SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૦૫] નિર્વાણ કલ્યાણક ૧૯૩ વઘાર્યા છે.” પછી શ્રેષ્ઠીએ ગાડાં લાવી આપ્યાં. એટલે તે ગાડાં ભરીને લાવી. તે જોઈ સર્વ લોકોની સમક્ષ શ્રેષ્ઠીએ તેના વખાણ કરી તેને ઘરની સ્વામિની બનાવી અને કહ્યું કે જે આ વધૂની આજ્ઞા માનશે નહીં તેનું મારે પ્રયોજન નથી.” સર્વેએ શ્રેષ્ઠીનું એ વચન સ્વીકાર્યું. પછી શ્રેષ્ઠી નિશ્ચિત થઈ ઘર્મકાર્યમાં સાવધાન થયા. હે શિષ્યો! આ કથાનો ભાવાર્થ સાંભળો. ઉપરોક્ત કથામાં જે રાજગૃહ નગર કહ્યું છે તે મનુષ્યભવ સમજવો. ઘનશ્રેષ્ઠી તે ગુરુ સમજવા. ચાર વધૂ તે શિષ્યો સમજવા. પાંચ શાલિકણ તે પાંચ મહાવ્રત સમજવાં. સ્વજનવર્ગ તે ચતુર્વિઘ સંઘ સમજવો. શાલિકણનું દાન તે પંચ મહાવ્રતનું આરોપણ સમજવું. પહેલી વહુએ કરેલો જે શાલિકણનો ત્યાગ તે મહાવ્રત પામીને તેનો ત્યાગ સમજવો. એવી રીતે પાંચ મહાવ્રતોનો ત્યાગ કરનાર આ લોક અને પરલોકમાં દુઃખી થાય છે. બીજી વઘુ જેવા મુનિ, તે વ્રત લઈને માત્ર આજીવિકા કરનારા, તપસ્યા વગેરે ન કરનારા સમજવા. ત્રીજી વઘૂએ જેમ શાલિકણ જાળવીને રાખી મૂક્યા તેમ મુનિએ પંચ મહાવ્રતને અતિચારથી રક્ષિત રાખવા જોઈએ, તેવા મુનિ તે ત્રીજી વઘૂ સમાન સમજવા અને ચોથી રોહિણીએ જેમ શાલિકણ વધાર્યા તેમ જે મહાવ્રત લઈને ગુણવૃદ્ધિ કરે તે તેના જેવા શાસનના ઘોરી સમજવા. તે વિષે ચાર દૃષ્ટાંત છે. પ્રથમ સ્ત્રીનું દ્રષ્ટાંત કુંડરીક મુનિ છે, બીજીનું દ્રષ્ટાંત ઠુમક ઋષિ અથવા આધુનિક વેષધારી મુનિ છે, ત્રીજીનું દૃષ્ટાંત મનક મુનિ છે અને ચોથીનું દ્રષ્ટાંત ગૌતમાદિ મહામુનિઓ છે. . “આ શાલિકણનો સંબંઘ શ્રી જ્ઞાતાસૂત્રમાં ભગવંતે કહેલો છે. તેનો ઉપનય વ્રતના સંબંઘમાં બરાબર ચિંતવી મનમાં ઉતારવો.” વ્યાખ્યાન ૨૦૫ નિર્વાણકલ્યાણક હવે ભગવંતના નિર્વાણકલ્યાણકનું વર્ણન કરે છે– देशनां विविधां दत्त्वा, निजायुः प्रांतदेशके । पुण्यक्षेत्रे जिनाः सर्वे, कुर्वंत्यनशनादिकम् ॥१॥ ભાવાર્થ-“સર્વે જિનેશ્વર ભગવંત વિવિધ પ્રકારની દેશના આપી પોતાના આયુષ્યના અંતકાળે પુણ્યક્ષેત્રમાં જઈ અનશનાદિ કરે છે.” અહીં અનશન એટલે આહારનો ત્યાગ સમજવો. “આદિ' શબ્દથી શુક્લધ્યાનના બે છેલ્લા ભેદનું ધ્યાન કરે. એટલે શુક્લધ્યાનનો ત્રીજો ભેદ સૂક્ષ્મક્રિયાઅનિવૃત્તિ નામે ધ્યાન જે યોગનિરોઘનું નિમિત્ત છે તેનું ધ્યાન કરે. છવાસ્થને ધ્યાને કરીને મનની સ્થિરતા થાય છે અને કેવળીને ધ્યાન શરીરનું સ્વૈર્ય કરનાર થાય છે. કેવળી ભગવંત શુક્લધ્યાનના ત્રીજા પાયા વડે તરતમાં પર્યાપ્તપણું પામેલા પર્યાપ્ત સંજ્ઞીજીવનો તે સમયવર્તી જઘન્ય મનોયોગ જેટલા પ્રમાણવાળો હોય તે કરતાં અસંખ્યાતમા ભાગ જેટલો મનોયોગ સમયે સમયે રુંધી અસંખ્યાત સમયે સર્વ મનોયોગને સંઘે છે. તેમ જ તરતમાં પર્યાપ્તપણે પામેલા પર્યાપ્ત બે ઇંદ્રિયને જેટલા પ્રમાણનો જઘન્ય વચનયોગ હોય તેના અસંખ્યાતમા ભાગ જેટલો વચનયોગ સમયે સમયે સંઘી અસંખ્યાત સમયે સર્વ વચનયોગને સંઘે [ભાગ ૩–૧૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy