SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૩ કારણ કે મણિ ચરણમાં શોભે નહીં, મુગટમાં જ શોભે. વળી જો જીવવાની અને રાજ્યની ઇચ્છા હોય તો મૃગાવતીને અહીં મોકલીને તેની રક્ષા કર, કારણ કે વિચક્ષણ પુરુષોએ એક અંશનો નાશ કરીને પણ સર્વ અંશનો નાશ થતો અટકાવવા યોગ્ય છે.” આ પ્રમાણેનાં દૂતનાં વચન સાંભળી શતાનિક રાજા ક્રોધાયમાન થઈ રક્ત લોચનવાળો થયો સતો દૂત પ્રત્યે બોલ્યો-“હે દૂત! શું તારો સ્વામી વિકલ થઈ ગયો છે? અથવા તારા સ્વામીને જીવવા ઉપર શું કંટાળો આવ્યો છે? અથવા મારે હાથે મૃત્યુ પામીને શું નરકમાં જવાની તેની ઇચ્છા છે? કે જેથી તે મૃગાવતીની માંગણી કરે છે.” આ પ્રમાણે કહી દૂતનો અત્યંત તિરસ્કાર કરી “તું દૂત હોવાથી અવધ્ય છે' એમ કહી તેને પાછળની બારીએથી કાઢી મૂક્યો. શતાનિકે અપમાન કરી કાઢી મૂકેલો તે લોહજંઘ દૂત ચંડપ્રદ્યોતની પાસે આવ્યો અને શતાનિકે જે કહ્યું હતું તે બધું નિવેદન કર્યું. પછી ચંડપ્રદ્યોતે ચૌદ રાજાઓ સહિત પોતાનું લશ્કર લઈ કૌશાંબી તરફ પ્રયાણ કર્યું. તેનું સૈન્ય ચાલતાં દિશાઓમાંથી એટલી રજ ઊડી કે સૂર્ય નિસ્તેજ થઈ ગયો; તેમ જ તે સૈન્યના ભાર વડે પૃથ્વી કંપવા લાગી. એવી રીતે અવિચ્છિન્ન પ્રયાણ કરતો ચંડપ્રોત થોડા દિવસમાં જ કૌશાંબી નગરીની નજીક આવી ગયો. રાજા શતાનિક તેને આવેલો જાણી અત્યંત ભયભીત થઈ ગયો. તેને એવો ભય લાગ્યો કે જેથી તેને અતિસારનો મહાવ્યાધિ થયો અને થોડા વખતમાં તે યમદ્વારમાં પહોંચી ગયો. અહો! કોઈનાથી પણ મરણનું ઉલ્લંઘન થઈ શકતું નથી. કહ્યું છે કે “દિવ્ય જ્ઞાનના ઘરનારા, ત્રણ જગતને વંદન કરવા યોગ્ય, અનંત વીર્યવાળા અને દેવેંદ્ર તથા અસુરવૃંદ જેમના ચરણમાં નમી રહ્યા છે એવા જિનેશ્વરો, પરાક્રમી ચક્રવર્તીઓ, બલવાન વાસુદેવો, બલભદ્રો અને પ્રતિવાસુદેવો પણ યમરાજાના મુખમાં અશરણ થઈને પ્રવેશ કરે છે. ખરેખર વિધિ અનુલ્લંધ્ય છે. પાતાળમાં રહેનારા ભુવનપતિ દેવતાઓ, સ્વેચ્છાચારી વ્યંતરો, જ્યોતિષ્ક વિમાનમાં વસનારા ચંદ્રથી માંડી તારા સુધીના દેવતાઓ અને સૌઘર્મ વગેરે દેવલોકમાં સુખે રહેનારા વૈમાનિક દેવતાઓ તે સર્વે પણ યમરાજના નિવાસમાં જઈને વસે છે તો પછી શાનો શોક કરવો?” ચંડપ્રદ્યોતના ભયથી શતાનિક રાજા મૃત્યુ પામ્યો એટલે મૃગાવતીએ વિચાર્યું કે “મારો પુત્ર બાળક છે અને અલ્પ બળવાળો છે, તેથી કાંઈક પ્રપંચ કરીને શીલની તથા પુત્રની રક્ષા કરું.” આવું વિચારી તેણે અવંતિપતિને જણાવ્યું કે “હવે હું તમારે આધીન છું. પણ મારો પુત્ર હજુ બાળક છે તેથી આસપાસના સીમના રાજાઓ મારું રાજ્ય લઈ લેશે; માટે મારા નગરને ફરતો મજબૂત કિલ્લો કરાવી આપો અને આ નગરી અન્ન તથા જળ વગેરેથી ભરપૂર કરાવી દો.” રાજાએ મૃગાવતી પરના મોહથી અવંતિથી ઇંટો મગાવીને કૌશાંબી ફરતો મજબૂત કોટ કરાવી દીઘો અને તે નગરી અન્ન તથા જળથી પૂર્ણ કરી દીધી. પછી રાણીએ પોતાના મંત્રીઓને બોલાવીને કહ્યું–“આ કિલ્લો બાર વર્ષ સુધી કોઈથી લઈ શકાય નહીં તેવો થયો છે, માટે હવે મારા શીલની રક્ષા માટે દુર્ગરોઘ કરો અર્થાત્ દરવાજા બંઘ કરી દો.” મંત્રીઓએ તે પ્રમાણે કર્યું. હવે પ્રદ્યતન રાજાએ મૃગાવતીને તેડાવી એટલે મૃગાવતીએ કહેવરાવ્યું કે-“હે રાજા! હું ચેટક રાજાની પુત્રી હોવાથી સ્વપ્ન પણ એવું અકાર્ય નહીં કરું.” તે સાંભળી ચંડપ્રદ્યોત વિલખો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy