SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૩૧] યોગ ૧૫૭ સ્નેહ થવા લાગ્યો. એવામાં કોઈ કેવળજ્ઞાની તે ગામે પધાર્યા. તેને પુરોહિતે નમ્રતાથી પૂછ્યું કે ‘‘હે પૂજ્ય ! આ ડુંબના ઉપર મને ઘણો પ્રેમ થાય છે તેનું શું કારણ?’’ ત્યારે કેવળીએ તેના પૂર્વ ભવનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને તે ગાયકને જાતિસ્મરણ જ્ઞાન થયું; તેથી તે કેવળી પરમાત્માનાં વચન સાંભળવાનો રસિક થયો. પછી ગાયકે પોતાના ઉદ્ધારનો ઉપાય પૂછ્યો; ત્યારે શ્રી કેવળીએ અનેક સ્યાદ્વાદ પક્ષથી યુક્ત એવું મન, વચન અને કાયારૂપ ત્રણ યોગની શુદ્ધિનું સ્વરૂપ પ્રકાશિત કર્યું, તથા મોક્ષના હેતુરૂપ પાંચ યોગના સ્વરૂપનું પણ નિરૂપણ કર્યું. તે આ પ્રમાણે— मोक्षेण योजनाद्योगः, सर्वोऽप्याचार इष्यते । विशिष्य स्थानवर्णार्था-लंबनैकाग्रगोचरः ॥१॥ ભાવાર્થ-સર્વ આચાર મોક્ષની સાથે યોગ કરનાર હોવાથી યોગરૂપ કહેલા છે. તેમાં પણ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એ પાંચને વિશેષે કરીને યોગરૂપ માનેલા છે.’’ અહીં મિથ્યાત્વાદિકના કારણભૂત એવા મન, વચન, કાયાના યોગ કર્મવૃદ્ધિ કરવાના હેતુભૂત હોવાથી ગ્રહણ કરવા નહીં; પણ મોક્ષ સાધનના હેતુભૂત યોગનું જ ગ્રહણ કરવું. સમગ્ર કર્મનો જે ક્ષય તે મોક્ષ છે. મોક્ષની સાથે જોડનાર હોવાથી તે યોગ કહેવાય છે. જિનશાસનમાં કહેલા ચરણ સતિ, કરણ સાતિ રૂપ સર્વ આચાર મોક્ષના ઉપાયભૂત હોવાથી યોગ છે. તેમાં પણ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એ પાંચ પ્રકારના યોગને વિશેષે કરીને મોક્ષસાધનના ઉપાયમાં હેતુ માનેલા છે. અનાદિ કાળથી પરભાવમાં આસક્ત થયેલા પ્રાણીઓ ભવભ્રમણ કરનારા હોવાથી પુદ્ગલના ભોગવિલાસમાં મગ્ન થયેલા હોય છે. તેમને આ યોગ પ્રાપ્ત થતા નથી; પરંતુ અમારે તો એક મોક્ષ જ સાધ્ય છે એમ ધારીને જે પ્રાણી ગુરુસ્મરણ તથા તત્ત્વજિજ્ઞાસા વગે૨ે યોગ વડે નિર્મળ, નિઃસંગ અને પરમાનંદમય આત્મસ્વરૂપને સંભારીને તેની જ કથા સાંભળવામાં પ્રીતિ રાખે છે તે પ્રાણીને પરંપરાએ આ યોગ સિદ્ધ થાય છે; પણ મરુદેવા માતાની જેમ સર્વ પ્રાણીઓને અલ્પ પ્રયાસે સિદ્ધિ પ્રાપ્ત થતી નથી; કેમકે મરુદેવા માતાને તો આશાતનાદિક દોષ અત્યંત અલ્પ હતા, તેથી તેને પ્રયાસ વિના જ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી; અને બીજા જીવોને તો આશાતનાદિ દોષ અત્યંત હોય છે, તથા ગાઢ કર્મના બંધનવાળા હોવાને લીધે તેમને તો સ્થાનાદિક ક્રમે કરીને જ સિદ્ધિ પ્રાસ થાય છે. તેમાં સ્થાન એટલે વંદના કરવી, કાયોત્સર્ગે ઊભા રહેવું, વીરાદિક આસન વાળવા તથા મુદ્રાઓ કરવી વગેરે; વર્ણ એટલે અક્ષરોના શુદ્ધ ઉચ્ચાર કરવા, અર્થ એટલે વાક્યનો ભાવાર્થ ચિંતવવો, આલંબન એટલે અર્હત્સ્વરૂપવાચ્ય પદાર્થમાં જ ઉપયોગ રાખવો, અને એકાગ્રતા એટલે શુદ્ધ સ્વરૂપમાં નિશ્ચળતા કરવી. જ્યાં સુધી ધ્યાનની એકતા ન થાય ત્યાં સુધી અંગન્યાસ (આસન), મુદ્રા અને વર્ણની શુદ્ધિપૂર્વક આવશ્યક, ચૈત્યવંદન, પડિલેહણ વગેરે ક્રિયાઓ ઉપયોગની ચપળતાના નિવારણ માટે અવશ્ય કરવી; કેમકે તે સર્વ જીવોને અતિશય હિતકારી છે, અને સ્થાન, વર્ણના ક્રમથી જ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. હવે તે પાંચે યોગમાં બાહ્ય અને અત્યંતર સાધકપણું બતાવે છે. યોગપંચકમાં સ્થાન અને વર્ણ એ બે કર્મયોગ બાહ્ય છે, અને બાકીના ત્રણ જ્ઞાનયોગ તે અત્યંતર છે. આ પાંચે પ્રકારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy