SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૧૨] પૂજાનો વિધિ રસોઇયો કૂબડો સૂર્યપાક રસવતીને જાણનારો છે.” એમ પુરમાં પગલે પગલે તેના વખાણ સાંભળીને અને તેને જાતે જોઈને પોતાને નગરે જઈ પોતાના રાજા ભીમને વૃત્તાંત નિવેદન કર્યો. દૂતનું વાક્ય સાંભળીને ભીમરાજાએ તેની વિશેષ તજવીજ કરવા એક બ્રાહ્મણને સુસુમારપુર મોકલ્યો. તે બ્રાહ્મણે કૂબડાને મળીને કહ્યું કે-“તને જોઈને મને ખેદ થાય છે, કેમકે હું નળરાજા અહીં હોવાની શંકાએ આવ્યો હતો, પણ કલ્પવૃક્ષ ક્યાં અને એરંડાનું ઝાડ ક્યાં? માણિક્ય ક્યાં અને પથ્થર ક્યાં? એમ આજે તને કૂબડાને જોવાથી મારા મનમાં રહેલો દમયંતીનો મનોરથ પણ કૂબડો થઈ ગયો.” આ પ્રમાણે સાંભળી કૂબડો રોયો અને તે બ્રાહ્મણને સૂર્યપાક રસવતી જમાડી તેને ઘણું સુવર્ણ આપી વિદાય કર્યો. તે બ્રાહ્મણે ભીમરાજા પાસે આવીને લક્ષ સુવર્ણનું દાન, રોવું અને સૂર્યપાક રસવતીનું જમાડવું વગેરે સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી દમયંતી બોલી કે-“હે પિતા! આ બાબતમાં કાંઈ પણ વિચાર કરવા જેવું નથી, જરૂર કૂબડાને રૂપે રહેલા તે તમારા જમાઈ જ છે એમ જાણવું.” પછી ભીમરાજાએ દમયંતીનો ખોટો સ્વયંવર આરંભીને સુસુમારપુરના રાજા દથિપર્ણને બોલાવવા માટે માણસો મોકલ્યા; કેમકે તેમ કરવાથી તે વાત સાંભળીને દઘિપર્ણની સાથે નળરાજા જો ત્યાં હશે તો તે જરૂર આવશે; કારણ કે પશુઓ પણ સ્ત્રીનો પરાભવ સહન કરી શકતા નથી. દથિપર્ણ રાજા દમયંતી પરના અનુરાગથી મુદત માત્ર એક જ દિવસો બાકી છતાં કૂબડા સારથિની સહાયથી તે જ દિવસે કંડિનપુરમાં આવ્યો, અને કૂબડા પાસે સૂર્યપાક રસવતી કરાવીને પરિવાર સહિત ભીમરાજાને જમાડ્યો. ત્યાર પછી “આ નિષઘ રાજાનો પુત્ર નળ જ કૂબડાને સ્વરૂપે છે; કેમ કે શ્વેતાંબર મુનિનું વચન મિથ્યા હોય નહીં.” એમ ઘારીને લજ્જપૂર્વક દમયંતીએ પોતાના પતિને કહ્યું કે-“હે નાથ! તે વખતે વનમાં તો સૂતી મૂકીને ચાલ્યા ગયા હતા, પણ આજે જાગતી શી રીતે મૂકી શકશો?' આ પ્રમાણે સાંભળી નળે પોતાનું રૂપ પ્રગટ કર્યું. પછી ભીમરાજા નળને પોતાના સિંહાસન પર બેસાડી હર્ષથી હાથ જોડીને બોલ્યો કે–“આ સર્વ રાજ્યને અને આપત્તિ વિનાની આ સંપત્તિને તમે આનંદપૂર્વક ભોગવો અને તમારી આજ્ઞામાં વર્તતા એવા અમને આપની મરજી પ્રમાણે આપો.” દઘિપર્ણ રાજા પણ નળને જોઈ તેને નમસ્કાર કરીને આશ્ચર્યથી બોલ્યો કે-“હે દેવ! મેં અજ્ઞાનતાથી જે કાંઈ અયોગ્ય આચરણ કર્યું હોય તે સર્વ ક્ષમા કરજો.” પછી નળરાજા સર્વ રાજાઓ અને તેમના સૈન્ય સહિત પૃથ્વીને કંપાવતો કોસલા નગરી તરફ ચાલ્યો. ત્યાં યુદ્ધ કરતાં ક્રીડામાત્રમાં કુબરને જીતીને પોતે રાજ્યાધિપતિ થયો. પછી ભરતાર્થના સર્વ રાજાઓએ નળને ભેટો આપી. નળે પણ પોતાની આજ્ઞામાં રહે ત્યાં સુધી તેમને અભયદાન આપ્યું. અનુક્રમે પુષ્કલ નામના પોતાના પુત્રને રાજ્ય સોંપીને દમયંતી સહિત નળરાજાએ શાસ્ત્રાનુસાર જૈની દીક્ષા ગ્રહણ કરી. નળરાજાના શરીરમાં સ્વાભાવિક કોમલતા હોવાથી સંયમમાં તે અતિચાર લગાડવા લાગ્યા, એટલે તેના પિતા નિષદ દેવતાએ આવીને તેને ફરીથી ચારિત્રમાં દ્રઢ કર્યા. પછી દમયંતીના ભોગની ઇચ્છાવાળા છતાં પણ મનને બળાત્કારે રોકીને, દીક્ષાનું પાલન કરવામાં અસમર્થ થવાથી અનશન અંગીકાર કરી મૃત્યુ પામીને કુબેર નામે ઉત્તર દિશાના લોકપાલ થયા. દમયંતી પણ અનશન કરી મૃત્યુ પામીને તેની પ્રિયા થઈ. પછી કાળક્રમે કરીને દમયંતી દ્વારિકા નગરીમાં કનકવતી નામે વસુદેવની પ્રિયા થઈ. ત્યાં તે જૈનધર્મમાં આસક્ત થઈ સતી સાંસારિક સુખ ભોગવતી હતી, તેવામાં શ્રી નેમિનાથ પ્રભુ ત્યાં સમવસર્યા. કૃષ્ણ તેમને વાંદવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy