SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૩ આપની કામાતુર પ્રિયાના મનોરથને સફળ કરો. ફરીથી પણ આ તપસ્યા તો સુખ પ્રાપ્ત થશે, પણ આવી પ્રેમી યુવતી ફરીથી મળશે નહીં.” તે સાંભળીને મુનિએ કોશાને કહ્યું કે “અનંતી વાર અનેક ભવમાં કામક્રીડાદિ કરેલ છે, તો પણ હજુ સુધી શું તું તેની જ ઇચ્છા કરે છે? શું હજુ તને તૃપ્તિ થઈ નથી કે જેથી મારી સન્મુખ આ નૃત્યાદિક પ્રયત્નો કરે છે? જો કદાચ આવું નૃત્ય પ્રશસ્ત ભાવ વડે પરમાત્માની સ્તુતિપૂર્વક તેમની પાસે કર્યું હોય તો સર્વ સફળ થાય; પરંતુ તું તો ભોગની ઇચ્છાથી દીન વાણી બોલે છે, અને સખીઓને લાવીને ભોગપ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે, પરંતુ તું શા માટે આ જન્મ તથા જીવનને વૃથા ગુમાવે છે? હે બુદ્ધિશાળી કોશા! તે સર્વ પ્રયત્ન પોતાના આત્માના હિતને વિષે જ કર.” આ પ્રમાણેનાં સ્થૂલભદ્ર મુનિનાં વચનો સાંભળીને કોશાએ વિચાર્યું કે “આ મુનિનું જિતેન્દ્રિયપણું મારા જેવી અસંખ્ય ચતુર નાયિકાથી પણ જીતી શકાય તેવું નથી.” એમ વિચારીને તે બોલી કે “હે મુનિરાજ! મેં અજ્ઞાનતાને લીધે આપની સાથે પૂર્વે કરેલી ક્રીડાના લોભથી આજે પણ ક્રીડાની ઇચ્છા વડે આપને ક્ષોભ પમાડવા માટે અનેક ઉપાયો કર્યા છે, હવે તે મારો અપરાધ ક્ષમા કરો.” પછી મુનિએ તેને યોગ્ય જાણીને શ્રાવકઘર્મનો ઉપદેશ કર્યો. તે પણ પ્રતિબોધ પામીને શ્રાવિકા થઈ, અને “નંદરાજાએ મોકલેલા પુરુષ વિના બીજા સર્વ મારે બંધુ સમાન છે” એવો અભિગ્રહ લીધો. હવે વર્ષાઋતુ પૂર્ણ થઈ ત્યારે પેલા ત્રણે સાધુઓ પોતપોતાના અભિગ્રહનું યથાવિધિ પ્રતિપાલન કરીને ગુરુ પાસે આવ્યા. તેમાં પ્રથમ સિંહની ગુફા પાસે રહેનાર સાધુને આવતા જોઈને ગુરુ કાંઈક ઊઠીને બોલ્યા કે “હે વત્સ! દુષ્કર કાર્ય કરનાર! તું ભલે આવ્યો, તને સાતા છે?” તે જ પ્રમાણે બીજા બે સાઘુઓ આવ્યા, ત્યારે તેમને પણ તે જ રીતે ગુરુએ આવકાર આપ્યો. પછી સ્થૂલભદ્રને આવતા જોઈને ગુરુ ઊભા થઈને બોલ્યા કે “હે મહાત્મા! હે દુષ્કર દુષ્કર કાર્યના કરનાર! તું ભલે આવ્યો.” તે સાંભળીને પેલા ત્રણે સાધુઓએ ઈર્ષાથી વિચાર્યું કે “આ સ્થૂલભદ્ર મંત્રીનો પુત્ર હોવાથી જ તેમને ગુરુ બહુમાનથી બોલાવે છે. ચિત્રશાળામાં રહેલા, પરસ ભોજનનો આહાર કરનારા અને સ્ત્રીઓના સંગમાં વસેલા આ સ્થૂલભદ્રને ગુરુએ અતિ દુષ્કર કાર્ય કરનાર કહ્યો, તો હવે અમે પણ આવતા ચાતુર્માસમાં તેવો જ અભિગ્રહ કરીશું.” એમ વિચારીને મહા કષ્ટ આઠ માસ વ્યતીત કર્યા. પછી વર્ષાકાળ આવ્યો ત્યારે સિંહગુફાવાસી અભિમાની સાઘુએ સૂરિને કહ્યું કે “આ ચાતુર્માસ હું સ્થૂલભદ્રની જેમ કોશાના ઘરમાં રહીશ.” ગુરુએ વિચાર્યું કે “જરૂર આ સાધુ સ્થૂલભદ્રની સ્પર્ધાથી આવો અભિગ્રહ કરે છે.” પછી ગુરુએ ઉપયોગ આપીને તેને કહ્યું કે “હે વત્સ! એ અભિગ્રહ તું ન લે, તે અભિગ્રહનું પાલન કરવામાં તો સ્થૂલભદ્ર એક જ સમર્થ છે, બીજો કોઈ સમર્થ નથી. કેમકે अपि स्वयंभूरमणस्तरीतुं शक्यते सुखम् । अयं त्वभिग्रहो धर्तु, दुष्करेभ्योऽपि दुष्करः॥४॥ કદાચ સ્વયંભૂરમણ સમુદ્ર પણ સુખેથી તરી શકાય, પણ આ અભિગ્રહ ઘારણ કરવો તે તો દુષ્કરથી પણ દુષ્કર છે.” આ પ્રમાણેના ગુરુએ કહેલા વચનની અવગણના કરીને તે વિમાની સાધુ કોશાને ઘેર ગયા. કોશાએ તેને જોઈને વિચાર્યું કે “જરૂર આ સાધુ મારા ઘર્મગુરુની સ્પર્ધાથી જ અહીં આવ્યા જણાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy