SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ 269 વ્યાખ્યાન 361] સિદ્ધાચળ પર રહેલા પ્રાસાદનું વર્ણન ભાવાર્થ-“જ્યાં સુધી સર્વ તીર્થોના અધિરાજ શ્રી સિદ્ધાચળ નામના ગિરીન્દ્રનું નેત્રપુટ વડે પાન કર્યું નથી, ત્યાં સુધી મલયાચળ પર્વત લીલાનો વિલાસ વિસ્તારે છે, ત્યાં સુધી જ વિંધ્યાચળ પર્વત મદોન્મત્ત હાથીની જેમ ગર્વને ઘારણ કરે છે, ત્યાં સુધી જ હિમાલય પર્વત સુંદર લાગે છે, ત્યાં સુધી જ મેરુગિરિ મહત્ત્વને વહન કરે છે, અને ત્યાં સુધી જ શક્રશૈલ (હરિગિરિ) તેજને ઘારણ કરે છે.” તે સિદ્ધાચળ ઉપર ભરતચક્રીએ કરાવેલો પ્રાસાદ અલૌકિક મહિમાવાળો છે. તારાઓ વડે જેમ ચંદ્ર શોભે છે, ગ્રહોવડે જેમ ગ્રહપતિ (સૂર્ય) શોભે છે, અસુરો વડે જેમ અસુરેન્દ્ર શોભે છે. સુરો વડે (દેવો વડે) જેમ સુરેન્દ્ર શોભે છે, અને મનુષ્યો વડે જેમ નરેન્દ્ર શોભે છે, તેમ બીજાં નાનાં નાનાં જિનચૈત્યો વડે ચોતરફથી અલંકૃત થયેલું શ્રી ઋષભદેવ સ્વામીનું ચૈત્ય શોભે છે. તે પ્રાસાદ સોપાનાદિકથી દીતિમાન છે, તેમાં “આદિ' શબ્દના ગ્રહણથી તોરણ, મંડપ, સ્તંભ, ગર્ભાગાર વગેરેથી પણ સુશોભિત છે એમ જાણવું. તે આ પ્રમાણે ચૈત્યના અગ્ર ભાગે જાણે મોક્ષલક્ષ્મીનું કામણ હોય તેવું અત્યંત સૂક્ષ્મ નકશી કામવાળું સુવર્ણમણિનું તોરણ બાંધેલું શોભે છે. અપવર્ગપુરે પહોંચવાને ઇચ્છતા મુનિઓને માટે તે આશ્રયસ્થાન જેવું છે, અને તેની નીચે જવાથી અમે આ મુક્તિગૃહમાં પ્રવેશ કરીએ છીએ કે શું એમ ભાસ થાય છે. તે ચૈત્યના મધ્ય ભાગમાં અતિ સુશોભિત મહામંડપ છે, તે પોતાની મુક્તિરૂપી કન્યાને કોઈ પણ યોગ્ય વરને આપવા માટે મનમાં ઇચ્છા રાખનારા ઘર્મરાજાએ જાણે મણિ સુવર્ણમય ચિત્રોથી શોભાયમાન સ્વયંવરમંડપ રચ્યો હોય નહીં એવો શોભે છે, વળી તે શ્રી ઋષભસ્વામીના પ્રાસાદમાં વર્ણન કરવા લાયક એવા ઘણા સ્તંભો શોભી રહ્યા છે. તે સ્તંભોને મિષે સર્વ રાજાઓ જાણે “હે જિનેન્દ્ર! ઇન્દ્ર આપનો સેવક છે તે અમારો શત્રુ છે, માટે તેની સાથે અમને મૈત્રી કરાવો.” એમ કહેવાને માટે આવ્યા હોય નહીં તેમ પ્રભુની ઉપાસના કરી રહ્યા છે. તે યુગાદીશ જિનેશ્વરના મંદિર ઉપર આકાશને અલંકૃત કરતું શિખર પોતાના વૈભવથી સૂર્યનાં કિરણોનાં મંડળને વિડંબના પમાડે છે તથા જાણે પોતાની કાપી નાંખેલી પાંખો ફરીથી મેળવવા ઇચ્છતો અમરાચળ ત્રણ ભુવનના મનોરથ પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન તે જિનેશ્વરની ભક્તિ કરવા આવ્યો હોય તેવો શોભે છે. વળી “હે પ્રભુ! જગતના ઘનાદિક મનોરથ પૂરવાને તો હું સમર્થ છું, પણ તમારી જેમ મોક્ષલક્ષ્મી આપી શકવા માટે મને તેના આકરમાં લઈ જાઓ.' એમ જગદીશ્વરને કહેવા માટે ઉત્સુક થયેલો કામકુંભ આવીને જાણે પ્રભુને સેવતો હોય નહીં તેમ તે શિખર પર રહેલો સુવર્ણ કળશ શોભે છે. વળી ત્રણ ભુવનમાં પોતાના જેવા વૈભવવાળાના સમૂહને જાણે જીતવાની ઇચ્છા થઈ હોય એવા આ જિનેશ્વરના પ્રાસાદે શત્રુના સમૂહરૂપ સાગરને મંથન કરવામાં મંદરાચળ સમાન શિખર પર ફુરણાયમાન થતો મજબૂત દંડરત્ન ઘારણ કર્યો છે; તેમજ જય મેળવનાર વિભૂતિ વડે વારંવાર સ્પર્ધા કરતા વૈજયંતાદિકને જીતીને આ આદિનાથના ચૈત્યે જાણે જગતમાંના શત્રમાત્રના વિજયને જણાવનારી વૈજયંતિકા મસ્તક પર ઘારણ કરી હોય એમ હું માનું છું. અનેક નિર્જર, મનુષ્યો અને ઉરગોના પુરંદરોએ (દેવેન્દ્ર, નરેન્દ્ર ને અસુરેન્દ્રોએ) સેવિત એવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy