SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ 268 શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 5 [સ્તંભ 24 શ્રી હીરવિજયસૂરિએ દીક્ષાથી આરંભીને જે તપ કર્યું તે આ પ્રમાણે–જેમ રાજા ન્યાયને ન તજે, તેમ સૂરિએ જીવનપર્યત એકાસણું છોડ્યું નહોતું. જાણે કામદેવના પાંચે બાણો તજ્યાં હોય તેમ તેમણે પાંચ વિકૃતિ (વિગઇ)નો ત્યાગ કર્યો હતો. જાણે કે ભવસાગરને પાર પમાડનારી બાર ભાવનાઓને વિશેષ કરીને પુષ્ટ કરતા હોય તેમ હમેશાં ભોજન સમયે નામગ્રહણપૂર્વક અન્ન, જળ, શાક વગેરે મળીને બાર જ દ્રવ્યો (પદાર્થો) વાપરતા હતા. પોતાના પાપની આલોચના માટે તે સૂરિએ ત્રણસો ઉપવાસ અને સવા બસો છઠ્ઠ કર્યા. ત્રણ ચોવીશીનું ધ્યાન કરવાની ઇચ્છાથી બોંતેર અઠ્ઠમ કર્યા. બે હજાર આયંબિલ કર્યા, ને ફરીને વીસ સ્થાનકોના આરાઘન માટે વીશ આયંબિલ કર્યા. બે હજાર નવી કરી. વળી એકદત્તી એટલે પાત્રમાં એક જ વખતે જેટલું અન્ન જળ અવિચ્છિન્ન પડે તેટલો આહાર કરવો તે, તથા એક જ દાણો ખાવો તે એકસિત્થ કહેવાય છે, ઇત્યાદિ અનેક તીવ્ર તપો કર્યા. ફરીથી ત્રણ હજાર ને છસો ઉપવાસ કર્યા. પછી પ્રથમ ઉપવાસ, તે ઉપર એકાસણું, તે ઉપર આયંબિલ, તે ઉપર પાછો ઉપવાસ એવી રીતે તેર માસ સુઘી વિજયદાન ગુરુ સંબંધી તપ કર્યું. પછી બાવીશ માસ સુધી યોગ વહન કરીને તીવ્ર તપ કર્યું. પછી ત્રણ માસ સુઘી સૂરિમંત્રની વિધિપૂર્વક આરાઘના કરીને ચાર કરોડ શ્લોક પ્રમાણ સક્ઝાય-ધ્યાન કર્યું. તે સૂરિએ પાંચસો જિનબિંબની પ્રતિષ્ઠા કરી. ઇત્યાદિ બહુ પ્રકારનાં ઘર્મકાર્યો કરીને તે સૂરિ ઉનાયા (ઉના) નગરમાં સંવત 1652 ના ભાદ્રપદ સુદી 11 ને દિવસે મહામંત્ર (નવકાર) નું સ્મરણ કરતા સતા સ્વર્ગલોકને પામ્યા. એ પ્રમાણે અમૃતના ઓઘ સરખા ઉજ્જવળ ધ્યાનને ઘારણ કરતા સતા સૂરિએ ભગવંતે કહેલા મહાનંદપુરે જવાના માર્ગને ત્યાં જવાની ઇચ્છાથી જાતે જોવાને માટે દેવલોકનો આશ્રય કર્યો.” વ્યાખ્યાન 361 સિદ્ધાચળ પર રહેલા પ્રાસાદનું વર્ણન श्रीसिद्धाचलप्रासादं, सोपानादिस्फुरत्प्रभम् / कुंभशृंगध्वजायुक्त-मार्हन्तं तं स्तवाम्यहम् // 1 // ભાવાર્થ-“સોપાન (પગથિયાં) વગેરેથી જેની પ્રભા ફુરણાયમાન છે અને જેમનો શૃંગ વિભાગ (શિખર) કુંભ તથા ધ્વજાથી યુક્ત છે એવા સિદ્ધાચલ પર રહેલા શ્રી અહંતુનાં પ્રાસાદની હું સ્તુતિ કરું છું. આ શ્લોકમાં શ્રી સિદ્ધાચલ, પ્રાસાદ, સોપાન વગેરે, કુંભ, શૃંગ અને ધ્વજા આટલા શબ્દો કહ્યા છે, તે દરેકની નીચે પ્રમાણે ભાવના કરવી. શ્રી સિદ્ધાચળ સમાન પવિત્ર બીજો કોઈ પર્વત નથી. કહ્યું છે કે तावल्लीलाविलासंकलयति मलयो विन्ध्यशैलोऽपि तावद्धत्ते मत्तेभगर्वं तुहिनधरणिभृत्तावदेवाभिरामः / तावन्मेरुमहत्त्वं वहति हरिगिरिहते तावदाभां यावत्तीर्थाधिराजो न नयनपुटैः पीयते पर्वतेन्द्रः // 1 // Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy