આવી ચોપડીઓ વિદ્વાનો અને સંસ્થાઓને વિના મૂલ્ય મોટી સંખ્યામાં ભેટ આપવાની એમની નીતિ વિષે રા. રા. પંડિત લાલચંદ જે પ્રશંસવાચનો લખે છે તે યથાયોગ્ય છે. યુરોપમાં પણ આવી ચોપડીઓ યુનિવર્સિટીઓ લાયબ્રેરીઓ તજજ્ઞ પ્રોફેસરો આદિમાં ખેંચાય છે. પ્રાસ્તાવિક અને ઐતિહાસિક જુદા ગ્રંથ રૂપે વ્હાર પાડવાનો નિર્ણયજ ઉત્તમ છે. જપૂનાં પુસ્તકો જેમ વધુ જગાઓ વચ્ચે વહેંચાઈ ગયેલાં હોય તેમ તેમની ઇજા અને તેમના નાશનો ભય વધારે, તેમનો ઉપયોગ કરવામાં વિદ્વાનોને મુશ્કેલીઓ વધારે વગેરે દેખીતું છે. પરંતુ આ બાબતમાં જૈન લોકમત જ્યાં સુધી સુજ્ઞ બની અર્વાચીન મનોદશાવાળો ના થાય ત્યાં લગી ઉપાય જ નથી. લીમડીની આખી યાદી છપાઈ છે, પાટણ જેસલમેરની છપાય છે. (જો કે આખી નહીં) તેમ બીજા મોટા ભંડારોની છપાય તો પણ ઘણી સરલતા વધે, કૉન્ફરન્સ મંત્રીઓ ધારે તો આ કાર્યપણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy