SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૨ અધ્યાત્મી ફિલસુફ રાયચંદ કવિ. હે પ્રભુ! હે પ્રભુ ! શું કહું, દીનાનાથ દયાળ ! હું તો દોષ અનંતનું, ભાજન છું કરૂણાળ. અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું ? જહાં રાગ અને વળી વેષ, તહાં સર્વદા માનો ક્લેશ; ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. સર્વકાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું, શ્રીસદ્ગુરુ ભગવંત. સુખધામ અનંત સુસંત અહિં, દિન રાત્ર રહે તદ્ ધ્યાન મહિ પ્રશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વરતે જય તે. - શ્રીમદ્ રાજચંદ્ર ૧૦૨૭. કાઠિવાડના મોરબી રાજ્યના વવાણીઆ ગામમાં દશા શ્રીમાળી વણિક કુળમાં “સં. ૧૯૨૪ ના કાર્તિક સુદ ૧૫ રવિએ જન્મ થયો x સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમત ગમત સેવી હતી. એ નિરપરાધી દશા પછી સાતથી અગિયાર વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં હતો. તે વખતે ખ્યાતિનો હેતુ ન હોવાથી સ્મૃતિ નિરપરાધી હતી. તેવી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું. તે સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યોમાં આ કાળે, આ ક્ષેત્રે હશે. આઠમા વર્ષમાં કવિતા કરી હતી. મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા, તેમની પાસે તે વયમાં કૃષ્ણ કીર્તનનાં પદો મેં સાંભળ્યાં હતાં, તેમજ જુદા જાદા અવતારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy