SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ s વ્યાખ્યાન ૩૧૧] જ્ઞાનયુક્ત ક્રિયા ફળદાયી સંભવનાથ સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી અને મહાનંદપદની સાધનામાં પ્રવર્યા. અનુક્રમે મહાનંદપદ પ્રાપ્ત કર્યું. પોતાનો આત્મઘર્મ તિરોહિત થયો હોય તે પ્રશસ્ત યોગના સેવનથી સમ્યફ પ્રકારે આવિર્ભાવને પામે છે–પ્રગટ થાય છે, માટે સુભાનુકુમારની જેમ પરવસ્તુ પરના રાગનો તત્કાળ ત્યાગ કરવો, કે જેથી પ્રશસ્ત યોગ પ્રાપ્ત થાય.” વ્યાખ્યાન ૩૧૧ જ્ઞાનયુક્ત ક્રિયા ફળદાયી जिताक्षः साम्यशुद्धात्मा, तत्त्वबोधी क्रियापरः । विश्वांभोधेः स्वयं तीर्णः, अन्यानुत्तारणे क्षमः॥१॥ ભાવાર્થ-“સામ્યપણાએ કરીને જેને આત્મા શુદ્ધ છે, જેણે ઇન્દ્રિયોનો જય કરેલો છે, જે તત્ત્વને જાણે છે અને જે શુદ્ધ ક્રિયામાં તત્પર છે, તે પ્રાણી પોતે સંસારસાગરને તરે છે અને બીજાને તારવા સમર્થ થાય છે.” તત્ત્વબોઘી એટલે યથાર્થ સ્વરૂપને જાણનાર, ક્રિયાપર એટલે આત્મસાઘનના કારણને અનુસરનારી યોગપ્રવૃત્તિરૂપ અથવા આત્મગુણને અનુસરનારી આત્મવીર્યની પ્રવૃત્તિરૂપ એવી જે ક્રિયા તેમાં તત્પર થયેલો. જે કરાય તે ક્રિયા કહીએ. તે ક્રિયા સાધક અને બાઘક એવા ભેદે કરીને બે પ્રકારની છે. તેમાં આ અનાદિ સંસારમાં અશુદ્ધ એવી કાયા વગેરેના વ્યાપારથી ઉત્પન્ન થયેલી જે ક્રિયા તે બાધક ક્રિયા કહેવાય છે. અને શુદ્ધ એવી સમિતિ ગુતિ વગેરેથી ઉત્પન્ન થયેલી કાયાદિકની ક્રિયા તે સાઘક ક્રિયા કહેવાય છે. આ શુદ્ધ ક્રિયા અશુદ્ધ ક્રિયાને દૂર કરે છે. સંસારનો નાશ કરવા સારુ સંવર અને નિર્જરારૂપ ક્રિયા કરવી તે ભાવ ક્રિયા કહેવાય છે. બીજી નામ ક્રિયા, સ્થાપના ક્રિયા અને દ્રવ્ય ક્રિયા પૂર્વની જેમ જાણી લેવી. નૈગમ નય ક્રિયા કરવાના સંકલ્પને જ ક્રિયા કહે છે. સંગ્રહ નય સર્વે સંસારી જીવોને સક્રિય કહે છે. વ્યવહાર નય શરીર પર્યાતિ પૂર્ણ થયા પછીની ક્રિયાને ક્રિયા કહે છે. ઋજુસૂત્રનય કાર્યનું સાઘન કરવા માટે યોગવીર્યની પ્રવૃત્તિના પરિણામરૂપ ક્રિયાને ક્રિયા કહે છે. શબ્દ નય આત્મવિર્યની ફુરણારૂપ ક્રિયાને ક્રિયા કહે છે. સમભિરૂઢ નય આત્મગુણનું સાધન કરવા માટે કરાતી સકળ કર્તવ્ય વ્યાપારરૂપ ક્રિયાને ક્રિયા કહે છે; અને એવંભૂત નય આત્મતત્ત્વના એકત્વપણારૂપ વીર્યની તીક્ષ્ણતાને ઉત્પન્ન કરવામાં એકાંત સહાયકારક ગુણપરિણામરૂપ ક્રિયાને જ ક્રિયા કહે છે. અહીં સ્વરૂપનું ગ્રહણ અને પરભાવના ત્યાગરૂપ ક્રિયા જ મોક્ષને સાઘનારી છે. માટે જ્ઞાનતત્ત્વ વડે કરીને આત્મતત્ત્વ સાધવા માટે સમ્યક ક્રિયા કરવી જોઈએ. કહ્યું છે કે "ज्ञानाचारादयोऽपीष्टाः शुद्धस्वस्वपदावधि ।" પોતપોતાનું શુદ્ધ સ્થાન પ્રાપ્ત થાય ત્યાં સુધી જ્ઞાનાચાર વગેરે પણ ઇષ્ટ માનેલા છે. આનું તાત્પર્ય એ છે કે–સાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યાં સુધી નિરંતર નિઃશંકતા વગેરે આઠ દર્શનાચારનું સેવન કરવું. કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી કાળ, વિનય વગેરે આઠ જ્ઞાનાચારનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy