SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૪૫] હુતાશની પર્વ (હોળી) ૨૧૩ ભાવાર્થ-“એકલા યાત્રાએ જવું, બીજી સ્ત્રીઓની સાથે જાગરણ કરવું, દૂર પાણી ભરવા જવું, માને ઘેર (પિયર) વધારે રહેવું, લૂગડાં લેવા દેવા માટે ઘોબીને ઘેર જવું, ગરબે રમવા જવું, સ્થાનથી ભ્રષ્ટ થવું (પારકે ઘેર જવું), સખીના નિવાસમાં જવું અને પતિનું પરદેશગમન થવું, ઇત્યાદિ વ્યાપારો સતી સ્ત્રીઓને પણ પ્રાયે શીલખંડન કરનારા થાય છે.” એકદા ફાગણ માસની પૂર્ણિમાની રાત્રીએ હોલિકા સૂર્યના ચૈત્યમાં ગઈ. ત્યાં કામપાળ પણ આવ્યો હતો. બન્ને જણ ક્રીડા કરતા સતા મુખે બેઠા હતા. ઢુંઢા તાપસી ચૈત્યની પાસેની પર્ણકુટીમાં સૂતી હતી. તે વખતે તે બન્નેએ વિચાર કર્યો કે “આપણું કાર્ય તો સિદ્ધ થયું, પણ આ ઢંઢા આપણો સર્વ મર્મ જાણે છે, તેથી તે કોઈ વાર આપણને દુઃખદાયી થશે, માટે તેને મારી નાંખવી યોગ્ય છે. કહ્યું છે કે उपाध्यायश्च वैद्यश्च, नर्तक्यश्च परस्त्रियः । सूतिका दूतिका चैव, सिद्धै कार्ये तृणोपमाः॥१॥ ભાવાર્થ-“ઉપાધ્યાય (મહેતાજી), વૈદ્ય, નૃત્ય કરનારી, પરસ્ત્રી, સૂતિકા (સુયાણી) અને દૂતી (સંદેશો લઈ જનારી) એ બઘાં કાર્ય સિદ્ધ થયા પછી તૃણ સમાન છે.” मंत्रबीजमिदं पक्वं, रक्षणीयं यथा तथा । मनागपि न भिद्येत, तद्भिन्नं न प्ररोहति ॥२॥ ભાવાર્થ-“આ મંત્રરૂપી પરિપક્વ બીજનું એવી રીતે રક્ષણ કરવું કે તે જરા પણ ભેદાય નહીં, કેમકે ભેદ પામવાથી તે ઊગતું નથી.” सुगुप्तस्यापि दंभस्य, ब्रह्माप्यन्तं न गच्छति । कोलिको विष्णुरूपेण, राजकन्यां निषेवते ॥३॥ ભાવાર્થ-“સારી રીતે છુપાવેલા દંભનો પાર બ્રહ્મા પણ પામી શકતા નથી. જુઓ, એક કોળી વિષ્ણુનું રૂપ ઘારણ કરીને રાજકન્યા ભોગવતો હતો. આ દ્રષ્ટાંત પંચતંત્રાદિકથી જાણી લેવાં. પછી હોલિકાએ તે પર્ણકુટીની ફરતાં કાષ્ઠ વગેરે ગોઠવીને તેમાં એક મનુષ્યનું શબ નાંખીને ઢુંઢા સહિત તે ઝૂંપડી બાળી દીધી. પછી હોલિકા તથા કામપાળ ત્યાંથી નાસી દેશાંતર ગયા. રાગાતુર થયેલી પાપી નારી શું નથી કરતી? કહ્યું છે કે मारइ पियभत्तारं, हणइ सुयं तह पणासए अत्थं । नियगेहंपि पलिवइ, नारी रागाउरा पावा॥ ભાવાર્થ-“પોતાના પ્રિય ભર્તારને મારે છે, પુત્રને હણે છે, દ્રવ્યનો નાશ કરે છે, અને પોતાના ઘરને પણ બાળી મૂકે છે. રાગાતુર પાપી સ્ત્રી એટલાં વાનાં કરે છે.” પછી પ્રાતઃકાળે તે ચૈત્ય પાસેની ઝૂંપડી બળેલી જોઈને લોકો પરસ્પર પૂછવા લાગ્યા કે “અરે! આ શું થયું?” તેવામાં ભદ્રક મનોરથ શ્રેષ્ઠી પોતાના ઘરમાં ઢંઢા તાપસીને તથા હોલિકાને નહીં જોવાથી ખેદ પામીને બોલ્યો કે “જરૂર એક ચિતામાં એ બન્ને જણી બળી મરી. પ્રથમ મેં મહા ૧. ગુસ હકીકત-છાનું કરેલું કાર્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy