SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૪ જાય છે તે જોવા માટે સંતાઈને ઊભી રહી. તેવામાં તે સ્મશાનનો ઘણી ત્યાં આવ્યો. તેણે તે પુત્રને જોઈ ઉપાડી લઈને પોતાની સ્ત્રીને આપ્યો. તે ચાંડાળની પાછળ જઈ તેનું ઘર જોઈને રાણી ઉપાશ્રયે પાછી આવી. પછી હમેશાં રાણી તેને ઘેર જઈને મોદક વગેરે આપી મોહથી તેને લાડ લડાવવા લાગી. તે પુત્રના શરીરમાં જન્મથી જ કંડુ એટલે ખરજનો વ્યાધિ થયો. એકદા તે પુત્ર બીજા બાળકો સાથે ક્રીડા કરતાં બોલ્યો કે “હું તમારો રાજા છું, માટે તમે મને કર આપો.’’ બાળકો બોલ્યા કે ‘‘શું આપીએ?’’ તેણે કહ્યું કે ‘“તમે તમારા કરથી (હાથથી) મને ખૂબ ખજવાળો, તેથી હું પ્રસન્ન થઈશ.’’ પછી બાળકો તેને ખજવાળતા સતા કરકંડુના નામથી બોલાવવા લાગ્યા. અનુક્રમે તે પુત્ર યુવાવસ્થા પામ્યો, ત્યારે તે સ્મશાનની રક્ષા કરવા લાગ્યો. એકદા બે મુનિ વિહાર કરતા કરતા ત્યાં આવ્યા. તેમાં એક મુનિ લક્ષણ શાસ્ત્રના જાણકાર હતા. તેણે વાંસની જાળમાં એક દંડ જોઈને બીજા મુનિને કહ્યું કે “આ દંડ હજુ ચાર આંગળ મોટો થાય ત્યાં સુધી રાહ જોયા પછી તેને જે માણસ ગ્રહણ કરે તે રાજા થાય.’’ તે વાક્ય એક કરકંડુએ અને એક બ્રાહ્મણે સાંભળ્યું. પછી તે દંડ જ્યારે ચાર આંગળ વધ્યો ત્યારે તે બ્રાહ્મણે તેને ખોદીને કાઢ્યો. તે જોઈને કરકંડુએ તેની સાથે મોટો કજિયો કરીને તે દંડ લઈ લીધો. લોકોએ હસીને તેને પૂછ્યું કે “તું આ દંડને શું કરીશ?” ત્યારે તે બોલ્યો કે “આના પ્રભાવથી હું રાજા થઈશ.’ લોકોએ કહ્યું કે ‘‘તું રાજા થાય ત્યારે આ બ્રાહ્મણને એક ગામ આપજે.’’ તે વચન અંગીકાર કરીને કરકંડુ પોતાને ઘેર ગયો. પેલા બ્રાહ્મણે વિચાર્યું કે “કરકંડુને હણીને પણ દંડ લઉં.’’ તેનો આવો અભિપ્રાય જાણીને ભય પામેલો કરકંડુ ત્યાંથી નાસીને કાંચનપુરે ગયો. ત્યાં થાકી જવાથી ગામ બહાર ઉદ્યાનમાં તે સૂતો. તે જ દિવસે તે ગામનો રાજા અપુત્રીઓ મરી જવાથી પ્રધાનોએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. તે દિવ્યોથી કરકંડુને રાજ્ય મળ્યું; એટલે તે હસ્તીપર આરૂઢ થઈને નગરપ્રવેશ કરતો હતો; તેવામાં પેલા બ્રાહ્મણે આવીને તેને અટકાવ્યો અને બોલ્યો કે “અરે ચાંડાલ! તને રાજ્ય ઘટે નહીં.'' તે સાંભળીને કરકંડુએ પેલો દંડ હાથમાં લઈને ભમાડ્યો, એટલે ભય પામીને તે બ્રાહ્મણ નાસી ગયો. પછી પ્રધાનોએ તેનો રાજ્યાભિષેક કર્યો. પછી કરકંડુ રાજાએ સર્વ ચાંડાળોને બ્રાહ્મણ કર્યા. કહ્યું છે કે— दधिवाहनपुत्रेण, राजा च करकंडुना । वाटधानकवास्तव्या चांडाला ब्राह्मणीकृताः ॥ १ ॥ ભાવાર્થ–દધિવાહન રાજાના પુત્ર કરકંડુ રાજાએ વાટઘાનકના રહીશ ચાંડાળોને બ્રાહ્મણ કર્યા.” એકદા પેલા બ્રાહ્મણે આવીને કરકંડુને કહ્યું કે “હે રાજા! તમે મને પૂર્વે એક ગામ આપવાનું વચન આપ્યું છે તે ગામ આપો.’’ રાજાએ કહ્યું કે ‘“બોલ, તને કયું ગામ આપું?”’ ત્યારે તે બોલ્યો કે “મને ચંપાનગરીની નજીકમાં એક ગામ આપો.’” તે સાંભળીને કરકંડુ રાજાએ ચંપાપુરીના રાજા દધિવાહન ઉપર લેખ લખી આપ્યો કે “આ બ્રાહ્મણને એક ગામ આપજો.’' તે બ્રાહ્મણે ચંપાપુરી જઈને દધિવાહન રાજાને તે કાગળ આપ્યો. તે વાંચીને ક્રોધથી રક્ત નેત્રવાળો થયેલો દધિવાહન રાજા બોલ્યો કે “અરે બ્રાહ્મણ! ચાંડાળના હાથે લખેલા કાગળનો સ્પર્શ કરવાથી હું મલિન થયો છું; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy