SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૨ પ્રાપ્ત થયેલાં છે. વળી મેઘકુમાર એક ક્ષુદ્ર જીવ (સસલા)ને સ્થાન આપવાથી મોટા સુખને પામ્યો છે. તો આ મુનિઓ તો સર્વ જીવોને અભય આપનારા છે તેમને વસતિદાન કરવાથી મોટું ફળ થાય જ એમાં સંશય નથી; અને જેઓ મુનિઓને આશ્રય આપતા નથી તેઓ નમુચિ પ્રધાનની જેમ દુઃખી થાય છે.’’ આ પ્રમાણે વિચારી મંત્રીએ પોતાનું તે નિર્દોષ ઘર ઘર્મનિમિત્તે અર્પણ કર્યું. આધાકર્મી આહારની જેમ મુનિનિમિત્તે કરેલ ઉપાશ્રય પણ મુનિઓને કલ્પતો નથી; આમાં તેવો કાંઈ પણ દોષ નથી. આ પ્રમાણે તે સ્થાન મુનિઓને અર્પણ કરી મંત્રીએ બીજી પણ ધર્મશાળાઓ કરાવી. જે સર્વસિદ્ધિરૂપ સ્ત્રીની વરમાળા જેવી પૌષધશાળા કરાવે છે તે સમ્યક્ત્વરૂપ બીજની વિશાળ અને નિર્મળ એવી લક્ષ્મી પ્રાપ્ત કરે છે.’’ 02 900 વ્યાખ્યાન ૧૭૨ અકલ્પ્ય દાનનાં અનર્થકારી પરિણામ સાધુને અકલ્પતું દાન આપવું નહીં. એથી પુણ્યને બદલે પાપ બંધાય છે. કહ્યું છે કે– त्यक्तुं योग्यं विषैर्मिश्रं, कुत्सितं भक्ष्यवर्जितं । क्रोधकैतवदुर्मत्या, दत्तं જ્ઞાનમનર્થમ્ ॥ ભાવાર્થ-‘ત્યાગ કરવા યોગ્ય, ઝેર સાથે મળેલું, કોહી ગયેલું, અભક્ષ્ય અને ક્રોધ, કપટ કે દુર્મતિથી આપેલું દાન અનર્થ કરનારું છે.'' તે વિષે નાગશ્રીની કથા છે તે આ પ્રમાણે— નાગશ્રીની કથા ચંપાનગરીમાં સોમદેવ, સોમભૂતિ અને સોમદત્ત નામે ત્રણ સહોદર બંધુ હતા. તેમને નાગશ્રી, યજ્ઞશ્રી અને ભૂતશ્રી નામે અનુક્રમે ત્રણ સ્ત્રીઓ હતી. તે ત્રણ ભાઈઓના ગૃહવ્યવહારની સ્થિતિ એવી હતી કે વારાફરતી એક એક દિવસ સર્વે એક એકને ઘેર ભોજન કરવા જતા. એક વખત નાગશ્રીનો વારો આવતાં તેણે અજાણતાં કડવી તુંબડીનું શાક રાંધ્યું અને તેને હિંગ વગેરે દ્રવ્યથી સારી રીતે વધાર્યું. પછી તેમાંથી તેણે જરા ચાખી જોયું તો તે કડવું લાગ્યું; એટલે તેમાં થયેલ દ્રવ્યનો ખર્ચ સંભારી કોઈ પાત્રમાં જુદું રાખી મૂક્યું અને બીજા ભોજનથી ભર્તા વગેરેને જમાડ્યા. તેવામાં ધર્મઘોષસૂરિના શિષ્ય ધર્મરુચિ નામે મુનિ માસક્ષપણને પારણે તે નાગશ્રીને ઘેર આવ્યા. નાગશ્રીએ ‘આ શાકમાં થયેલો દ્રવ્યનો ખર્ચ વૃથા ન થાઓ' એવું વિચારી તે કડવું શાક તે મુનિને વહોરાવ્યું. તે લઈ મુનિ ગુરુ પાસે આવ્યા. ‘અહો! આ સ્ત્રીની બુદ્ધિને ધિક્કાર છે! જેને ઘેર તપના તેજથી કાંચનિગિર જેવા મુનિવર આવ્યા તેમને તેણે ઉકરડા જેવા ગણ્યા. કલ્પવૃક્ષ, સૂર્ય, કામકુંભ અને પુણ્યોદધિ જેવા મુનિને એ પાપી સ્ત્રીએ આકડો, રાહુ, કુંભારનો કુંભ અને ખાબોચિયા જેવા ગણ્યા.' ધર્મરુચિ મુનિએ તે આહાર ગુરુને બતાવ્યો. જ્ઞાની ગુરુએ તે આહાર અયોગ્ય (વિષમિશ્રિત) જાણી કહ્યું–‘હે શિષ્ય! આ આહાર કોઈ શુદ્ધ સ્થળે પરઠવી દે.' ગુરુની આજ્ઞાથી ધર્મરુચિ મુનિ વનમાં ગયા. ત્યાં હાથમાં રાખેલા પાત્રમાંથી કોઈ સ્થળે એક બિંદુ પડી ગયું. તે બિંદુના સ્વાદથી આકર્ષાઈ ત્યાં ઘણી કીડીઓ એકઠી થઈ, પરંતુ તેનો સ્વાદ લેતાં જ હજારો કીડીઓ મરી ગઈ તે જોઈને તે મુનિએ વિચાર્યું કે ‘એક બિંદુ આટલું પ્રાણઘાતક છે તો આ સમગ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy