SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૧ સ્થિરતા અને સ્થાપના સ્થિરતા તો પૂર્વની જેમ સુગમ છે. દ્રવ્યથી સ્થિરતા એટલે યોગચેષ્ટાનો રોઘ કરવો તે. દ્રવ્યને વિષે સ્થિરતા એટલે મમ્મણ શ્રેષ્ઠીની જેમ પ્રાપ્ત થયેલા દ્રવ્ય (ઘન)નો વ્યય કરવાની ઇચ્છા પણ ન કરવી તે; અથવા દ્રવ્યસ્થિરતા એટલે શરીરમાં રોગાદિક ઉત્પન્ન થવાથી મળકોષ્ટબંઘરૂપ (મલમૂત્રાદિકનો રોઘ) થાય છે તે. અથવા તે બન્નેથી વ્યતિરિક્ત-સ્વરૂપના ઉપયોગથી શૂન્ય અને સાધ્યથી વિકળ એવા મનુષ્યની પ્રણામાદિકને વિષે તથા કાયોત્સર્ગાદિમાં સ્થિરતા થાય છે તે પણ દ્રવ્ય સ્થિરતા કહેવાય છે. કહ્યું છે કે अस्थिरे हृदये चित्रा, वाङ्नेत्राकारगोपना । पुंश्चल्या इव कल्याणकारिणी न प्रकीर्तिता ॥१॥ ભાવાર્થ-“હૃદય સ્થિર ન હોય એટલે પરભાવમાં પ્રવર્તતું હોય, છતાં વિચિત્ર એવી વાણી, નેત્ર તથા આકારની દ્રવ્યક્રિયારૂપ ગોપના–તે પંથલી (અસતી) સ્ત્રીની જેમ હિત કરનારી કહેલ નથી.” જૈનશાસનમાં ભાવની અભિલાષી એવી દ્રવ્ય ક્રિયા જ પ્રશસ્ત કહેલી છે. ભાવરહિત ક્રિયા બિલાડાના ધ્યાન જેવી નિષ્ફળ છે. કેટલાકને દ્રવ્ય ક્રિયા પરંપરાએ કરીને ઘર્મના હેતુપણે થાય છે, એમ તત્વાર્થમાં કહેલું છે, પણ તે દેવાદિકના સુખની તથા યશ વગેરેની વાંચ્છા રહિત કરેલી ક્રિયા સમજવી; લોકસંજ્ઞામાં આરૂઢ થયેલાએ લોકમાં ખ્યાતિ વગેરેની ઇચ્છા માટે કરેલી ન સમજવી. ભાવસ્થિરતા અશુદ્ધ અને શુદ્ધ ભેદે કરીને બે પ્રકારની છે. તેમાં રાગદ્વેષમાં તન્મયતારૂપ સ્થિરતા તે અશુદ્ધ ભાવસ્થિરતા કહેવાય છે, અને સમ્યમ્ જ્ઞાનાદિક સ્વરૂપમાં તન્મયપણારૂપ સ્થિરતા તે શુદ્ધ ભાવ સ્થિરતા કહેવાય છે. - સાધ્યની અભિલાષાએ કરીને સાધ્યને યોગ્ય ઉદ્યમના પરિણામના કારણભૂત યોગાદિક દ્રવ્યાસ્ત્રવનો ત્યાગ કરવાથી થયેલી જે સ્થિરતા તે પહેલા ચાર નયરૂપ છે. જે સમ્યગુદર્શનાદિકે કરીને આત્મસ્વરૂપ નિષ્પાદન કરવા માટે અભ્યાસવાળી સ્થિરતા તે શબ્દનય સ્થિરતા છે, જે ઘર્મધ્યાન અને શુક્લધ્યાનમાં રહેલી અપગ્મતિ પરિણતિરૂપ સ્થિરતા તે છઠ્ઠા નયને યોગ્ય છે, અને જે ક્ષાયિક જ્ઞાનાદિકના સુખથી અપ્રશ્રુતિરૂપ સ્થિરતા તે એવંભૂત સ્થિરતા કહેવાય છે. વિભાવ પદાર્થમાં પણ સર્વ નયની અપેક્ષાએ સ્થિરતા હોઈ શકે છે, પણ તેવી સ્થિરતા તત્ત્વવિકળ પુરુષોને હોય છે. અહીં તો પરભાવમાં અપ્રવર્તનરૂપ જે સ્થિરતા તે જ પરમાનંદના સંદોહવાળી હોવાથી ગ્રહણ યોગ્ય છે. કહ્યું છે કે स्थैर्यरत्नप्रदीपश्चेद् दीप्रः संकल्पदीपजैः । - तद्विकल्पैरलं धूमैरलं धूमैस्तथास्रवैः॥१॥ ભાવાર્થ-જે મનુષ્યને સ્થિરતારૂપી રત્નપ્રદીપ દેદીપ્યમાન છે, તેને સંકલ્પરૂપી દીવાથી ઉત્પન્ન થતા વિકલ્પરૂપી ધૂમનું શું પ્રયોજન છે? તેમજ આસ્રવરૂપી ધૂમનું પણ શું પ્રયોજન છે?” આ શ્લોકનો વિસ્તારાર્થ એવો છે કે–“જે માણસને સ્થિરતા રૂપી રત્નનો દીવો દેદીપ્યમાન છે, તે માણસને પરવસ્તુની ચિંતાથી ઉત્પન્ન થયેલ અશુદ્ધ ચપળતારૂપ જે સંકલ્પ તે સંકલ્પરૂપ દીવાથી ઉત્પન્ન થતા જે વારંવાર સ્મરણરૂપ વિકલ્પો તે રૂપ ધુમાડાથી સર્યું, અર્થાત્ તેને આવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy