SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૮૧] ચારિત્રાચારનો ચોથો-પાંચમો ભેદ ૨૯૯ અને ઉત્કૃષ્ટથી બાર યોજનનો હોય તે સ્થાન વિસ્તીર્ણ કહેવાય છે. તેમાં ઉત્કૃષ્ટ પ્રમાણ તો ચક્રવર્તીની સેનાના નિવેશમાં જાણવું. અન્યત્ર મધ્યમ પ્રમાણ જાણવું. (૭) ‘દુરવગાઢ’ એટલે જે ગંભીર (ઊંડું) સ્થાન હોય તે દુરવગાઢ કહેવાય છે. તેમાં નીચે ચાર આંગળ સુધી અગ્નિ તથા સૂર્યના તાપથી અચિત્ત ભૂમિ થયેલ હોય તે જઘન્ય જાણવું, અને પાંચ આંગળથી આરંભીને વિશેષ હોય તે ઉત્કૃષ્ટ જાણવું. (૮) ‘અનાસન્ન’ એટલે ઉપવનાદિકની અતિ સમીપે ન હોય તે અનાસન્ન સ્થંડિલ કહેવાય છે. આસન્ન(સમીપ)ના બે ભેદ છે, દ્રવ્યાસન્ન અને ભાવાસત્ર. તેમાં દ્રવ્યાસન્ન એટલે દેવાલય, હવેલી, ગામ, ઉદ્યાન, ખેતર, માર્ગ વગેરેની સમીપનું સ્થાન. તે સ્થાનમાં પરઠવવાથી સંયમનો અને પોતાનો ઘાત થવા રૂપ બે પ્રકારના દોષનો સંભવ છે. કેમકે તે દેવાલયાદિકનો અધિપતિ સાધુએ સમીપમાં ત્યાગ કરેલા પુરીષાદિને કોઈ ચાકર પાસે બીજે ઠેકાણે નંખાવીને તે સ્થાન સાફ કરાવે, તથા તે ચાકરના હાથ ધોવરાવે, તેથી સંયમનો ઉપઘાત થાય, અથવા તે સ્થાનના અધિપતિને ક્રોધ આવવાથી દ્વેષને લીધે કદાચિત્ તાડનાદિક કરે, તો તેથી આત્માનો (પોતાનો) ઉપઘાત થાય. તથા ‘ભાવાસન્ન’ એટલે ઉતાવળના કારણથી નજીકમાં જ પરઠવે તે. (૯) ‘બિલવર્જિતં’ એટલે જે પૃથ્વીમાં દ૨ વગેરે કાંઈ છિદ્ર ન હોય તે બિલવર્જિત સ્થંડિલ કહેવાય છે. તથા (૧૦) ‘ત્રસપ્રાણબીજ રહિતં' એટલે સ્થાવર અને જંગમ સમગ્ર જંતુજાતિથી રહિત જે સ્થાન હોય તે ત્રસપ્રાણબીજરહિત સ્થંડિલ કહેવાય છે. આ દશ પદોના એકસંયોગી બેસંયોગી એમ ભાંગા કરતાં એક હજાર ને ચોવીશ ભાંગા થાય છે. તેમાં છેલ્લો દશ પદનો થયેલો ભાંગો મુખ્યતાએ શુદ્ધ છે. તેવા સ્થંડિલમાં પુરીષાદિક પરઠવવું. આ પ્રમાણે પારિષ્ઠાપનિકા સમિતિ શ્રી જ્ઞાતાસૂત્ર નામના છઠ્ઠા અંગમાં વર્ણવેલા શ્રી ધર્મરુચિ સાધુની જેમ પાળવી. શ્રી ધર્મરુચિનું દૃષ્ટાંત એકદા શ્રી ધર્મઘોષસૂરિના શિષ્ય શ્રી ધર્મરુચિમુનિ ગોચરી માટે ગયા હતા. તેમાં એક નાગશ્રી નામની બ્રાહ્મણીએ કડવી તુંબડીનું શાક વહોરાવ્યું, તે તેમણે ગુરુને બતાવ્યું. ગુરુએ તે શાક અયોગ્ય અને પ્રાણનાશક જાણીને શિષ્યને કહ્યું કે “આ શાકને શુદ્ધ સ્થંડિલે પરઠવી આવો.’’ એટલે શિષ્ય ઉપર કહી તેવા પ્રકારની સ્થંડિલ ભૂમિએ જઈને વિચાર્યું કે ‘‘આ શાકમાં એવો શો દોષ હશે કે તેને પરઠવવા માટે ગુરુએ આજ્ઞા આપી?’’ પછી તેના દોષની પરીક્ષા કરવા માટે શિષ્યે તે શાકમાંથી એક બિંદુ પૃથ્વી પર મૂક્યું, તેના ગંધથી લુબ્ધ થઈને અનેક કીડીઓ ત્યાં આવી, અને તેનો રસ લેતાં જ તત્કાળ મૃત્યુ પામી. તે જોઈને તે સાધુને દયા આવવાથી તેણે વિચાર્યું કે ‘“નિર્દોષ ભૂમિમાં પણ કીડીઓ વગેરે દૂરથી આવે છે, તો તેવું શુદ્ધ સ્થંડિલ તો કોઈ પણ ઠેકાણે જણાતું નથી, અને ગુરુએ તો શુદ્ધ સ્થંડિલમાં જઈને પરઠવવાની આજ્ઞા આપી છે, તેથી મારા શરીર જેવું બીજું કોઈ સ્થંડિલ હું શુદ્ધ જોતો નથી, માટે આ શાક તેમાં જ પરઠવવું યોગ્ય છે.’’ એમ વિચારીને તે શાક તેમણે પોતે જ વાપર્યું, અને તે જ વખતે અનશન લઈને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતા થયા. આ સમિતિ ઉપર બીજું પણ વિશેષ વિવેચન સમજવા જેવું છે તે છઠ્ઠા અંગથી જાણી લેવું. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy