SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૦૬૯ થી ૧૦૭૧ ભાષા, લિપી, સદ્ગુરુ ૪૮૯ છે, અને એ તત્ત્વની દૃષ્ટિએ ભાસમાન સ્વરૂપનો શો ખુલાસો છે-એનો બુદ્ધિ દ્વારા વિચાર. આ વિચારની ત્રણ શાખાઓ પડે છેઃ- (૧) સત્-વિષયક (બાહ્ય અને આન્તર સત્ વિષયક Metaphysics પદાર્થવિજ્ઞાન-and-Psychology-માનસશાસ્ત્ર), (૨) કર્તવ્ય વિષયક અને [ethics-નીતિશાસ્ત્ર]. (૩) સૌન્દર્યવિષયક (Esthetics-સૌંદર્યશાસ્ત્ર); જેમાંથી પ્રથમ બે પ્રકૃત વિષયમાં સવિશેષ ઉપયોગી છે. (ખ) કવિતા (Poetry) એટલે પૂર્વોક્ત વિષયનું હૃદયદ્વારા સમાલોચન, પ્રકૃતિ અને મનુજ આત્માના વિવિધ સ્વભાવવર્ણનમાં કવિપ્રતિભા જે પર તત્ત્વનું દર્શન કરાવે છે તે. (ગ) બ્રહ્મવિદ્યા તથા વિશેષ અર્થમાં ધર્મ-આચાર (Theology Universal and Particularસર્વવ્યાપી અને વૈયક્તિક) એટલે જગતના મહાન ધર્મ પ્રવર્તકો અને બ્રહ્મવેત્તાઓ (તાર્કિકો કે શબ્દાર્થમીમાંસકો નહિ)-તેમણે પ્રકૃત વિષયમાં આચાર અને વિચાર દ્વારા પ્રકટ કરેલાં પરમ સત્ય, તથા એ સત્યના પ્રાદુર્ભાવનાં વિશેષ સ્વરૂપો. આ ત્રણે વિષયનો સંપૂર્ણ અભ્યાસ એક મનુષ્યજીવનમાં પ્રાપ્ત કરવો અશકય છે એ તો ખરું જ. તથાપિ ક્રમે ક્રમે શાન્તિથી, દૃઢતાથી, અને પદ્ધતિ અનુસાર ચાલતાં ઘણું સંપાદન થઈ શકે એમ છે. જગતના પ્રથમ વર્ગના મહાત્માઓની–એટલે કે ઉપરનો વિષય વિભાગ લેતાં, પરમ કોટિના તત્ત્વચિન્તકો, કવિઓ, ધર્મપ્રવર્તકો અને બ્રહ્મવેત્તાઓ-આત્મવેત્તાઓની સંખ્યા ઘણી નથી; અને ફક્ત તેમના, તેમજ તેમને લગતા, મુખ્ય ગ્રન્થોને જ અભ્યાસ કરવામાં આવે તો તેથી પ્રકૃતિ માર્ગમાં ઘણું સિદ્ધ થઈ શકે એમ છે. ૧૦૭૨. “એ અભ્યાસ કેવી પદ્ધતિથી કરવો જોઇએ કે જેથી તેનું યોગ્ય રીતે ગ્રહણ-મનન અને નિદિધ્યાસન થઇ શકે-તેનો સંપૂર્ણ સ્વાધ્યાય થઈ શકે તે સંબંધે કહેવાનું કે નીચેની ત્રણ પદ્ધતિઓને અનુસરી અધ્યયન થવું જોઇએ (૧) ઐતિહાસિક પદ્ધતિ (Historical Method)-એટલે તત્ત્વચિંતનનો તથા બ્રહ્મવિદ્યા (આત્મજ્ઞાન-ધર્મ) નો કે સાહિત્યનો પ્રવાહ ભિન્ન ભિન્ન દેશમાં-સમાજમાં, કાળમાં અને અવાન્તર વિષય પરત્વે કેવી કેવી રીતે પ્રવર્યાં છે એ ઐતિહાસિક દૃષ્ટિબિન્દુથી, કારણ સહિત સમજવા યત્ન કરવો. (૨) તોલન-પદ્ધતિ (Comparative Method): વિવિધ દેશનાં-ધર્મનાં અને વિવિધ કાલનાં વિચારસ્વરૂપો સરખાવી જોવાં, જેમાંથી પછી મનન કરતાં સામાન્ય અને વિશેષ તત્ત્વો તારવી કઢાય. (૩) નિયમન-પદ્ધતિ (Deductive Method)-એટલે સ્વતંત્ર રીતે વસ્તુના મૂળ સ્વરૂપમાંથી જ પ્રસ્તુત વિષયમાં સિદ્ધાન્તો ઉપજાવી કાઢવાની પદ્ધતિ, જેને અનુસરવાથી તાત્વિક અને આકસ્મિક અંશનો ભેદ પાડી શકાય છે. આમ યોગ્ય અધિકાર મેળવી સમસ્ત વિષયોનો ઉપર બતાવેલી પદ્ધતિએ અભ્યાસ કરતાં કરતાં ગન્તવ્ય સ્થાને પહોંચાય છે.” (આપણો ધર્મ પૃ. ૧૮-૧૯). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy