SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૦૨૧ થી ૧૦૨૫ ડાહ્યાભાઈ ધોળશા નાટ્યકાર ૪૬૫ સુમતિવિલાસના પ્રસિદ્ધ રાસ પરથી લીધેલું. સં. ૧૯૫રમાં તેના રચનાર પાટણના જૈન ભોજક શિવરામ કેશવલાલ હતા. સુભદ્રાહરણ, વીર વિક્રમાદિત્ય અને વિજયકમળા નામનાં નાટકોનાં ગાયનોની ચોપડી જોઇ શકાઇ નથી, પણ તે ડાહ્યાભાઈની કૃતિઓ હોવાનું સંભવે છે. વીણાવેલી નાટકનું વસ્તુ પ્રસિદ્ધ જૈનકથા નામે શ્રીપાળ રાસ પરથી લીધેલ છે. તેમનાં નાટકો બહુ લોકાદર પામ્યાં. તેથી અને દુકાળ આદિ અનેક પ્રસંગોએ પોતાનાં નાટકોના પ્રયોગોની આવક આપી જનસેવા બજાવવાથી તેઓ લોકોને અજાણ્યા નથી, ઉચ્ચ પ્રતિના વિદ્યાર્થી તે એક ગામડિયા સુધી. ૧૦૨૪. તેમનાં નાટકો ગાયનો ઉપરાંત સમસ્તાકારે છપાયાં નથી. તેથી નાટ્યકાર તરીકે તેમનાં મૂલ આંકવાનાં સાધનો પૂરાં પડ્યાં નથી. છતાં ગાયનો પરથી તેમજ તેમનાં ભજવાતાં નાટકો જોયા પછી એટલું કહી શકાય કે - “જ્યાં ત્યાં તેમણે સત્યનો જય અને પાપનો ક્ષય એનું અવલંબન લીધું છે ને ઉશૃંખલ દુર્ગુણોનાં હાનિપ્રદ પરિણામો જ એમણે બતાવ્યાં છે. મનુષ્ય દશા-નસીબ કે કર્મની શક્તિને આધીન છે એ વાત પર બહુ ભાર મૂક્યો છે. અભિમાન પર સખત પ્રહારો કર્યા છે. શઠ પાત્રો દ્વારા સમાજમાં પ્રચલિત અનર્થો ઝાટકી કાઢ્યા છે. ગૂજરાતી સાહિત્યના અનન્ય ઉપાસક અને સમર્થ વિવેચક સદ્ગત રણજીતરામ વાવાભાઈના શબ્દોમાં કહીએ તો “નીતિના સબળ પાયા પર દરેક નાટકની ઈમારત ચણાયેલી છે. રા. ડાહ્યાભાઈ એટલા બધા નીતિપ્રચારણ માટે આતુર હતા કે રૂચિરતાની ક્ષતિ થાય તેવે પ્રસંગે પણ નીતિતત્ત્વો પ્રત્યક્ષ રીતે ઉદ્દઘોષ્યા વિના રહેતા નહીં. તેમનાં ગાયનોમાં એ તત્ત્વોનો સંભાર છે. પ્રલંબ ભાષણો દ્વારા એ તત્ત્વો ભાર દઈ પ્રેક્ષકો સમક્ષ રજૂ થતાં. આ દેશની પ્રજાને “શીખામણીઆં લખાણ (didactic writings) વધારે અસર કરે છે. ડાહ્યાભાઈનાં નાટકોમાં આ તત્ત્વોનો જેટલો વિસ્તૃત ઉપયોગ થઈ શકે તેટલો કરવામાં આવ્યો હતો. સરળ પણ સચોટ ભાષામાં કહેવાતો. સંસ્કૃત અને ગુજરાતી ગ્રંથોના અભ્યાસે હાથ લાગેલા અલંકારો જેમાંના કેટલાક, વર્ષો થયાં હિન્દુ સમાજને પરિચિત હતા તેમનો ઉપયોગ કરી પોતાને કહેવાનું રા. ડાહ્યાભાઈ કહેતા. એમનાં નાટક પર આ પ્રમાણે નીતિના પટા ઉજ્જવલ અને વિશાળ પડયા છે. પરોક્ષ ઉપદેશ જે કલાવિધાનનો પ્રધાન ઉદેશ છે તે આજના અશિક્ષિત કે અલ્પ શિક્ષણવાળા શ્રોતાઓને માટે હિતાવહ નથી એમ માની પ્રત્યક્ષ ઉપદેશ એમણે ઉચ્ચાનાદે કર્યો છે.” ૧૦૨૫. ગાયનોના સંગીત વિષે શ્રી રણજીતભાઈના જ મિત શબ્દોમાં કહીશું - “તેમના ગરબા યોગ્ય લોકાદર પામ્યા છે. કાઠીઆવાડના રાસડા રા. રા. વાઘજી આશારામ ઓઝાએ નાટકોમાં દાખલ કર્યા. રા. રા. ડાહ્યાભાઇની રસિકતા આ રાસડાઓની રસનિષ્પાદન શક્તિ, પ્રેક્ષ [scene] તરીકે અને સંગીત પરત્વેની ખુબી પામી શકી. દરેક ખેલમાં અકેકો ગરબો સ્થાન પામ્યો. આ દેશના આલંકારિકોએ નાનાવિધની નાયિકા વર્ણવી છે. તેવી નાયિકાના પ્રસંગો આછાં પ્રકૃતિવર્ણનોથી રંગી ગરબામાં રા. ડાહ્યાભાઈએ આપ્યા છે. લય લલિત, સૂરાવટ મધુર અને ભાષા કોમળ છે; અલંકાર રૂચિકર છે; શૈલી સરળ અને સાદી છે; વચ્ચે વચ્ચે પ્રાચીન કાવ્યોની ભાષા, કે અલંકારો કે વિચારો સૌરસ્યથી ગોઠવ્યા છે. ગોપીગીતો અથવા કલગીતોરાની છટેલ મસ્તી કે અનીતિ છેકી નાંખી તેમની મનોહરતા, શ્રુતિપ્રિયતા, સુગમ્યતા, લાલિત્ય, માધુર્ય અને પ્રવાહીત્વ પોતાનાં ગીતોમાં રા. ડાહ્યાભાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy