SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ તથા પતિના એમ બન્નેના કુળનો ક્ષય થયો; તેથી ઉદરનિર્વાહ માટે તે ઢંઢા પરિવારિકાનો વેષ ઘારણ કરીને કામણ, મારણ, ઉચ્ચાટન વગેરે પાપકર્મથી આજીવિકા કરવા લાગી. એકદા તે ઢંઢા ભિક્ષાને માટે ભ્રમણ કરતી મનોરથ શ્રેષ્ઠીને ઘેર ગઈ. શ્રેષ્ઠીએ તેને બેસવા માટે આસન આપી કુશળતા પૂછી ત્યારે તે ઘર્મના અક્ષરો બોલી કે काला कुशल किम पूछीए, नितु उगते भाण ।। जरा आवे जोबण खसे, हाणी विहाण विहाण ॥१॥ ભાવાર્થ-“હે કાલા શેઠ! તમે કુશળતા થી પૂછો છો? હંમેશાં સૂર્ય ઊગે છે કે યુવાવસ્થા ઘટે છે ને જરાવસ્થા આવે છે; વહાણે વહાણે હાનિ થતી જાય છે, ત્યાં કુશળતાની શી વાત? काया पाटण हंस राजा, पवणु फिरे तलारो । तिण पाटण वसे जोगी, जाणे जोग विचारो ॥२॥ ભાવાર્થ-કાયારૂપી નગર છે, ત્યાં હંસરૂપી રાજા રહે છે, તેમાં પવનરૂપી કોટવાળ ફરે છે, તે નગરમાં એક જોગી વસે છે, તે જોગના વિચારો જાણે છે.” • વોદિ પંëિ ન રૂંધી, તિન્દુ સનિહિ કૂવૃદ્ધિ I कह भाउ सा घरु किम नंदे, जत्थ कुटुंबउ अप्पण छंदइ॥३॥ ભાવાર્થ-“એક ઝૂંપડી પાંચ જણે ઘી છે. તે પાંચ જણની જુદી જુદી બુદ્ધિ છે. તો હે ભાઈ! કહે કે જ્યાં આખું કુટુંબ સ્વચ્છેદે ચાલે છે તે ઘર શું આનંદ આપે?” जर कुत्तो जोबण ससा, काल आहेडी मित्त । बिहु वयरि विच झुंपडा, कुशल किं पूछे मित्त ॥४॥ ભાવાર્થ-“હે મિત્ર! જરારૂપી કૂતરો છે, જોબન (યુવાવસ્થા) રૂપી સસલો છે, અને કાળરૂપી આહેડી (શિકારી) છે. તેમાંના બે દુશ્મનની વચ્ચે આ શરીરરૂપી ઝૂંપડું રહેલું છે. તેમાં હે મિત્ર! તમે શી કુશળતા પૂછો છો?” - તેનાં આવાં વચનો સાંભળીને શ્રેષ્ઠીએ વિચાર્યું કે “અહો! યુવાવસ્થા છતાં પણ આનામાં કેવો વિસ્મય ઉત્પન્ન કરે તેવો વૈરાગ્ય છે?” धातुषु क्षीयमाणेषु, शमः कस्य न जायते । प्रथमे वयसि यः साधुः, स साधुरिति मे मतिः॥४॥ ભાવાર્થ-“ઘાતુઓ ક્ષીણતા પામે ત્યારે કોને સમતા ઉત્પન્ન ન થાય? સૌને થાય; પણ પ્રથમ વયમાં જે સાધુ (વૈરાગ્યવાન) હોય તે જ ખરો સાધુ, એમ હું તો માનું છું.” પછી શ્રેષ્ઠીએ તેને વિનંતી કરી કે “હે સ્વામિની! મારી પુત્રી બાળ વિઘવા છે, તેને તમે ઘર્મનો અભ્યાસ કરાવો, કે જેથી તેના ચિત્તમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય; કેમકે જે માણસ જેવો સંગ કરે તેવો તે સ્વલ્પકાળમાં થઈ જાય છે. પુષ્પની સાથે રહેવાથી તલ પણ સુગંધી થાય છે, અને ચંદનના વનના સંગથી બીજાં વૃક્ષો પણ ચંદનરૂપ થઈ જાય છે; માત્ર જેના હૃદયમાં ગાંઠ છે એવા વાંસ જ ચંદનરૂપ થતા નથી.” તે સાંભળીને ઢંઢા બોલી કે તપસ્વીઓને ગૃહસ્થીઓનો સંગ કરવો ગુણકારી નથી. કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy