SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ પુષ્પફળના રસને (સ્વાદને), મદ્યના રસને, માંસના રસને અને સ્રીવિલાસના રસને જાણીને જેઓ તેનાથી વિરક્ત થાય છે તે અતિ દુષ્કર કાર્યના કરનારા છે. તેને હું વંદના કરું છું. વળી સત્ત્વ વિનાનો હું ક્યાં અને ધીર બુદ્ધિવાળા સ્થૂલભદ્ર ક્યાં? સરસવનો કણ ક્યાં અને હેમાદ્રિ પર્વત ક્યાં? ખદ્યોત ક્યાં અને સૂર્ય ક્યાં?’' આ પ્રમાણે કહીને તે મુનિ આલોચના લઈ દુષ્કર તપ કરવા લાગ્યા. અહીં કોશા પોતાના સ્થૂલભદ્ર ગુરુની નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગી– सार्धद्वादशकोटीनां, स्वर्णं यो मामदाद्गृहे । स द्वादशव्रतान्येवं, साधुत्वेऽपि ददावहो ॥ १ ॥ ભાવાર્થ-જેણે સાડાબાર કરોડ સોનામહોરો મારા ઘરમાં આવીને મને આપી હતી તેણે જ સાધુ અવસ્થામાં પણ મારે ત્યાં આવીને મને બાર વ્રત આપ્યાં.’’ येन दत्तं पुरा दानं तेनैव दीयते पुनः । चातको रटते नित्यं, दानं यच्छेत् पयोमुचः ॥२॥ ભાવાર્થ-‘જેણે પ્રથમ દાન આપ્યું હોય છે તે જ ફરીથી પણ દાન આપે છે. જુઓ! ચાતક પક્ષી જળને માટે નિરંતર યાચના કરે છે અને મેઘ નિરંતર દાન આપે છે.'' धनदानादयाचित्वमाजन्मनिर्मितं સુસ્વમ્ । વ્રતવાના વેડનત્તે, સૌથો મમ સર્વવા ॥॥ ભાવાર્થ-‘સ્થૂલભદ્રે ધનનું દાન આપીને આ જન્મપર્યંત અયાચક વૃત્તિનું મને સુખ આપ્યું, અને વ્રતનું દાન આપીને અનંત ભવનું સુખ મને આપ્યું; એટલે સર્વદા તે તો મને સુખ આપનાર જ થયા. આ સ્થૂલભદ્ર મુનીન્દ્રના ગુણનું વર્ણન ચોરાશી ચોવીશી સુધી સર્વ તીર્થંકરો કરશે. ‘ઘણા દિવસ સુઘી સ્ત્રીઓના સંગમાં રહ્યા છતાં પણ સ્થૂલભદ્ર મુનિએ પોતાના શીલનો ભંગ કર્યો નહીં. તે જોઈને બીજા સાધુઓએ પણ સિંહગુફાવાસી મુનિના જેવું સ્ત્રીના સંબંધમાં નિઃશંક મન કરવું નહીં.'' વ્યાખ્યાન ૩૪૦ મનુષ્યભવની દુર્લભતા सम्बन्धैर्दशभिर्ज्ञेयो, मनुष्यभवदुर्लभः । तन्मध्ये पाशकज्ञातं, लिख्यते पूर्वशास्त्रतः ॥ १ ॥ ભાવાર્થ-“દશ દૃષ્ટાંતે કરીને મનુષ્યભવ દુર્લભ છે એમ જાણવું. તે દશ દૃષ્ટાંતમાંથી આ સ્થળે પૂર્વ શાસ્ત્રને અનુસારે પાશાનું દૃષ્ટાંત લખીએ છીએ. પાશાનું દૃષ્ટાંત (ચાણાક્યની કથા) ગોલ્લદેશમાં ચણક નામનો એક જૈન બ્રાહ્મણ રહેતો હતો. તેને ચણેશ્વરી નામની પત્ની હતી. તે થી તેને ચાણાક્ય નામનો જન્મથી જ દાંતવાળો પુત્ર થયો હતો. એકદા તેને ઘેર કોઈ જ્ઞાની મુનિ આહાર માટે આવ્યા. તે વખતે મુનિને નમીને તે દંપતીએ પૂછ્યું કે ‘“હે પૂજ્ય! આ પુત્ર દાંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy