SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૦ વ્યાખ્યાન ૨૯૦ ગુણવ્રત તથા શિક્ષાવ્રતના પ્રાયશ્ચિત્ત त्रीणि गुणव्रतानि स्युः, सेव्यानि प्रत्यहं तथा । शिक्षाव्रतानि चत्वार्येषामपि तत्तपो भवेत् ॥१॥ ભાવાર્થ-“ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત છે, તેમનું નિરંતર સેવન કરવું. તે બન્ને પ્રકારના વ્રત સંબંધી પણ તે તપ (પ્રાયશ્ચિત્ત તપ) અતિચાર આલોચનારૂપ કહેલું છે.” તે આ પ્રમાણે– પહેલા ગુણવ્રતમાં તિરછુ જળમાં ને સ્થળમાં અને ઊંચે તથા નીચે નિયમ કરતાં અધિક ગમન થાય તો જઘન્યથી એક આયંબિલનું પ્રાયશ્ચિત્ત સમજવું. બીજા ગુણવ્રતમાં અજાણતાં મદ્ય માંસ ઉપભોગમાં આવે તો ત્રણ ઉપવાસ, અને દર્પથી અથવા આકુટીથી (જાણીને) મદ્ય માંસ વાપરવામાં આવે તો દશ ઉપવાસ. ગુણી માણસે મદ્ય માંસના સ્વાદની ઈચ્છા માત્ર પણ કરવી નહીં. કદાચ ઇચ્છા થઈ જાય તો તેની પણ અવશ્ય આલોચના લેવી. એકદા શ્રી કુમારપાળ રાજાને કાંઈક સૂકું ઘેબર ખાતાં દાઢ મધ્યે “કરડ” “કરડ’ શબ્દ થયો; તેથી પ્રથમ ભક્ષણ કરેલા માંસનું સ્મરણ થઈ આવ્યું. તેણે તરત જ વિચાર્યું કે, અહો! મેં અયોગ્ય ધ્યાન કર્યું. પછી તેના પ્રાયશ્ચિત્ત માટે પોતાના સર્વ દાંત પાડી નાંખવા તૈયાર થઈ ગયા. મંત્રીએ તેમ કરતાં અટકાવીને તે વૃત્તાન્ત ગુરુને જણાવ્યો. ગુરુએ લાભ જોઈને તેના પ્રાયશ્ચિત્તને ઠેકાણે એક હજાર ને ચોવીશ સ્તંભવાળું આરસ પથ્થરનું ચૈત્ય કરાવવાનો ઉપદેશ આપ્યો. કોઈ વાર અનાભોગે માખણ ખાવામાં આવ્યું હોય તો એક ઉપવાસ, જાણીને આકુટીથી) ભક્ષણ કરે તો ત્રણ ઉપવાસ. અનંતકાયનું એકવાર અનાભોગે ભક્ષણ કરવાથી એક ઉપવાસ, અને જાણીને ભક્ષણ કરવાથી ત્રણ ઉપવાસ. કોહી ગયેલી વનસ્પતિના ભક્ષણથી એક આયંબિલ, બોળ અથાણું ભક્ષણ કરવાથી તથા ટાઢા દૂઘ, દહીં અને છાશમાં દ્વિદળ ખાવાથી અને સોળ પ્રહર ઉપરાંતનું દહીં ભક્ષણ કરવાથી તેમજ બાવીશે અભક્ષના ભક્ષણથી એક એક ઉપવાસ. મઘના ભક્ષણમાં તેનો નિયમ છતાં ભંગ થાય તો બે ઉપવાસ, નિયમ ન હોય અને મઘનું ભક્ષણ કરે તો એક ઉપવાસ. ચૌદ નિયમનો ભંગ થાય તો જઘન્યથી એક પુરિમઠું, અને ઉત્કર્ષથી એક ઉપવાસ. સૂક્ષ્મ કર્માદાનમાં બે ઉપવાસ અને લુહારનો, વાડી વાવવાનો (માળીનો), રથ (ગાડાં વગેરે) ઘડવાનો ધંધો કરવાથી તથા લાખ, ગળી, મણશીલ, ઘાવડી, સાબુ, ભાંગ, ચાર મહા વિનય, પશુ પક્ષીનાં અંગોપાંગ છેદન, અફીણ, હળ અને હથિયાર વગેરેનો વેપાર કરવાથી દશ ઉપવાસ. વિષ આપીને અથવા અપાવીને પછીથી તેનું નિવારણ કર્યું હોય તો દશ ઉપવાસ, પણ નિવારણ કર્યું ન હોય તો એકસો ને એંશી ઉપવાસ. સૂઈ બનાવવાથી એક આયંબિલ. છરી બનાવવાથી ત્રણ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. હથિયારનો વેપાર જ રાજીયા શ્રાવકની જેમ શ્રાવકે નિષેઘવી (ન કરવો), તેની કથા એવી છે કે, “ખંભાતમાં તપગચ્છી રાજીયા અને વજીયા નામના બે ભાઈઓ રહેતા હતા. તેને ઘણા દૂર દેશથી જળમાર્ગે વહાણો આવ્યાં. તેમાં તરવાર, છરી, કટારી, સૂડી, દાતરડાં, તીર, બંદુક, પિસ્તોલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy