SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ कोहं च माणं च तहेव मायं लोभं चउत्थं अज्ज्ञत्थदोसा । आणि वंता अरहा महेसी ण कुव्वई पाव ण कारवेइ ॥ ક્રોધ, માન, માયા તથા લોભ એમ ચાર પ્રકારના આત્મદોષ છે, તેઓનો ત્યાગ કરીને અર્હત અથવા મહર્ષિ (થવાય છે) કે જે પાપ (સાવદ્ય અનુષ્ઠાન) કરતા નથી તેમ (અન્ય પાસે) કરાવતા નથી.-સૂયગડાંગ શ્રુ૦ ૧, અ. ૬. ક્રોધને દાબી દેવો એટલે એક અગત્યની વાત હું કડવા અનુભવોથી ૩૦ વરસમાં શીખ્યો છું. દાબી રાખેલી ઉષ્ણતામાંથી જેમ શક્તિ પેદા થાય છે તેમ સંયમમાં રાખેલ ક્રોધમાંથી પણ એવું બળ પેદા કરી શકાય કે જે સારા જગતને હચમચાવી નાંખે x x આપત્તિ હોય, જોખમો હોય તે ખેડવાં ને પોતાનું કામ કરવું એ વીરતાની નિશાની છે. વણિક વૃત્તિ કરતાં વીરતાનો ભાવ યુદ્ધમાં વધારે હોય છે. શાન્તિને સમયે વણિકવૃત્તિનો ખપ પડે છે, અશાંતિને સમય વીરતાનો. ગુજરાત વણિકવૃત્તિને સારૂ પ્રખ્યાત છે; અને એ યોગ્ય જ લાગે છે કે વણિકવૃત્તિવાળામાં વીરતા આવે જ નહિ. આ ખ્યાલ બરોબર નથી. જેમ પ્રજાનું પોષણ એક જ વૃત્તિથી થાય નહિ તેમ વ્યક્તિનું પોષણ પણ એક જ વૃત્તિથી નથી થતું. તેથી દરેક વ્યક્તિમાં વીરતાનો ગુણ તો હોય જ. માત્ર તેનો ઉપયોગ નથી કરવાનો હોતો ત્યારે આપણામાં તે ન હોય એવું આપણને લાગી આવે છે. ગુજરાતનો સમય - આખા ભારતવર્ષનો સમય અત્યારે વીરતા બતાવવાનો આવ્યો છે. ગાંધીજી સં. ૧૯૭૬૩ सच्चस्साणाए उवट्ठिए मेहावी मारं तरइ સત્યની આજ્ઞાથી ઉભો થયેલો બુદ્ધિવાન પુરુષ મૃત્યને તરી જાય છે. Jain Education International ૪૫૭ For Private & Personal Use Only - નિર્ગન્ધ મહાત્મા મહાવીર. www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy