SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૪૫] હુતાશની પર્વ (હોળી) ૨૧૫ પણ સરખાં રૂપલાવણ્યવાળાં ઘણાં સ્ત્રી પુરુષો આ દુનિયામાં હોય છે, તેમાં તમારો કાંઈ દોષ નથી.” તે સાંભળીને શેઠે સ્નેહથી તે બન્નેને પુત્રી તથા જમાઈ કરીને ઘેર રાખ્યા. અહો! સ્ત્રીઓની કેવી ગૂઢ મતિ હોય છે! કહ્યું છે કે लभ्भइ वारिहि पारं, लभ्भइ पारं च सव्वसत्थाणं । महिलाचरियाणं पुणो, पारं न लहेइ बंभा वि ॥१॥ ભાવાર્થ-“સમુદ્રને પાર પામી શકાય તથા સર્વ શાસ્ત્રોનો પાર પણ પામી શકાય, પરંતુ સ્ત્રીચરિત્રના પારને બ્રહ્મા પણ પામી શકતા નથી.” - હવે પેલી ઢંઢા તાપસી કે જે પર્ણકુટીમાં બળી ગઈ હતી તે શુભ અધ્યવસાયે મરીને વ્યંતર જાતિમાં દેવી થઈ હતી. તેણે વિભંગ જ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણીને જયપુરના લોકો ઉપર કોપ કરીને વિચાર્યું કે “અહો! આ લોકો મહા અસતી અને જીવતી હોળીને પૂજે છે અને તેની સ્તુતિ કરે છે, પણ મને તો કોઈ સંભારતું પણ નથી.” એમ વિચારીને તે ગામ ઉપર એક મોટી શિલા વિકર્વીને તે બોલી કે “મને સંતોષ આપનાર એક મનોરથ શ્રેષ્ઠી વિના બીજા સર્વને હમણાં જ આ શિલાથી ચૂર્ણ કરી નાંખીશ.” તે સાંભળીને રાજા વગેરે સર્વ લોક ભય પામીને મનોરથ શ્રેષ્ઠીને શરણે ગયા. ત્યારે તે શ્રેષ્ઠીએ પૂજા બલિદાન વગેરે કરીને કહ્યું કે “દેવ કે દાનવ જે કોઈ હોય તે પ્રગટ થઈને જે ઇચ્છા હોય તે કહો, અમે નગરના સર્વ લોકો તે પ્રમાણે કરીશું.” તે સાંભળીને ઢંઢા વ્યંતરી પૂર્વનો સર્વ વૃત્તાંત કહીને બોલી કે “હોળીનું પર્વ આવે ત્યારે સર્વ પીરજનો ભાંડચેષ્ટા કરે, પરસ્પર ગાળો દે, ધૂળ ઉછાળે, શરીરે કાદવ ચોળે ઇત્યાદિ કરે તો આ ઉપદ્રવ હું શાંત કરું.” તે સાંભળીને લોકોએ તે પ્રમાણે અંગીકાર કર્યું. ત્યારથી ધૂળેટીનું પર્વ સર્વત્ર પ્રસર્યું. “લોક ગાડરિયા પ્રવાહ જેવો છે, તે પરમાર્થને સમજતો નથી.” અહીં ઉપદેશવચન આ પ્રમાણેનાં ઘારી રાખવાં કે “એક અસંબંઘ વાક્ય બોલવાથી, ગાળી પ્રદાનાદિ કરવાથી જીવ અનેક ભવમાં ભોગવવું પડે તેવું પાપકર્મ બાંધે છે, માટે અશુભ પ્રલાપનો, ત્યાગ કરીને દ્રવ્યથી હુતાશની પર્વને સર્વથા તજવું અને ભાવથી બુદ્ધિપૂર્વક શુભ વાક્યને અંગીકાર કરવું. સ્વપરને હિતકારી વાક્યો બોલવાં.” “દુષ્ટ વાક્યના વિસ્તારવાળું, મિથ્યાત્વથી ભરેલું અને સંસારસાગરમાં ડુબાવનારું આ હોળી અને રજનું લૌકિક પર્વ શ્રી જિનેન્દ્ર આગમના તત્ત્વની ઇચ્છાવાળા લોકોએ અવશ્ય ત્યાગ કરવું.” I ત્રિવિંશતિતમ સંભ સમાપ્ત . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy