SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ स्वस्वकर्मकृतावेशाः, स्वस्वकर्मभुजो नराः । ન રામં નાપિ ચ દ્વેષ, મધ્યસ્થસ્તેષ ગતિ ારા ભાવાર્થ-‘પ્રાણીઓ પોતપોતાના કર્મના ઉદયથી શુભ કે અશુભ ફળની પ્રાપ્તિ થયે સતે પોતપોતાના કર્મના ફળને જ ભોગવે છે. એમ ધારીને સમાન ચિત્તવૃત્તિ ધારક માધ્યસ્થ ગુણધારી માણસ તે શુભાશુભ કર્મના ઉદયમાં રાગ કે દ્વેષને ધારણ કરતા નથી.’’ ૧૨૬ मनः स्याद्व्यापृतं यावत्, परदोषगुणग्रहे । कार्यं व्यग्रं वरं तावन् मध्यस्थेनात्मभावने || ३ || ભાવાર્થ—“જ્યારે મન, પરના દોષ અથવા ગુણને ગ્રહણ કરવામાં પ્રવૃત્ત થાય, ત્યારે મધ્યસ્થ પુરુષે તે મનને આત્મભાવનામાં સારી રીતે વ્યગ્ર કરવું–રોકી રાખવું તે જ શ્રેષ્ઠ છે.’’ આ શ્લોકે કરીને એમ સૂચિત થાય છે કે—“અમૂર્ત એવા આત્માનું અગુરુલઘુપણું, ષટ્ ગુણ હાનિ વૃદ્ધિએ પરિણમન અને ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય વગેરે લક્ષણવાળા સ્વરૂપનું ચિંતન કરવામાં વ્યગ્ર થયેલા પ્રાણીને સંસારના ગુણદોષનું ચિંતન કરવાનો અવકાશ જ મળતો નથી; તેથી કરીને નિગ્રંથ મુનિઓ તેનું જ ચિંતન કરે છે, ભાવના ચક્રને ભાવે છે, દ્રવ્યાનુયોગ ગ્રંથના પ્રશ્નો કરે છે, અને પરસ્પર સ્વભાવ વિભાવના પરિણમનનું અવલોકન કરે છે.’’ વળી विभिन्ना अपि पन्थानः, समुद्रं सरितामिव । मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवन्त्येकमक्षयम् ॥४॥ ભાવાર્થ—“નદીઓને સમુદ્ર પ્રત્યે મળવાના અનેક જુદા જુદા માર્ગો હોય છે, તેમ મધ્યસ્થ પુરુષો પણ અનેક માર્ગો વડે એક અક્ષય પરબ્રહ્મને પામે છે; અર્થાત્ દ્રવ્યાચરણથી આરંભીને શુક્લધ્યાન સુધીના સર્વ સાધનો—માર્ગસાધનની પદ્ધતિઓ જુદી જુદી છતાં સમ્યવૃષ્ટિ અપુનર્બંધકથી માંડીને જિનકલ્પી વગેરે મધ્યસ્થ ભાવવર્તી જીવોને તે સર્વ એક પરબ્રહ્મને પમાડે છે; કેમકે સર્વ સાધનો-ઉપાયો એક શુદ્ધ આત્મસ્વરૂપમાં જ અવતરે છે, અને તે સર્વનું મોક્ષ સાધન કરવું તે એક જ સાધ્ય છે.’ स्वागमं रागमात्रेण, द्वेषमात्रात् परागमम् । न श्रयामस्त्यजामो वा, किं तु मध्यस्थया दृशा ॥ ५॥ [સ્તંભ ૨૨ ભાવાર્થ-અમે રાગમાત્રે કરીને જ જિનાગમનો આશ્રય કરતા નથી. એટલે કે અમારી કુળપરંપરાથી ચાલતો આવેલો ધર્મ આ છે, માટે અમારે તેનો જ આશ્રય કરવો જોઈએ એમ ધારીને તેનો આદર કરતા નથી, તેમજ કપિલાદિક પરશાસ્ત્ર પરકીય છે એવા દ્વેષમાત્રથી જ અમે તેનો ત્યાગ કરીએ છીએ તેમ નથી. પણ યથાર્થ વસ્તુસ્વરૂપની પ્રરૂપણા વડે તે સમ્યજ્ઞાનનું કારણ છે, એમ મધ્યસ્થ દૃષ્ટિ વડે પરીક્ષા કરીને જ અમે તેનો આશ્રય કરીએ છીએ.’’ કહ્યું છે કે— पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । યુમિદ્વપનું ચર્ચ, તસ્ય વાર્થ: પરિગ્રઃ ||શા ભાવાર્થ–મને વીરસ્વામી પર પક્ષપાત નથી, તેમજ કપિલાદિક (અન્યધર્મીઓ) ઉ૫૨ દ્વેષ નથી; પણ જેનું વચન યુક્તિવાળું હોય તેનું જ વચન ગ્રહણ કરવા લાયક છે, એવો મારો નિશ્ચય છે.’’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy