SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૦૭] ભાવી ચોથા આરાનું સ્વરૂપ ૨૦૩ કલ્પવૃક્ષો હોય છે તેને વિષે સુખે કરીને રહે છે. તેમને ખાન, પાન, પ્રેક્ષણ વગેરે દશ પ્રકારનાં કલ્પવૃક્ષોથી પ્રાપ્ત થયા કરે છે. ત્યાં ડાંસ, જૂ, માંકડ અને મક્ષિકા વગેરે દેહને ઉપદ્રવ કરનારાં જંતુઓ ઉત્પન્ન જ થતાં નથી. વાઘસિંહાદિ હિંસક પશુઓ ત્યાં હિંસ્યહિંસકભાવે વર્તતા નથી. તે ક્ષેત્રમાં ઘોડા, હાથી વગેરે ચોપગાં પ્રાણી, ઘો વગેરે ભુજપરિસર્પ, સર્પ વગેરે ઉરપરિસર્પ તથા ચકોર, હંસ વગેરે પક્ષીઓ-સર્વે યુગલીઆરૂપે જ થાય છે. આ બધા જુગલીઆઓ મરણ પામીને પોતાના આયુષ્ય જેટલા આયુષ્યવાળા અથવા ઓછા આયુષ્યવાળા દેવતા થાય છે; અધિક આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થતા નથી. ઉત્સર્પિણીના ચોથા આરામાં થયેલા યુગલીઆના દેહની ઊંચાઈ તે આરાને પ્રાંતે એક ગાઉની હોય છે અને આયુષ્યનું પ્રમાણ એક પલ્યોપમનું હોય છે. તેઓ એકાંતરે આમળાના ફળ જેટલો આહાર કરે છે. તેમને ચોસઠ પાંસળીઓ હોય છે. એ આરામાં યુગલીઆ ઓગણાશી દિવસ સંતતિનું પાલન કરે છે. પછી શ્વાસોશ્વાસ, બગાસું, ખાંસી કે છીંક વગેરેથી પ્રાણ છોડી દે છે અને દેવગતિમાં ઉત્પન્ન થાય છે. આવી રીતે બે કોટાકોટિ સાગરોપમનો સુષમદુષમા નામે ચોથો આરો વ્યતીત થયા પછી સુષમા નામે પાંચમો આરો ઉદ્ભવે છે. તે આરાની આદિમાં જુગલીઆઓ ચોથા આરાના પ્રાંત સમયે ઉત્પન્ન થયેલા જુગલી જેવા હોય છે, પરંતુ હળવે હળવે તેમનાં શરીર તથા આયુષ્ય ત્યાં સુધી વધે છે કે યાવતું તે આરાને અંતે શરીરનું પ્રમાણ બે ગાઉનું અને આયુષ્યનું પ્રમાણ બે સાગરોપમનું થાય છે. તેમની પૃષ્ઠભાગની પાંસળીઓ પણ ત્યાં સુધી વધે છે કે તેની સંખ્યા એકસો ને અઠ્યાવીસની થાય છે. તેમનો આહાર ઘટતો ઘટતો ત્યાં સુધી ઘટે છે કે બે દિવસને આંતરે બદરીફળ (બોર)ના જેટલો આહાર કરે છે અને સંતતિને તેઓ ચોસઠ દિવસ સુધી પાળે છે. આ પ્રમાણે ત્રણ કોટાકોટિ પ્રમાણવાળો પાંચમો આરો વ્યતીત થયા પછી છઠ્ઠો આરો આવે છે. આ છઠ્ઠી આરાના પ્રારંભમાં જુગલીઆઓનાં શરીર વગેરેનું પ્રમાણ પાંચમા આરાના પ્રાંતે જન્મેલા જુગલીઆના જેટલું હોય છે, પરંતુ તેમનાં શરીર તથા આયુષ્યનું પ્રમાણ ત્યાં સુધી વૃદ્ધિ પામે છે કે યાવતુ તે આરાને અંતે શરીરનું પ્રમાણ ત્રણ ગાઉનું અને આયુષ્યનું પ્રમાણ ત્રણ પલ્યોપમનું થાય છે. તેમના પૃષ્ઠની પાંસળીઓની સંખ્યા બસો ને છપ્પનની થાય છે. તેમના આહારની હાનિ એટલે સુધી થાય છે કે ત્રણ દિવસને આંતરે તુવર જેટલો આહાર કરે છે. તેઓ સંતતિનું પાલન ઓગણપચાસ દિવસ કરે છે. એ આરામાં હાથીનું આયુષ્ય મનુષ્ય જેટલું, અશ્વાદિકનું આયુષ્ય મનુષ્યના ચોથે ભાગે, મેંઢા વગેરેનું આઠમે અંશે, ગાય, ભેંસ, ખર, ઊંટ વગેરેનું પાંચમે અંશે, શ્વાન વગેરેનું દશમે અંશે, ભુજપરિસર્પ તથા ઉરપરિસર્પનું એક ક્રોડ પૂર્વનું, પક્ષીઓનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું અને જલચરોનું એક પૂર્વ કોટિનું હોય છે. તિર્યંચ પંચેદ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય આ જ આરામાં હોય છે. (યુગલિક તો ચતુષ્પદ ને પક્ષીઓ જ થાય છે.) ભુજપરિસર્પના શરીરનું માન ગાઉ પૃથક્વ, ઉરપરિસર્પના શરીરનું પ્રમાણ એક હજાર ૧ ભુજપરિસર્પ ને ઉરપરિસર્પ યુગલીઆ થતા નથી. ચતુષ્પદ ને ખેચર પક્ષીઓ જ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy