SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૧ તે દ્રવ્યત્યાગ છે અને અંતરંગ વૃત્તિથી રાગ, દ્વેષ તથા મિથ્યાત્વ વગેરે આસ્રવ પરિણતિનો ત્યાગ કરવો તે ભાવત્યાગ છે. ۹۱۰ વિષ ગરલ અનુષ્ઠાન વડે કરીને જે ત્યાગ તે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયે સમજવો, કડવા વિપાકની ભીતિથી જે ત્યાગ તે ઋજુસૂત્ર નયે જાણવો, તદ્વેતુક્રિયાપણે ત્યાગ તે શબ્દ ને સમભિરૂઢ નયે સમજવો, અને વર્જવાના યત્ન વડે સર્વથા વર્જન તે એવંભૂત નયે સમજવું. ઇત્યાદિ અનેક યુક્તિવાળા ઉપદેશને સાંભળીને ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમ વડે સર્વવિરતિ ગ્રહણ કરવાની જેની બુદ્ધિ થઈ છે એવો સુભાનુકુમાર પ્રભુના ચરણકમળમાં વંદના કરીને બોલ્યો કે ‘શરણરહિત પ્રાણીઓને શરણ આપવામાં સાર્થવાહ સમાન અને ભવસમુદ્રથી તારનાર એવા હે પ્રભુ! હે સ્વામી! મને સર્વવિરતિ સામાયિકનો ઉપદેશ કરો (આપો) કે જેથી વિષય કષાયાદિકનો ત્યાગ વૃદ્ધિ પામે.’’ તે સાંભળીને ભગવાને તેને સામાયિક ચારિત્ર આપ્યું. તેણે મહાવ્રત ગ્રહણપૂર્વક સાધુપણું અંગીકાર કર્યું. તે જ વખતે તેનું આયુષ્ય પૂર્ણ થવાથી તે કુમાર મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. તેવામાં તે કુમારનો પિતા પરિવાર સહિત પ્રભુને વાંદવા આવ્યો. ત્યાં પોતાના પુત્રને મરેલો જોઈને તેને અતિ ખેદ થયો. તેની માતા પુત્રવિયોગથી વિલાપ કરતી રુદન કરવા લાગી. તે વખતે સુભાનુકુમારનો જીવ તત્કાળ દેવપણું પામીને પ્રભુની પાસે આવ્યો. ત્યાં પોતાના માતાપિતાને વિલાપ કરતાં જોઈને તે દેવે તેમને કહ્યું કે “તમને એવું શું દુઃખ પડ્યું છે કે પરમ સુખદાયક એવા શ્રી જિનેશ્વરના ચરણકમળને પામીને પણ તમે રુદન કરો છો?' તે સાભંળીને રાજા તથા રાણી બોલ્યા કે “અમારો અત્યંત પ્રિય પુત્ર મૃત્યુ પામ્યો, તેનો અમારે વિયોગ થયો, તે દુઃખ અમારાથી સહન થતું નથી.’’ દેવ બોલ્યો કે “હે રાજા! તે પુત્રનું શરીર તમને પ્રિય છે કે તેનો જીવ પ્રિય છે? જો તેનો જીવ પ્રિય હોય તો તે હું છું, માટે મારા પર પ્રીતિ કરો, અને જો તેનું શરીર પ્રિય હોય તો આ તેના પડેલા શરી૨ પર પ્રીતિ કરો. હે માતા! તમે કેમ વારંવાર વિલાપ કરો છો? તમારો પુત્ર કયે ઠેકાણે—શ૨ી૨માં કે જીવમાં-ક્યાં રહેલો છે? તેનું શરીર અને જીવ એ બન્ને તમારી પાસે જ છે, માટે રુદન કરવું યુક્ત નથી.’’ તે સાંભળીને રાજા બોલ્યો કે “તારે વિષે અથવા આ પડેલા શરીરને વિષે એકે ઉપર અમને પ્રીતિ થતી નથી.’’ દેવ બોલ્યો કે ‘‘ત્યારે તો સ્વાર્થ જ સર્વ પ્રાણીને ઇષ્ટ છે, અને પરમાર્થ કોઈને ઇષ્ટ નથી એવું થયું. આ જગતના સર્વ પદાર્થ અનિત્ય છે, અસત્ય એવો સર્વ સંબંઘ અવાસ્તવિક છે. તેમાં તમે કેમ મોહ પામો છો? સર્વ લૌકિક સંબંધ ભ્રાંતિરૂપ જ છે. હે માતાપિતા! વિરતિરહિત પ્રાણીઓનો સંબંધ અનાદિકાળથી હોય છે; પણ તે અધ્રુવ છે, માટે હવે શાશ્વત રહેનારા અને શુદ્ધ એવા શીલ શમ દમાદિ બંઘુઓનો સંબંધ કરવા યોગ્ય છે. મારો ને તમારો સંબંધ પણ અનાદિ છે; પરંતુ તે અનિત્ય હોવાથી હવે હું નિત્ય એવા શમદમાદિ બંધુઓ સાથે સંબંધ જોડવા ઇચ્છું છું—તેનો આશ્રય કરું છું. એક સમતારૂપી કાંતાને જ હું અંગીકાર કરું છું, અને સમાન ક્રિયાવાળી જ્ઞાતિને હું આદરું છું. બીજા સર્વ બાહ્ય વર્ગનો (બાહ્ય કુટુંબનો) ત્યાગ કરીને હું ધર્મસંન્યાસી થયો છું. ઉદયિક સંપદાઓનો ત્યાગ કરવાથી જ ક્ષાયોપશમિક સ્વસંપદા પ્રાસ થાય છે, અને ત્યાર પછી ક્ષાયિક ભાવની રત્નત્રયરૂપ સંપદા પ્રાપ્ત થાય છે.' ઇત્યાદિ દેવના કરેલા ઉપદેશથી રાજા પોતાના સમગ્ર કુટુંબ સહિત પ્રતિબોધ પામ્યો; એટલે તેમણે શ્રીમાન્ ૧. આ સાત નયે ત્યાગ બરાબર ગુરુગમથી સમજવા યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy