SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૪૫] હુતાશની પર્વ (હોળી) ૨૦૯ ભાવાર્થ—યુવાવસ્થા, ધનસંપત્તિ, પ્રભુત્વ (અધિકારીપણું) અને અવિવેકીપણું, આમાંનું એક એક પણ અનર્થકારી છે, તો જ્યાં ચારે ભેગા હોય ત્યાં તો શું કહેવું?’’ એકદા તે હોલિકા પોતાના મહેલના ગોખમાં બેઠી હતી. તે વખતે બંગદેશના રાજાનો પુત્ર કામપાલ ક્રીડા માટે જતાં અશ્વ પર બેસીને ત્યાંથી નીકળ્યો. તેને જોઈને તે હોલિકાએ તેના પર કામદેવના બાણરૂપ કટાક્ષ નાંખ્યા; એટલે કામપાલ પણ તેના રૂપથી મોહ પામીને વારંવાર તેની સામું જોવા લાગ્યો. કહ્યું છે કે— दिठ्ठि दिठ्ठपसरो, पसरेण रइ रईइ सभ्भावो । सभ्भावेण य नेहो, पंच य बाणा अणंगस्स || १|| ભાવાર્થ-‘પ્રથમ જોવું, જોવાથી સૃષ્ટિનો પ્રસાર, દૃષ્ટિપ્રસારથી રતિ, રતિથી સદ્ભાવ અને સદ્ભાવથી સ્નેહ ઉત્પન્ન થાય છે, તે પાંચેય કામદેવનાં બાણ છે.'' આ પ્રમાણે બન્નેને પરસ્પર સ્નેહ થવાથી પોતપોતાને ઘેર પણ તેઓ પરસ્પરનું ધ્યાન કરવા લાગ્યા. ખાવામાં, પહેરવામાં કે બીજા કોઈ પદાર્થમાં તેઓ પ્રીતિ પામ્યા નહીં. કહ્યું છે કે— नेह म करजो कोइ, गोरसु नितु नितु इम भणे । नेह पसाई योय, जिम दहिंयडो विलोडिउ ॥ १ ॥ आइ फिरो सहु कोइ, अणगमतो आठे पुहर । जो मन विसम्यो होइ, सो मुझ किमे न विसरे ॥२॥ ભાવાર્થ—કોઈ પણ સ્નેહ કરશો નહીં’’ એમ હમેશાં ગોરસ કહે છે; કેમકે સ્નેહ (માખણ)ના વાથી દહીંને વલોવાવું પડે છે.’’ ૧ “અણગમતા માણસો આઠે પહોર ભલે આવે જાય, પણ જેના પર મન વિશ્રામ પામ્યું છે તેને તે કોઈ રીતે વીસરતું નથી.’’ ૨ એકદા હોલિકાને તેના પિતાએ પૂછ્યું કે “હે પુત્રી! તું કેમ દુઃખિત, મ્લાન મુખવાળી અને અતિ કૃશ દેખાય છે?’’ તે સાંભળીને તેણે કાંઈ ઉત્તર આપ્યો નહીં. ત્યારે પિતાએ વિચાર્યું કે ‘આ બિચારી બાળવિધવા શું બોલે? પૂર્વ કર્મના ઉદયથી તે અતિ દુઃખિયારી થઈ છે; કેમકે હજારો ગાયોમાં પણ વાછડા જેમ પોતાની માતાને ઓળખી તેની પાસે જાય છે, તેમ પૂર્વે કરેલું કર્મ પણ તેના કર્તાની પાસે જ જાય છે. તો પણ આ પુત્રીને હું કાંઈક ભણવા વગેરેનું અવલંબન કરી આપું કે જેથી તેના દિવસો નિર્ગમન થાય.’’ હવે તે નગરમાં એક ચંદ્રરુદ્ર નામે બ્રાહ્મણ રહેતો હતો. તે દ્રવ્યના લોભથી ભાંડચેષ્ટા કરતો હતો, તેથી તે ભાંડના નામે જ ઓળખાતો હતો. તેને ઢુંઢા નામની એક પુત્રી હતી. તે યુવાવસ્થા પામી, તો પણ તેને કોઈ બ્રાહ્મણ પરણ્યો નહીં. તેથી ચંદ્રરુદ્રે તેને અચલભૂતિ નામના કોઈ ભાંડ સાથે પરણાવી; એટલે સરખે સરખો યોગ મળ્યો. જુગારીની પુત્રી ને ગંઠીચોરનો પુત્ર પરણ્યો. એ જુગતે જુગતી જોડ મળી. જાણે રત્નાકરમાં રત્ન મળી ગયું! ઊંટના વિવાહમાં ગધેડા ગીત ગાનાર થયા, પછી પરસ્પરના વખાણ કરે. ગધેડા કહે કે—‘અહો! ઊંટભાઈનું કેવું સુંદર રૂપ છે?’ ત્યારે ઊંટ કહે કે ‘અહો! ગધેડાભાઈનું કેવું સુંદર ગાયન છે?” હવે તે ઢુંઢા પરણી કે તરત જ પિતાના ભાગ ૫-૧૪ Jain Education me For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy