SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૯૯]. ઇંદ્રકૃત જન્મોત્સવ ૧૭૫ વ્યંતરેંદ્ર પ્રમાણે છે. ભુવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્કના ઇદ્રોને વિમાન રચનાર ખાસ દેવતા હોતા નથી, પણ તેના આભિયોગિક દેવતા વિમાન રચે છે. હવે સૌઘર્મ ઇદ્ર સર્વ સમૃદ્ધિ સાથે ઉત્સંગમાં ઊંચા કરેલા બે હાથમાં પ્રભુને લઈને બેસે. ત્યાર પછી અય્યત ઇંદ્ર પોતાના આભિયોગિક દેવતાઓને કહે કે “હે દેવતાઓ! તમે અહંતના જન્મને યોગ્ય એવી સામગ્રી તૈયાર કરો.” તેવી આજ્ઞા થતાં તે દેવતાઓ સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણરત્નના, રૂપારત્નના, રૂપાસોનાના, સોના રૂપા અને રત્નના તેમ જ મૃત્તિકાના પ્રત્યેકે એક હજાર ને આઠ આઠ કલશ વિદુર્વે. તે સાથે પંખા, ચામર, તેલના દાબડા, પુષ્પગંગેરી તથા દર્પણ વગેરે વસ્તુ પણ પ્રત્યેક જાતિની એક હજાર ને આઠ આઠ રચે. પછી આભિયોગિક દેવતા તે કુંભ વગેરે લઈને ક્ષીરસાગર તથા ગંગાદિ તીર્થનાં જળ તથા કમળ વગેરે લાવે. તે વિષે શ્રી જંબુદ્વીપપ્રજ્ઞતિસૂત્રમાં કહ્યું છે કે “ક્ષીરસાગરમાંથી ક્ષીરોદક ગ્રહણ કરે, ગ્રહણ કરીને ત્યાં ઉત્પન્ન થયેલાં કમળ તથા સહસ્ત્રદળ કમળ લે; તે લઈ પુષ્કરોદધિમાંથી અને યાવત્ ભરત, એરવતમાંનાં માગઘપ્રમુખ તીર્થોએથી જળ તથા મૃત્તિકા ગ્રહે.” પછી તે દેવતાઓ નંદનવન વગેરેમાંથી ગોશીષચંદનાદિ લઈ સર્વ એકઠું કરી અમ્રુત ઇંદ્ર પાસે રજૂ કરે. એટલે અમ્યુરેંદ્ર પુષ્પમાળાથી શોભિત કંઠવાળા અને કમળથી ઢાંકેલા મુખવાળા આઠ હજાર ને ચોસઠ કળશોથી ભવસાગરનો પાર પામવા માટે પોતાના પરિવાર સહિત અહંત પ્રભુને પૂર્વે વર્ણવેલા જળપુષ્પાદિકથી અભિષેક કરે. તે વખતે ઈશાન ઇંદ્ર વગેરે ઇંદ્રો ઊભા રહીને પ્રભુને સેવે. કેટલાક દેવતા પ્રભુ આગળ ગાયન કરે, કેટલાક નૃત્ય કરે અને કેટલાક અશ્વ તથા ગજેંદ્રના જેવી ગર્જના કરે. એવી રીતે અભિષેક કરી પ્રભુને નમીને અય્યત ઇંદ્ર ગંઘકાષાયિક વસ્ત્ર વડે પ્રભુનું અંગ લૂછે. પછી પ્રભુને અલંકાર ઘારણ કરાવી તેમની આગળ સુવર્ણના પટ્ટ ઉપર રૂપ્યમય ચોખાથી અષ્ટમંગળ આલેખે. પછી બત્રીશ પ્રકારનું નાટક કરી, પ્રભુની સમીપે પુષ્યનો પ્રકર ઘરી, ધૂપ કરીને એકસો આઠ કાવ્ય વડે પ્રભુની સ્તવના કરે. શ્રી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિમાં તે વિષે કહ્યું છે કે “પ્રભુને ધૂપ કરી સાત આઠ પગલાં પાછા ઓસરી દશ આંગળીના નખ એકઠા થાય તેમ અંજલિ જોડી મસ્તકે પ્રણામ કરે. પછી અપુનરુક્ત એવા ૧૦૮ વિશુદ્ધ શ્લોક ગૂંથવા વડે સ્તુતિ કરે. યાવતુ કહે કે–તે સિદ્ધ, બુદ્ધ, નિષ્કર્મ, તપસ્વી, રાગદ્વેષ રહિત, નિર્મમ, ઘર્મચક્રવર્તી એવા પ્રભુ!તમને નમસ્કાર હો.” ઇત્યાદિ સ્તુતિ ભક્તિ કરીને વિનયથી પ્રભુની આગળ ઊભો રહે.” એવી રીતે સૌઘર્મેન્દ્ર સિવાય ત્રેસઠ ઇદ્રો અનુક્રમે એ વિધિથી પ્રભુનો અભિષેક કરે. પછી ઈશાન ઇંદ્ર પાંચ રૂપ વિકર્વી એક રૂપે પ્રભુને ઉત્સંગમાં લઈ શક્ર ઇંદ્રને સ્થાને બેસે, એક રૂપે છત્ર ઘરે, બે રૂપે બે બાજુ ચામર વજે અને એક મૂર્તિએ ત્રિશુલ લઈ પ્રભુની આગળ કિંકરની જેમ ઊભો રહે. એટલે શક્ર ઇંદ્ર પૂર્વની જેમ સર્વ સામગ્રી તૈયાર કરે. તેમાં એટલું વિશેષ કે ચાર વૃષભનાં રૂપ વિકર્વી પ્રભુની ચારે દિશામાં રાખી તેના આઠ શીંગડામાંથી નીકળતી જળની આઠ ઘારા ઊંચે ઊછળી એકઠી થઈ પ્રભુના મસ્તક ઉપર પડે તેમ કરે. પછી શકેંદ્ર અમ્યુરેંદ્રની જેમ પરિવાર સાથે કૃત્રિમ ને અકૃત્રિમ–એમ બન્ને પ્રકારના કુંભ વડે પ્રભુને અભિષેક કરે, યાવત્ ૧૦૮ શ્લોક વડે સ્તવના કરી “નમસ્કાર થાઓ” પર્યત કહે. વૃદ્ધોનાં મુખથી કલશ વગેરેની સંખ્યા આ પ્રમાણે પણ સાંભળવામાં આવે છે-“એક એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy