SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૩ મનમાં કાંઈક વિચાર કરીને પોકાર કરવા લાગી કે ‘હે લોકો! દોડો, દોડો, આ પરસ્ત્રીના શીલવ્રતને ભંગ કરનાર લુબ્ધ પુરુષને પકડો, પકડો.' એમ મોટેથી બૂમ પાડવા લાગી. કહ્યું છે કેनामृतं न विषं किंचिदेकां मुक्त्वा नितंबिनीम् । सैवामृतलता रक्ता, विरक्ता विषवल्लरी ॥१॥ ભાવાર્થ—“એક સ્ત્રી સિવાય બીજું કાંઈ પણ અમૃત નથી કે વિષ પણ નથી; તે સ્ત્રી જ જો રક્ત હોય તો અમૃતલતા છે, અને વિરક્ત હોય તો તે જ વિષલતા છે.’’ હોલિકાની બૂમ સાંભળીને તેનો પિતા દોડી આવ્યો, અને તેણે કામપાળને પૂછ્યું કે ‘‘અરે! કેમ તું પરસ્ત્રીના કંઠમાં વળગી પડ્યો?’’ તે સાંભળીને મહાધૂર્ત કામપાળે કહ્યું કે “મારી સ્ત્રી તમારી પુત્રીના જેવી જ છે, તેથી મેં જાણ્યું કે ‘આ મારી સ્ત્રી છે' એમ ધારીને મેં તેને આલિંગન કર્યું.’ એમ કહીને તે કામપાળ જતો રહ્યો. પછી હોલિકાએ પોતાના માતાપિતાને કહ્યું કે “અહો! સતી સ્ત્રીઓમાં પ્રધાન એવી મને પરપુરુષનો સ્પર્શ થયો, તેથી હું દૂષિત થઈ. માટે હવે હું અગ્નિમાં પ્રવેશ કરીશ. મારું જીવિત હવે અધન્ય છે. તેથી અહીં જ આ સૂર્ય ચૈત્યની પાસે જ આ દેહને ભસ્મસાત્ કરીશ.’’ रोयंति यावंति य, अलियं जंपंति पत्तियावंती । कवडेण खयंति विसं, मरंति नवि देंति सभ्भावं ॥ १ ॥ ભાવાર્થ-પતિવ્રતાનો ડોળ રાખતી કુલટા સ્ત્રીઓ પોતે રુએ છે, બીજાને રોવરાવે છે, અસત્ય બોલે છે, વિશ્વાસ પમાડે છે, કપટથી વિષ ખાય છે, અને છેવટે મરી પણ જાય છે, પરંતુ પોતાનો સદ્ભાવ (ખરી વાત) કોઈને જણાવતી નથી.’’ હોલિકાનાં આવાં વચનો સાંભળીને તેના માતાપિતાએ શિખામણ દીધી કે “હે પુત્રી! તું કેમ બહુ આગ્રહ કરે છે? તેણે અજાણતાં ભ્રાંતિથી તારો સ્પર્શ કર્યો છે, તેથી નિર્વિકારીનો દોષ લાગતો નથી. કહ્યું છે કે— गृह्णाति दन्तैः शिशुमाखुमोतुः पद्मं च वंशं दशति द्विरेफः । भार्यां सुतां श्लिष्यति वै मनुष्यस्तत्रापि नित्यं मनसः प्रमाणम् || १॥ ભાવાર્થ-બિલાડી પોતાના દાંત વડે પોતાના બચ્ચાંને પકડે છે તથા ઉંદરને પણ પકડે છે, ભમરો કમળને ડસે છે તથા વાંસને પણ ડસે છે, અને પુરુષ પોતાની સ્ત્રીને આલિંગન કરે છે તથા પુત્રીને પણ આશ્લેષે છે; પરંતુ તે સર્વમાં મન જ પ્રમાણ છે.’’ ઇત્યાદિ ઉપદેશ આપી તેને સમજાવીને તેનો પિતા તેને ઘેર તેડી ગયો. આ વૃત્તાંત જાહેરમાં આવવાથી લોકોમાં તે હોલિકા મહાસતીના નામથી પ્રખ્યાત થઈ. પછી તે પ્રાતઃકાળે, સાયંકાળે, રાત્રીએ, ગમે તે વખતે સ્વેચ્છાથી જ ઢુંઢાને છેતરી—તેને સાથે રાખ્યા વિના સૂર્યચૈત્યમાં જવા લાગી. કહ્યું છે કે Jain Education International यात्रा जागर दूरवारिभरणं मातुर्गृहेऽवस्थितिवस्त्रार्थं रजकोपसर्पणमपि स्याचर्चिकामेलनम् । स्थानभ्रंश सखीनिवासगमनं भर्तुः प्रवासादिका, व्यापाराः खलु शीलखंडनकराः प्रायः सतीनामपि ॥१॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy