SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૪૯] બીજા પ્રત્યેકબુદ્ધ–દ્વિમુખ ૨૨૭ દ્વિમુખે પોતાના સૈન્યમાં વાર્નિવ્યૂહ રચ્યો. બન્ને સૈન્ય વચ્ચે મહા યુદ્ધ થયું; પણ દિવ્ય મુકુટના પ્રભાવથી દ્વિમુખ રાજા જિતાયો નહીં; એટલે શ્રાંત થયેલો પ્રદ્યોત રાજા નાઠો. તેને દ્વિમુખે સસલાની જેમ પકડી લીઘો, અને ક્રૌચબંધનથી બાંધી પગમાં દૃઢ બેડી નાંખી કેદ કર્યો. કહ્યું છે કે– महानपि जनो लोभात्, कां कां आपद नाश्रुते । મોટા માણસો પણ લોભને વશ થવાથી કઈ કઈ આપત્તિને પામતા નથી? અર્થાત્ બધી આપત્તિઓ પામે છે.’’ થોડા વખત પછી અનુક્રમે તેને બંધનમુક્ત કરીને રાજાએ માનથી પોતાના અર્થ આસન પર બેસાડ્યો. એકદા રાજપુત્રી મદનમંજરીને જોઈને તેના પર ગાઢ અનુરાગ થવાથી પ્રદ્યોત અત્યંત આકુળવ્યાકુળ થયો. કામજ્વરના દાહથી પુષ્પશય્યામાં પણ તે કિંચિત્ શાંતિ પામ્યો નહીં. વર્ષ જેવડી મોટી થઈ પડેલી તે રાત્રિને મહાકરે નિર્ગમન કરીને પ્રાતઃકાળે તે રાજસભામાં આવ્યો. તેને અતિ ઉદ્વિગ્ન થયેલો જોઈને દ્વિમુખ રાજાએ પૂછ્યું કે ‘‘હે અવંતિપતિ! તમારા મનમાં શી ચિંતા પેઠી છે કે જેથી હિમથી કમલિનીની જેમ તમારું મુખ ગ્લાનિ પામેલું જણાય છે? તેનું કારણ જણાવ્યા સિવાય તેનો ઉપાય શી રીતે થઈ શકશે?'' તે સાંભળીને પ્રદ્યોત દીર્ઘ નિઃશ્વાસ મૂકીને લગ્નનો ત્યાગ કરી બોલ્યો કે ‘‘જો મારું કુશળ ઇચ્છતા હો તો તમારી પુત્રી મને આપો, નહીં તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ.'' તે સાંભળીને પુત્રીને યોગ્ય વરની પ્રાપ્તિ થયેલી માની મોટા ઉત્સવથી દ્વિમુખે પોતાની પુત્રી તેને પરણાવી. પછી પ્રદ્યોતરાજા પોતાના જન્મની સફળતા માની દ્વિમુખની રજા લઈને હર્ષથી પોતાની પુરીએ ગયો. એકદા ઇન્દ્રોત્સવનો દિવસ આવવાથી દ્વિમુખ રાજાએ પૌરજનોને ઇન્દ્રધ્વજ સ્થાપન કરવાની આજ્ઞા કરી; તેથી પૌરજનોએ ઇન્દ્રધ્વજાના સ્તંભને ઊભો કરીને તેને શ્વેત ધ્વજાઓ, પુષ્પમાળાઓ અને પુષ્કળ ઘૂઘરીઓથી શણગાર્યો. પછી વાજિંત્રના નાદપૂર્વક તેની પુષ્પફળાદિક વડે પૂજા કરી. પછી કેટલાક તેની પાસે નૃત્ય કરવા લાગ્યા અને કેટલાક ગીત ગાવા લાગ્યા. એ પ્રમાણે સાત દિવસ સુધી મહોત્સવ પ્રવર્તો. આઠમે દિવસે પૂર્ણિમાને રોજ રાજાએ પણ મોટી સમૃદ્ધિથી ત્યાં આવીને તેની પૂજા કરી. ઉત્સવ પૂર્ણ થયા પછી પૌરજનો તે ઇન્દ્રધ્વજને શોભાવવા માટે ધરાવેલા પોતપોતાના વસ્ત્રાદિક લઈ ગયા, અને કાષ્ઠ માત્ર બાકી રહેલા તે સ્તંભને પાડીને પૃથ્વી પર નાખી દીધો. બીજે દિવસે વિષ્ટા અને મૂત્રથી લીંપાયેલો, અપવિત્ર સ્થાને પડેલો અને બાળકો જેના પર ચડીને ક્રીડા કરતા હતા એવો તે સ્તંભ બહાર નીકળેલા રાજાએ જોયો. તે જોઈને વૈરાગ્ય પામેલા રાજાએ વિચાર કર્યો કે ‘જે મહાધ્વજ ગઈ કાલે સર્વ લોકોથી પૂજાતો હતો તે જ મહાજ આજે મોટી વિડંબનાને પામે છે, માટે લક્ષ્મીની શોભા સર્વ ક્ષણભંગુર છે. કહ્યું છે કે आयाति याति च क्षिप्रं, या संपत् सिन्धुपूरवत् । *પાંસુલાયામિવ પ્રાજ્ઞા–સ્તસ્યાં જો નામ રબ્બતે શા ભાવાર્થ-‘જ સંપત્તિ નદીના પૂરની જેમ અથવા સમુદ્રની ભરતીની જેમ જલદી આવે છે * પાંસુલ=ધૂળ અથવા દુરાચારી સ્ત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy