SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદુ ભાષાંતર–ભાગ ૪ [તંભ ૧૫ અર્થ-“જીવનો વઘ કરનાર નર્ટે જાય છે અને દયા પાળનાર સ્વર્ગે જાય છે; હું તો એ બે માર્ગ જાણું છું, તને ગમે તે માર્ગે જા.” - આ પ્રમાણે વેઘ કરે તેવી દૂઘ જેવી તેની વાણી સાંભળીને તે રાજાને તત્કાળ વિવેક ઉત્પન્ન થયો; તેથી તેણે ત્યાં જ જીવનપર્યત પ્રાણીવઘ ન કરવાનો નિયમ ગ્રહણ કર્યો, તથા તે ચારણનો અશ્વો તથા ગામ વગેરે આપીને ગુરુની જેમ તેનો સત્કાર કર્યો. | વિક્રમ રાજાએ સિદ્ધસેન ગુરુને મન વડે પ્રણામ કર્યો, તે જાણીને ગુરુએ તેને ઘર્મલાભ આપ્યો. રાજાએ પૂછ્યું કે-“હે પૂજ્ય ગુરુ! આ ઘર્મલાભથી શું લાભ થાય?” ત્યારે ગુરુએ કહ્યું કે दुर्वारा वारणेन्द्रा जितपवनजवा वाजिनः स्यंदनौघा लीलावत्यो युवत्यः प्रचलितचमरैर्भूषिता राज्यलक्ष्मीः । उच्चैः श्वेतातपत्रं चतुरुदधितटीसंकटा मेदिनीयं प्राप्यन्ते यत्प्रभावात्रिभुवनविजयी सोऽस्तु ते धर्मलाभः॥१॥ ભાવાર્થ-જેના પ્રભાવથી મદોન્મત્ત હસ્તીઓ, પવનના વેગને જીતનારા ઘોડાઓ, રથના સમૂહ, વિલાસવાળી સ્ત્રીઓ, ચલાયમાન શ્વેત ચામરોથી શોભતી રાજ્યલક્ષ્મી, મોટું શ્વેત છત્ર અને ચાર સમુદ્ર પર્વતની સમગ્ર પૃથ્વી પ્રાપ્ત થાય છે. તેવો ત્રિભુવનને જીતનારો ઘર્મલાભરૂપ આશીર્વાદ તને હો.” આ પ્રમાણે સૂરિનાં વચન સાંભળી તેમના ગુણથી હર્ષ પામેલા રાજાએ તેમને એક કરોડ સોનામહોર આપી, પરંતુ સૂરિ નિઃસ્પૃહ હોવાથી તેમણે તે ઘર્મસ્થાનમાં સ્થાપન કરાવી. ઇત્યાદિ અનેક દ્રષ્ટાંતો ઉચિત દાન સંબંધી જાણવાં. (૫) હવે કીર્તિ દાન એટલે કીર્તિ વડે કરીને ભિક્ષુકાદિકને જે દાન આપવું તે વિષે કહે છે. તેના દ્રષ્ટાંતો નીચે પ્રમાણે એકદા સપાદલક્ષ દેશ (માળવા) ના અધિપતિ અર્ણ નામના રાજા ઉપર દિગ્વિજય માટે નીકળેલા કુમારપાળે ચડાઈ કરી, તે વખતે ઘોડાના પલાણને સવારો પાસે પૂંજાવ્યા. તે જોઈને તેની સાથેના બોંતેર સામંતરાજાઓએ મશ્કરી કરી કે-“આ વાણીઆ જેવો કુમારપાળ લડાઈમાં શું (સામર્થ્ય) કરશે?” આવો તેઓનો અભિપ્રાય જાણીને કુમારપાળે સોળ મણ સોપારીની ગોણી માર્ગમાં પડી હતી, તેને ભાલાના અગ્ર ભાગ વડે ઊંચી કરીને ઉછાળી અને લોઢાના સાત મોટાં કડાયાને પરસ્પર અથડાવીને લોઢાના ભાલા વડે ફોડી નાંખ્યાં. તે અવસરે યોગ્ય વચન બોલવામાં ચતુર એવા આમભટ્ટે કહ્યું કે रे रखे लहु जीवडा, रणे मयगळ मारे; न पीये अणगळ नीर, लेही राय संहारे; अवर न बंधे कोइ, सधर रयणाधर बंधे; वगे राय परमार, अपर राय निरुंधे; ओ कुमारपाळ कोपे चड्यो, फाडी सात कडाह; तिम जे जिणधम्म न मनशे, तेहनी तेहवी चाड. १ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy