SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન 3૪૦] મનુષ્યભવની દુર્લભતા ૧૮૩ સહિત જમ્યો છે તેનું શું ફળ?” મુનિ બોલ્યા કે “એ બાળક રાજા થશે.” તે સાંભળી ચણકને ખેદ થયો; અને “મારો પુત્ર રાજ્યના આરંભથી અધોગતિ ન પામો.” એમ વિચારીને તેણે તે બાળકના દાંત ઘસી નાંખ્યા. પછી તે વાત ચણકે ફરીને પાછી તે જ મુનિને કહી. ત્યારે મુનિ બોલ્યા કે “હવે તે બાળક પ્રઘાનશ્રેષ્ઠ થશે.” અનુક્રમે વૃદ્ધિ પામતો ચાણાક્ય સકળ કળામાં કુશળ થયો. તે યુવાન થયો ત્યારે એક બ્રાહ્મણની કન્યા સાથે પરણ્યો. તે નિર્ણન હતો, તો પણ સંતોષી હોવાથી ઘનને માટે બહુ પ્રયત્ન કરતો નહીં. અન્યદા તેની સ્ત્રી પોતાના ભાઈના લગ્ન હોવાથી પિતાને ઘેર ગઈ; પણ નિર્ધનતાને લીધે તેના ભાઈઓની સ્ત્રીઓ વગેરેએ તેને આદરમાન આપ્યું નહીં; અને ભોજનાદિકમાં પણ પંક્તિભેદ કર્યો. તે જોઈ પોતાના અતિ દુર્ભાગ્યથી લજ્જ પામીને તે પતિને ઘેર આવી. તેને અત્યંત શોકાતુર જોઈને ચાણાક્ય આગ્રહથી શોકનું કારણ પૂછ્યું. ત્યારે અશ્રુની વૃષ્ટિ કરતી તેણે પોતાના પરાભવની વાત કહી સંભળાવી. તે સાંભળીને ચાણાક્ય વિચાર્યું કે कलावान् कुलवान् दाता, यशस्वी रूपवानपि । विनाश्रियं भवेन्मयो, निस्तेजाः क्षीणचन्द्रवत् ॥४॥ કળાવાન, કુળવાન, દાતાર, યશસ્વી અને રૂપવાન છતાં પણ મનુષ્ય જો લક્ષ્મી વિનાનો હોય તો તે ક્ષય પામતા ચંદ્રની જેમ તેજરહિત દેખાય છે.” માટે નંદરાજા બ્રાહ્મણોને ઘણું ઘન આપે છે તેથી ત્યાં જાઉં. એમ વિચારીને ચાણાક્ય તરત જ પાટલિપુત્ર ગયો. ત્યાં રાજસભામાં જઈને રાજાના જ સિંહાસન પર બેઠો. થોડી વારે એક નિમિત્ત જાણનાર સિદ્ધપુત્રની સાથે નંદરાજા સભામાં આવ્યા. ત્યાં સિંહાસન પર બેઠેલા ચાણાક્યને જોઈને તે સિદ્ધપુત્ર બોલ્યો કે “આ બ્રાહ્મણ નંદવંશની છાયા (મર્યાદા) નું ઉલ્લંઘન કરીને સિંહાસન પર બેઠો છે.” તે સાંભળીને રાજાની દાસીએ ચાણાક્યને કહ્યું કે “હે પૂજ્ય! આ બીજા સિંહાસન પર બેસો.” તે બોલ્યો કે “આ બીજા આસન પર મારું કમંડલુ રહેશે.” એમ કહીને તે બીજા આસન પર કમંડળ મૂક્યું, અને પોતે તે સિંહાસન પરથી ઊઠ્યો નહીં. ત્યારે દાસી ત્રીજું સિંહાસન લાવી, તેના પર ચાણાક્ય દંડ મૂક્યો. દાસી ચોથું આસન લાવી, તેના પર તેણે અક્ષમાળા મૂકી, અને પાંચમા આસન પર તેણે બ્રહ્મસૂત્ર મૂક્યું. ત્યારે દાસી બોલી કે “અહો, આ બ્રાહ્મણ કેવો ધૃષ્ટ અને મૂર્ખ છે?” તે સાંભળીને ક્રોધ પામેલો ચાણાક્ય દાસીને પગની લાત મારીને સર્વ લોક સાંભળતાં બોલ્યો કે– कोशैश्च भृत्यैश्च निबद्धमूलं, पुत्रैश्च मित्रैश्च विवृद्धशाखम् । उत्पाट्य नंदं परिवर्तयामि, महाद्रुमं वायुरिवोग्रवेगः॥१॥ ભાવાર્થ-“ભંડાર અને નૃત્યો વડે જેનું મૂળ મજબૂત થયેલું છે, અને પુત્રો તથા મિત્રો વડે જેની શાખાઓ વૃદ્ધિ પામેલી છે એવા નંદરૂપી મહાવૃક્ષને ઉગ્ર વેગવાળા વાયુની જેમ હું મૂળથી ઉખેડીને ભમાવીશ.” તે સાંભળીને “આ ભિક્ષુક બ્રાહ્મણથી શું થવાનું છે?” એમ ઘારી રાજાએ પણ તેની ઉપેક્ષા કરી. એટલે તે ચાણાય ત્યાંથી નીકળીને ભમતો ભમતો નંદરાજાના મયૂરપોષકના ગામમાં આવ્યો. ત્યાં તે પરિવ્રાજકનો વેષ ધારણ કરીને રહ્યો. તે ગામના ગ્રામણી (ગામેતી)ની પુત્રીને ચંદ્ર પીવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy