SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [સ્તંભ ૧૪ ઉક્ઝિકા, બીજીનું નામ ભક્ષિકા, ત્રીજીનું નામ રક્ષિકા અને ચોથીનું નામ રોહિણી હતું. તેમની સાથે સુખ ભોગવતા તેઓ દેવતાની જેમ ગતકાળને પણ જાણતા નહોતા. એક વખતે શ્રેષ્ઠીએ પ્રાતઃકાળે ઘર્મધ્યાન કરી ગૃહચિંતા કરવા માંડી. તેને વિચાર થયો કે “આ ચાર પુત્રવધૂમાંથી મારા ગૃહનો નિર્વાહ કઈ વધૂ કરશે? તેનો નિર્ણય કરવા માટે હું તેમની પરીક્ષા કરું.” આવું વિચારી પ્રાતઃકાલની ક્રિયા કરી ભોજન કર્યા પછી પોતાના બંઘુપુત્રાદિકની સમક્ષ તે ચારે વધૂઓને બોલાવી અને તેમને પાંચ પાંચ અખંડ શાલિકણ આપ્યા અને કહ્યું કે, જ્યારે હું માગું ત્યારે પાછા આપ. પહેલી પુત્રવધૂ મંદ બુદ્ધિવાળી હતી. તેણે એકાંતમાં જઈને ચિંતવ્યું કે “મારા સસરાની બુદ્ધિ વિપરીત થઈ લાગે છે કે જેથી તેણે સર્વ જનની સમક્ષ માત્ર પાંચ શાલિના દાણા મારા હાથમાં આપ્યા; માટે હું તો તેને ફેંકી દઉં છું. મારે તેનું શું પ્રયોજન છે? જ્યારે માગશે ત્યારે હું બીજા લાવી આપીશ.” આમ વિચારી તેણે તે દાણા નાખી દીધા. બીજી વઘૂએ વિચાર્યું કે સસરાએ આપેલા આ દાણા શા માટે ફેંકી દેવા? એ તો હું ખાઈ જાઉં. જ્યારે માગશે ત્યારે બીજા લાવી આપીશ.” આમ વિચારી તે ખાઈ ગઈ. ત્રીજીએ વિચાર્યું કે “સસરાએ આ દાણા આપ્યા છે તેમાં કાંઈ પ્રયોજન હશે, માટે તે રાખી મૂકું.” આવું ચિંતવી તેણે તે દાણા પોતાના આભૂષણના દાબડામાં ગોપવી રાખ્યા અને પ્રતિદિન તે તપાસવા લાગી. ચોથી બુદ્ધિશાળી વઘૂએ એકાંતે જઈ વિચાર્યું કે “મારા સસરા બૃહસ્પતિ જેવા બુદ્ધિમાન છે. તેમણે સર્વ જનની સમક્ષ મને પાંચ શાલિના દાણા આપ્યા છે તેમાં કાંઈક વિશેષ હેતુ હશે; માટે હું આ દાણાનો વધારો કરું.” આ પ્રમાણે હૃદયમાં વિચારી તેણે તે દાણા પોતાના પિયરમાં ભાઈઓ ઉપર મોકલી દીધા અને સંદેશો કહેવરાવ્યો કે “તમે આ દાણા તમારા સારા ક્ષેત્રમાં ઘરના દાણાની જેમ ગણી જુદા વાવજો.” બહેનના કહેવાથી ભાઈઓએ વર્ષાકાળમાં તે પાંચ દાણા સારી જગ્યાએ વાવ્યા. તે ઊગી નીકળ્યા. એટલે તેમાંથી એક પ્રસ્થ (બે શેર) જેટલા દાણા પ્રથમ વર્ષે થયા. બીજે વર્ષે આઢક પ્રમાણ થયા. ત્રીજે વર્ષે દ્રોણ પ્રમાણ થયા. ચોથે વર્ષે સો ખારી (કળશી) થયા અને પાંચમે વર્ષે લાખ પાલી (માણા) થયા. પાંચ વર્ષ વીતી ગયા પછી એક દિવસે શ્રેષ્ઠીએ ફરીથી સ્વજનોની સમક્ષ ચારે વધૂઓને બોલાવી. પ્રથમ જ્યેષ્ઠા એટલે મોટી વહુને કહ્યું-“મારા આપેલા પાંચ શાલિકણ લાવો.' તેણે ઘરમાંથી બીજા પાંચ શાલિના દાણા લાવીને આપ્યા. તે જોઈ શ્રેષ્ઠી બોલ્યા–“વત્સ! આ શાલિના દાણા મેં આપ્યા હતા તે નથી.” તે બોલી –‘તાત! તે તો મેં ફેંકી દીધા હતા.” તે સાંભળી શ્રેષ્ઠીએ રોષ કરીને કહ્યું-“આ પાપી વધૂએ ઘણું અઘટિત કામ કર્યું છે કે મારા આપેલા દાણા ફેંકી દીઘા છે, તેથી એ વહુ તો ઘરનું વાસીદું કરનારી તથા છાણકચરો વગેરે ફેંકી દેવા સંબંધી કામને યોગ્ય થાઓ.” પછી શેઠે બીજી વહુ પાસે શાલિકણ માગ્યા કે “વત્સ! તમને આપેલા શાલિકણ લાવો.' તે બોલી–પિતાજી! હું તો તે ખાઈ ગઈ છું.” શ્રેષ્ઠી બોલ્યા-“આ સ્ત્રી ઘરના રસોડાનું કામ કરનારી થાઓ.” પછી ત્રીજી વઘૂ પાસે માગ્યા, એટલે તેણે તત્કાળ સાચવી રાખેલા તે શાલિકણ લાવીને આગળ ઘર્યા. શ્રેષ્ઠીએ કહ્યું-“આ વહુ ઘરમાં ઘનઘાન્યનું રક્ષણ કરનારી થાઓ.” પછી શ્રેષ્ઠીએ ચોથી વધૂને કહ્યું– વત્સ! શાલિકણ લાવો.” તે બોલી–પિતાજી! ગાડાં લાવી આપો એટલે લાવું.” શ્રેષ્ઠીએ કહ્યું-“ગાડાંનું શું કામ છે?” વહુ બોલી–મારા ભાઈ પાસે વવરાવીને મેં તે શાલિકણ ઘણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy