SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ અહીં મૂળ શ્લોકમાં ‘વીરાસનાવિ’ શબ્દમાં ‘બાવિ' શબ્દ મૂક્યો છે, તેથી ઉગ્રાસન વગેરે આસનો જાણવાં તથા કેશલુંચન પણ જાણવું. તે વિષે કહ્યું છે કે– वीरासण उक्कुड आसणाई, लोआइओ अ विन्नेओ । कायकिलेसो संसारवासनिव्वेअ હેત્તિ શા ભાવાર્થ “વીરાસન, ઉત્કટાસન વગેરે તથા કેશલોચ વગેરે કાયક્લેશ સંસારવાસમાં નિર્વેદ (ખેદ) કરવાના હેતુભૂત જાણવા.’ ,, કેશલોચ વિષે બીજા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે– पश्चात्कर्म पुरःकर्म जीवहिंसा परिग्रहाः । दोषा ह्येते परित्यक्ताः, शिरोलोचं प्रकुर्वता ॥ १ ॥ ભાવાર્થ-કેશનો લોચ કરનાર પુરુષે પશ્ચાત્કર્મ, પૂર્વકર્મ, જીવહિંસા અને પરિગ્રહ એટલા દોષોનો ત્યાગ કર્યો છે એમ સમજવું.’' સ્થાનાંગ સૂત્રમાં દશ પ્રકારનો લોચ કહેલો છે. તેમાં પાંચ ઇન્દ્રિયોનો જય અને ચાર કષાયનો ત્યાગ એ નવ પ્રકારે ભાવલોચ કહેલો છે અને દશમો કેશલોચ એ દ્રવ્યલોચ કહેલો છે. તે દ્રવ્યલોચ નવ પ્રકારના ભાવલોચપૂર્વક કરવો જોઈએ. અહીં ચાર ભાંગા થાય છે તે આ પ્રમાણે-(૧) કોઈ પ્રથમ ભાવલોચ કરીને પછી દ્રવ્યલોચ કરે છે. કહ્યું છે કે,“સાધુ હોય તે જ સાધુ થાય છે.’’ આ ઉપર જંબૂસ્વામી વગેરેનાં દૃષ્ટાંત જાણવાં. (૨) કોઈ પ્રથમ ભાવલોચ કરે છે, પછી દ્રવ્યલોચ કરતા નથી. અહીં મરુદેવી માતા વગેરેનાં દૃષ્ટાંતો જાણવાં. (૩) કોઈ પ્રથમ દ્રવ્યલોચ કરીને પછી ભાવલોચ કરે છે. તે ઉપર દ્રુમ્ભક સાધુ વગેરેનાં દૃષ્ટાંત જાણવાં. (૪) અને કોઈ પ્રથમ દ્રવ્યલોચ કરીને પછી ભાવલોચ કરતા નથી. અહીં ઉદાયી રાજાને મારનાર વિનયરત્નનું દૃષ્ટાંત જાણવું, અથવા આધુનિક વેષઘારી અને આજીવિકા માટે યતિલિંગ ધારણ કરનારનાં દૃષ્ટાંતો જાણવાં. અહીં કોઈ શંકા કરે કે,‘પરિષષ્ઠમાં અને આ કાયક્લેશમાં શો તફાવત છે?’’ તેનો જવાબ આપે છે કે,“પરીષહ પોતાથી અને બીજાથી એમ બન્ને પ્રકારથી ઉત્પન્ન થતાં ક્લેશરૂપ હોય છે, અને કાયક્લેશ માત્ર પોતે કરેલા ક્લેશના અનુભવરૂપ હોય છે, એટલો તેમાં તફાવત છે.’’ આ કાયક્લેશ તપ કરવાથી નિરંતર કર્મક્ષયરૂપી ગુણ પ્રાપ્ત થાય છે, તેથી છદ્મસ્થ જિનકલ્પી વગેરે પ્રાયે નિરંતર ઊભા જ રહે છે, અને કદાચ બેસે છે તો પણ ઉત્કટિક વગેરે વિષમ આસનવડે જ બેસે છે. તે જ ભવમાં સિદ્ધિગામી શ્રી વીરપ્રભુએ આ તપ સારી રીતે આચર્યું છે; કેમકે શ્રી વીરપ્રભુ છદ્મસ્થ અવસ્થામાં સાડા બાર વર્ષ અને પંદર દિવસ સુધી રહ્યા, તેમાં કોઈ પણ વખતે તે પર્યસ્તિકા (પલાંઠી) વાળીને એક ક્ષણવાર પણ બેઠા નથી, તેમ જ એક મુહૂર્ત માત્ર નિદ્રા લીઘી છે તે પણ ઊભા રહીને જ લીધેલી છે. જ આ કાયક્લેશ તપ પણ સિદ્ધાંતની યુક્તિને અનુસરીને કર્યું હોય તો જ ફળદાયી થાય છે, નહીં તો બાળ તપસ્વીઓ ઘણા પ્રકારના કાયક્લેશને સહન કરે છે, કમઠાદિકની જેમ પંચાગ્નિ તપ કરે છે, સૂર્ય સન્મુખ દૃષ્ટિ રાખીને તથા ઊંચા હાથ રાખીને ઊભા રહે છે, પંચકેશ વધારે છે, તથા વૃક્ષની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy