SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તંભ ૨૪ વ્યાખ્યાન ૩૪૬ યશોભદ્રસૂરિ અને બલભદ્રસૂરિ મુનિ तपस्वी रूपवान् धीरः, कुलीनः शीलदायुक् । षट्त्रिंशद्गुणाढ्यो ऽभूच्छ्रीयशोभद्रसूरिराट् ॥१॥ ભાવાર્થ-‘તપસ્વી, રૂપવાન, ઘીર, કુલીન અને શીલ પાળવામાં દૃઢતાવાળા શ્રી યશોભદ્રસૂરિ આચાર્યના છત્રીશ ગુણોથી યુક્ત થયા.’’ તેની કથા નીચે પ્રમાણે— યશોભદ્રસૂરિની કથા પલ્લીપુરીમાં જ્યારે શ્રી યશોભદ્ર મુનિને આચાર્યપદવી મળી, તે વખતે તેમણે જીવિત પર્યંત હમેશાં આઠ કવળ વડે જ આયંબિલ કરવાનો અભિગ્રહ લીધો. એવો નિયમ ધારણ કરીને ઈર્યાસમિતિપૂર્વક માર્ગમાં વિચરતા તે સૂરિને એક મહિમાવાળી સૂર્યની પ્રતિમાએ જોઈને મનમાં વિચાર્યું કે ‘‘અહો! આ સૂરિ જો મારા ભુવનમાં પધારે તો મારો જન્મ સફળ થાય.’’ એમ વિચારીને સૂર્યે આકાશમાં વાદળાં વિકુર્તીને જળની વૃષ્ટિ કરવા માંડી. તે વખતે ‘મારાથી અકાયની વિરાધના ન થાઓ' એમ ઘારીને સૂરિએ સમીપ હોવાથી તે સૂર્યના જ ચૈત્યમાં પ્રવેશ કર્યો. તે સૂરિના તપના પ્રભાવથી સૂર્યે પ્રત્યક્ષ થઈને વરદાન માગવાનું કહ્યું; કેમકે દેવનું દર્શન નિષ્ફળ હોતું નથી; તો પણ ઇચ્છારહિત સૂરિ કાંઈ પણ માગ્યા વિના જ પોતાના ઉપાશ્રયે ગયા. ત્યારે સૂર્યે બ્રાહ્મણનું રૂપ લઈને સ્વર્ગ નરકાદિકમાં રહેલા સર્વ જીવોને જોઈ શકાય તેવી એક અંજનની શીશી તથા એક દિવ્ય પુસ્તક સૂરિને આપ્યું. તે પુસ્તક માત્ર વાંચવાથી સૂરિને સર્વ વિદ્યાઓ પાઠસિદ્ધ થઈ ગઈ. પછી ‘આ વિદ્યાઓ પાશ્ચાત્ય મુનિઓને અયોગ્ય છે' એમ વિચારીને સૂરિએ પોતાના શિષ્ય બળભદ્ર મુનિને બોલાવીને કહ્યું કે “આ પુસ્તકો ઉઘાડ્યા વિના જ એમ ને એમ સૂર્યના ચૈત્યમાં જઈને તેને આપી આવ. કહેજે કે મારા ગુરુને તમે જે થાપણ આપી હતી તે પાછી લો.’’ એ પ્રમાણે કહીને ગુરુએ બળભદ્ર મુનિને મોકલ્યા. ગુરુએ તે પુસ્તક ઉઘાડવાની સખત મનાઈ કરી હતી, તો પણ તેણે ત્યાં જઈને ચૈત્યની બહાર તે પોથી છોડીને તેમાંથી મંત્રોની આમ્નાયનાં ત્રણ પાનાં ચોરીને ગુપ્ત રાખ્યાં. પછી ચૈત્યમાં જઈને સૂર્યની પ્રતિમાને ગુરુનું વચન કહી તે પુસ્તક આપ્યું. એટલે તે પ્રતિમાએ પણ હાથ લાંબો કરીને તે લઈ લીધું. પછી બળભદ્ર મુનિ ચૈત્યની બહાર આવીને જોવા લાગ્યા તો સંતાડેલાં પાનાં દેખાયા નહીં; તેથી તે. પોતાના આત્માને ઉપાલંભ દેવા લાગ્યા કે “મને ધિક્કાર છે કેમકે મેં ગુરુની આજ્ઞા ઉલ્લંઘી અને સંતાડેલાં પત્ર પણ કોણ જાણે ક્યાં ગયાં?'' એમ ખેદ કરતાં તેના નેત્રોમાં અશ્રુ ભરાઈ ગયા. તે જોઈને સૂર્યે તેને કહ્યું કે, “હે મુનિ! શા માટે ખેદ કરો છો? લો આ ત્રણ પત્રો, તે વડે શાસનની ઉન્નતિ વધારજો.’’ તે લઈને તેણે તે ત્રણ પત્રોમાં રહેલી વિદ્યાને પાઠમાત્રથી જ સિદ્ધ કરી લીધી. એકદા ગુરુ બહિર્ભૂમિ (સ્થંડિલ) ગયા હતા અને પ્રાસુક જળને તેના કહેલા કાળથી કાંઈક અધિક કાળ સુધી પ્રાસુક રાખવા માટે બકરાની લીંડીઓ આણી રાખેલી પાસે પડી હતી, તે વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy