SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૯૮] જન્મકલ્યાણક વર્ણન ૧૭૧ જિનેશ્વરને તથા જિનમાતાને ત્રણ પ્રદક્ષિણા કરી ભગવંત તથા ભગવંતની માતાની આ પ્રમાણે સ્તુતિ કરે છે–“હે વિશ્વદીપિકા! તમે ત્રિભુવનને તારવાને સમર્થ એવા શ્રી અર્હત પ્રભુની માતા થયા છો, એથી તમે કૃતાર્થ છો.” ઇત્યાદિ સ્તુતિ કરીને કહે છે કે “હે માતા! તમે બીશો નહીં, અમે અમારા જેવા અસંખ્ય જીવોના સ્વામી એવા તમારા પુત્રનો જન્મોત્સવ કરવા માટે આવેલ છીએ.” આમ કહીને સંવર્તક વાયુ વડે પ્રભુના જન્મગૃહથી એક યોજન પ્રમાણ ક્ષેત્રને રજ, અસ્થિ, કેશ તથા તૃણાદિકથી રહિત કરી સ્વકાર્ય બજાવી ગાયન કરતી ઊભી રહે છે. બીજી પણ દિકકુમારીઓના આગમનની પદ્ધતિ એવી રીતે જ છે. તેના કાર્યમાં જે કાંઈ વિશેષ છે તે કહીએ છીએ. મેઘંકરા વગેરે આઠ ઊર્ધ્વલોકવાસી દિકુમારીઓ, જેઓ આ સમભૂતલા પૃથ્વીથી પાંચસો યોજન ઊંચા નંદનવનમાં પાંચસો યોજન ઊંચા શિખર ઉપર રહેનારી છે તે ત્યાંથી પૂર્વવત્ આવી, સુગંઘી મેઘને વિદુર્વી, પ્રથમ સાફ કરેલા યોજનપ્રમાણ ક્ષેત્રને સુગંધી જળઘારા વડે શીતળ કરે છે. પછી જાનુપ્રમાણ ઊંચી પંચવર્ણ પુષ્યની વૃષ્ટિ એક યોજનપ્રમાણ ક્ષેત્રમાં કરે છે તથા ચારે તરફ સુગંધી ધૂપ કરે છે. પછી નંદોત્તરા પ્રમુખ આઠ પૂર્વચકનિવાસી દિકુમારીઓ ત્યાં આવી જિનને તથા જિનમાતાને નમી હાથમાં દર્પણ લઈ ગાતી ગાતી ઊભી રહે છે. સમાહારા વગેરે આઠ દક્ષિણરુચકવાસી દિધુમારીઓ હાથમાં પૂર્ણ કળશ રાખી પ્રભુની દક્ષિણ તરફ ગીત ગાતી ઊભી રહે છે. ઇલાદેવી વગેરે આઠ દિકુમારીઓ પશ્ચિમ રુચકથી આવી, હાથમાં પંખા લઈ, પ્રભુની પશ્ચિમે ઊભી રહીને ગાયન કરે છે. અલંબૂસા વગેરે આઠ દિકુમારીઓ ઉત્તર રુચકથી આવી પ્રભુની ઉત્તરે રહી ચામર વીંજે છે. ચિત્રા વગેરે ચાર દિઠ્ઠમારીઓ વિદિશાના રુચકથી આવી પ્રભુને તથા માતાને નમી હાથમાં દીપિકા લઈ ચારે વિદિશાઓમાં ગાયન કરતી ઊભી રહે છે અને રૂપા વગેરે ચાર દિકુમારીઓ મધ્ય ચકથી પરિવાર સહિત આવી પ્રભુનું નાળ ચાર આંગળ વર્જીને વઘેરે છે અને તે નાળને પૃથ્વીમાં નાખી તે ખાડાને ઉત્તમ રત્નોથી પૂરી દે છે. પછી અરિહંતના અંગને આશાતના ન થાય એવી બુદ્ધિથી તે સ્થાન ઉપર પીઠ બાંધી દૂર્વાના અંકુર વાવે છે. પછી પશ્ચિમ સિવાય ત્રણે દિશાઓમાં કદલીનાં ત્રણ ઘર વિદુર્વા તે પ્રત્યેકમાં એકેક સિંહાસનવાળું ચતુશાલ વિદુર્વે છે. તે પછી જિનને કરસંપુટમાં લઈ જિનમાતાને હાથનો ટેકો આપી આગળ કરી દક્ષિણ દિશાના ઘરમાં લઈ જાય છે. ત્યાં ભદ્રાસન ઉપર બેસાડી દિવ્ય તૈલથી અત્યંગ કરી સુગંધી દ્રવ્યથી તેમના અંગને ઉદ્વર્તન કરે છે. તે પછી પૂર્વના કદલીગૃહમાં પૂર્વની જેમ લાવી સિંહાસન ઉપર બેસાડી સુગંધી પુષ્પથી વાસિત જળ વડે નવરાવે છે; પછી તેમને અલંકારથી ભૂષિત કરે છે. ત્યાર પછી ઉત્તર તરફના કદલીગૃહમાં લઈ જઈ સિંહાસન ઉપર જિનમાતાના ઉલ્લંગમાં પ્રભુને બેસાડે છે. પછી સેવકદેવતા પાસે ગોશીર્ષ ચંદનનાં કાષ્ઠ મંગાવી, અરણિ કાષ્ઠના મથન વડે અગ્નિ ઉત્પન્ન કરી, તેમાં ચંદન કાષ્ઠનો હોમ કરી રક્ષા પાડે છે. તે પછી જિન તથા જિનમાતા બન્નેના હાથ ઉપર પ્રેત વગેરેનો દોષ હણવા માટે રક્ષાપોટલી બાંધે છે. પછી ગોળ બે પાષાણ અફળાવી “તમે ૧ સમભૂતલાથી ૯૦૦ યોજન પર્યંત તિર્ફીલોક છે. ત્યાર પછી ઊર્ધ્વલોક ગણાય છે, તેથી આને ઊર્ધ્વલોકવાસી ગણી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy