SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૮૧] ચારિત્રાચારનો ચોથો-પાંચમો ભેદ ૨૯૭ “જેમ ઘનશર્મા નામના બાળ સાઘુએ તે વખતે અનેષણીય જળનું પાન કર્યું નહીં, તેમ સર્વ સાધુઓએ પાપરહિત થઈને આ ચારિત્રાચારનું પાલન કરવું.” * વ્યાખ્યાન ૨૮૧ ચારિત્રાચારનો ચોથો-પાંચમો ભેદ આદાનનિક્ષેપ સમિતિ અને પારિષ્ઠાપનિકા સમિતિ હવે ચોથા તથા પાંચમા ચારિત્રાચાર વિષે કહે છે ग्राह्यं मोच्यं च धर्मोपकरणं प्रत्युपेक्ष्य यत् । प्रमाय॑ चेयमादाननिक्षेपसमितिः स्मृता ॥१॥ ભાવાર્થ-“ઘર્મનાં ઉપકરણો જોઈને તથા પ્રમાર્જીને લેવાં અથવા મૂકવાં, તે આદાનનિક્ષેપ નામની ચોથી સમિતિ કહી છે.” , ઔધિક તે રજોહરણ, મુખવસ્ત્રિકા વગેરે અને ઔપગ્રહિક તે સંથારો, દાંડો વગેરે અને બીજું પણ કોઈ પ્રયોજન માટે ઘૂળનું ઢેકું તથા કાષ્ઠાદિક જે લેવું પડે તે જોઈને તથા પડિલેહીને હસ્તાદિકમાં ગ્રહણ કરવાં, અને તેવી જ રીતે પૃથ્વી વગેરે ઉપર મૂકવાં. તે સર્વ વસ્તુ પ્રથમ નેત્ર વડે જોઈને અને રજોહરણ વગેરેથી પ્રમાર્જીને જ લેવી મૂકવી, તે વિના નહીં. કેમકે જોયા પ્રમાર્યા વિના લેવા મૂકવાથી સૂક્ષ્મ પનક (લીલ ફુલ) તથા કુંથુવા, કીડી વગેરે જીવોની હિંસા થયા, અને તેથી ચારિત્રની વિરાઘના થાય. કદાચિતું વીંછી વગેરે ડસે તો આત્માની વિરાધનાદિકનો પણ સંભવ થાય. વસ્ત્રાદિકની પડિલેહણા પણ તેવા પ્રકારે કરવી કે જેથી વાયુકાય વગેરેની જરા પણ વિરાઘના ન થાય. કેમકે પ્રમાર્જના અને પડિલેહણા જીવની દયાને માટે જ કરવામાં આવે છે; તેથી તે બન્ને ક્રિયામાં સાઘુએ અત્યંત પ્રમાદરહિત થવું. કહ્યું છે કે पडिलेहणकुणंतो, मिहो कहं कुणइ जणवयकहं वा । देइ च पच्चक्खाणं, वाएइ सयं पडिच्छइ वा ॥१॥ पुढवि आउक्काए, तेउ-वाउ-वणस्सइ-तसाणं । પડિક્લેદનપત્તો, છન્ન પિ વિરgિો હોફોરા. ભાવાર્થ-“પડિલેહણ કરતાં કરતાં પરસ્પર વાતો કરે અથવા દશકથા કરે, પચખાણ આપે, કોઈને વંચાવે અથવા પોતે વાંચના ગ્રહણ કરે તો તેમ કરતાં પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય તથા ત્રસકાયની પડિલેહણમાં પ્રમાદી સાધુ વિરાધના કરે છે.” તે પ્રમાણે શરીરની પ્રાર્થના કરવામાં પણ પ્રમાદરહિત થવું. પ્રસન્નચંદ્ર રાજાના ભાઈ વલ્કલચીરી ધૂળથી ભરાયેલાં વસ્ત્રોની પ્રમાર્જના કરતાં કેવળજ્ઞાન પામ્યા હતા. તથા કોઈ સોમિલ નામના બ્રાહ્મણે દીક્ષા લીધી હતી. તેને એકદા ગુરુએ ગ્રામાંતર જવાના વિચારથી કહ્યું કે પાત્રાદિકની પડિલેહણા કર.” એટલે તે સોમિલ પડિલેહણા કરી. પછી કાંઈ કારણ બનવાથી ગુરુએ વિહાર કર્યો નહીં, એટલે ફરીને ગુરુએ તેને કહ્યું કે “પાત્રાદિક પ્રમાર્જના કરીને તેને સ્થાને પાછા મૂક.” ત્યારે સોમિલ શિષ્ય બોલ્યો કે “હમણાં જ પડિલેહણા કરી છે, શું પાત્રાદિકમાં સર્પ પેસી ગયો છે કે વારંવાર પડિલેહણા કરવાનું કહો છો? આ પ્રમાણે તેનું અયોગ્ય વચન સાંભળીને www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only -
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy