SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શીલની દૃઢતા સ્થૂલભદ્ર મુનિની કથા એકદા વર્ષાઋતુ આવતાં શ્રી સંભૂતિવિજય સૂરિને વંદના કરીને ત્રણ મુનિઓએ જુદા જુદા અભિગ્રહ લીધા. તેમાં પહેલા મુનિએ કહ્યું કે ‘હું ચાર માસ સુધી સિંહની ગુફાને મોઢે ઉપવાસ કરીને કાયોત્સર્ગે રહીશ.’’ બીજા મુનિએ કહ્યું કે ‘“હું ચાર માસ સુધી દૃષ્ટિવિષ સર્પના બિલને મોઢે કાયોત્સર્ગ ઘારણ કરીને ઉપોષિત રહીશ.'' અને ત્રીજાએ કહ્યું કે “હું ચાર માસ સુધી કૂવાના ભારવટ ઉપર કાયોત્સર્ગ કરીને ઉપોષિત રહીશ.'' તે ત્રણે મુનિઓને યોગ્ય જાણીને ગુરુએ તેમને આજ્ઞા આપી. પછી સ્થૂલભદ્ર મુનિએ ઊઠીને ગુરુને વિજ્ઞપ્તિ કરી કે ‘“હું ચાર માસ સુધી ઉગ્ર તપ કર્યા વિના ષડ્રેસવાળા ભોજનનો આહાર કરીને કોશા વેશ્યાના ઘરમાં રહીશ.’’ ગુરુએ ઉપયોગ દઈને તેને યોગ્ય ધારીને તેમ કરવાની આજ્ઞા આપી. પછી સર્વે મુનિઓ પોતે અંગીકાર કરેલા સ્થાને ગયા. તે વખતે સમતા ગુણવાળા અને ઉગ્ર તપને ઘારણ કરનારા તે મુનિવરોને જોઈને તે સિંહ, સર્પ અને કૂવાનો રેંટ ફેરવનાર એ ત્રણે શાંત થઈ ગયા. વ્યાખ્યાન ૩૩૯] સ્થૂલભદ્ર પણ કોશાને ઘેર ગયા. ત્યાં તેમને આવતા જોઈને કોશાએ વિચાર્યું કે “આ સ્થૂલભદ્ર ચારિત્રથી ઉદ્વેગ પામી વ્રતનો ભંગ કરીને આવ્યા જણાય છે, માટે હજુ સુધી મારું ભાગ્ય જાગતું છે.’’ એમ વિચારીને કોશા એકદમ ઊઠી મુનિને મોતીથી વધાવી બે હાથ જોડી ઊભી રહીને બોલી કે ‘પૂજ્ય સ્વામી! આપ ભલે પધાર્યા. આપના આગમનથી આજે અંતરાય ક્ષય થવાને લીધે મારું પુણ્ય પ્રગટ થયું છે. આજે મારા પર ચિંતામણિ, કામઘેનુ, કલ્પવૃક્ષ તથા કામદેવ વગેરે દેવતાઓ પ્રસન્ન થયા એમ હું માનું છું. હવે હે નાથ! પ્રસન્ન થઈને મને જલદીથી આજ્ઞા આપો. આ મારું ચિત્ત, વિત્ત, શરીર અને ઘર એ સર્વ આપનું જ છે. મારું યૌવન પ્રથમ આપે જ સફળ કર્યું છે. હમણાં હિમથી બળી ગયેલી કમલિનીની જેમ આપના વિરહથી દગ્ધ થયેલા આ મારા શરીરને નિરંતર આપના દર્શન તથા સ્પર્શ વડે આનંદિત કરો.” તે સાંભળીને સ્થૂલભદ્ર બોલ્યા કે ‘‘આ કામશાસ્ત્રને અનુસારે બનાવેલી તારી ચિત્રશાળા મને ચાર માસ સુધી રહેવા આપ.’’ તે સાંભળીને કોશાએ તરત જ ચિત્રશાળા સાફ કરીને રહેવા આપી. ત્યાં મુનિ સમાધિ ઘારણ કરીને રહ્યા. કોશાએ આપેલો કામદેવને પ્રદીપ્ત કરનાર ષડ્રેસયુક્ત આહાર કરીને પણ મુનિ સ્થિર મન રાખીને રહ્યા. કોશા વસ્ત્રાભૂષણ પહેરીને અનેક પ્રકારના હાવભાવ કરતી મુનિને ક્ષોભ પમાડવા તેમની પાસે આવી. તે વખતે મુનિએ કહ્યું કે “સાડા ત્રણ હાથ દૂર રહીને તારે નૃત્ય વગેરે જે કરવું હોય તે કરવું.’’ પછી તે કોશા સાડા ત્રણ હાથ દૂર રહીને કટાક્ષથી મુનિ સામું જોવા લાગી, લગ્નનો ત્યાગ કરીને પૂર્વે કરેલી ક્રીડાનું સ્મરણ કરાવવા લાગી, અને ગાત્રને વાળવાની ચતુરાઈથી ત્રિવળી વડે સુંદર એવો મધ્ય ભાગ દેખાડતી, તથા વસ્ત્રની ગાંઠ બાંધવાના મિષથી ગંભીર નાભિરૂપી કૂપને પ્રગટ કરતી કોશા તેમની સમક્ષ વિશ્વને મોહ પમાડનારું નાટક કરવા લાગી; તો પણ સ્થૂલભદ્ર જરા પણ ક્ષોભ પામ્યા નહીં. પછી તે કોશા પોતાની સખીઓને લઈને આવી. તેમાંથી એક નિપુણ સખી બોલી કે “હે પૂજ્ય! કઠિનતાનો ત્યાગ કરીને ઉત્ત૨ આપો કેમકે મુનિઓનું મન હમેશાં કરુણાએ કરીને કોમળ હોય છે, ભાગ્યહીન પુરુષો જ પ્રાપ્ત થયેલા ભોગને ગુમાવે છે, માટે હે પાપરહિત મુનિ! આપના વિયોગથી કૃશ થયેલી અને આપને જ માટે મરવાને તૈયાર થયેલી આ www.jainelibrary.org Jain Education International ૧૭૯ For Private & Personal Use Only
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy