SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૩૭] અનર્થદંડનો ત્યાગ કર્તવ્ય “દુષ્ટને દંડ કરવો, સ્વજનની પૂજા કરવી, ન્યાયથી ભંડાર વઘારવો, કોઈનો પક્ષપાત કરવો નહીં અને શત્રુના દેશની ચિંતા રાખવી–એ પાંચ ઉત્તમ રાજાઓને માટે યજ્ઞ બરાબર છે. માટે આપણને ક્ષત્રિયોને તેમ કરવાથી કાંઈ દોષ લાગે નહીં.” વીર બોલ્યો-“હે બંધુ! આપણને જૈનને તે ઘટે નહીં. જૈનોને તો લાકડી ભાંગે નહીં, દૂઘનું પાત્ર ફુટે નહીં અને દૂઘ ઢોળાય નહીં; તેવી રીતે જીવનો વઘ થાય નહીં તેમ કરવું જોઈએ. જીવાનંદ વૈદ્યની જેમ જૈનોએ તો વચન પણ વિચારીને બોલવું જોઈએ.” આ પ્રમાણેનું પોતાના બંઘુનું વચન સત્ય માનીને તેમણે મુનિને યોગ્ય ઉપચાર વડે સજ કર્યા. અનુક્રમે તે બન્ને ક્ષત્રિયપુત્ર મૃત્યુ પામીને તમે બે ભાઈ થયા છો. ઘીરના જીવે તે ભવમાં બોલેલા અનર્થદંડરૂપ વાક્યની આલોચના કરેલી નહીં હોવાથી આ મહીસેન જિહાના રોગથી પીડિત થયો અને મુનિને ઉપચાર વડે જિવાડ્યા હતા તેથી પ્રાપ્ત થયેલ લબ્ધિથી તારા પ્રયાસ વડે તે નીરોગી થયો. આ પ્રમાણેનો પૂર્વભવ સાંભળી બન્ને ભાઈઓને જાતિસ્મરણ થવાથી અનર્થદંડને મૂળમાંથી નિવારીને તે બન્ને જણે મુનિપણું ગ્રહણ કર્યું. આ શૂરસેન અને મહીસેનના દ્રષ્ટાંતથી પાપનું મૂળ જે અનર્થદંડ તેનો મૂળમાંથી ત્યાગ કરવો. વ્યાખ્યાન ૧૩૭ અનર્થદંડનો ત્યાગ કર્તવ્ય अज्ञानमन्युदंभेभ्योऽनर्थदंडः प्रजायते । स चूर्यो व्रतवज्रेण चित्रगुप्तकुमारवत् ॥१॥ ભાવાર્થ-“અજ્ઞાન, ક્રોઘ અને દંભથી અનર્થદંડ થાય છે. તેને ચિત્રગુપ્તકુમારની જેમ વ્રતરૂપી વજવડે ચૂર્ણ કરી નાખવો.” આ શ્લોકનો ભાવાર્થ ચિત્રગુપ્તકુમારના સંબંઘથી જાણી લેવો જે નીચે પ્રમાણે છે ચિત્રગુપકુમારની કથા કોશલ દેશમાં જયશેખર નામે રાજા હતો. તેને પુરુષદા અને પુરુષસિંહ નામે બે પુત્રો હતા. સમાન ગુણ તથા શીલવાળા તે બન્નેને પરસ્પર મૈત્રી હતી. જાણે બે નેત્રો પાસે શીખેલું હોય તેવું તેમનું સખ્ય ઐક્યતા પામ્યું હતું. તે વિષે અર્થદીપિકામાં લખે છે કે पाण्योरुपकृतिं सत्त्वं, स्त्रिया भनशुनो बलम् । जिह्वाया दक्षतामणोः, सखितां शिक्षते सुधीः ॥१॥ ભાવાર્થ-“સબુદ્ધિવાળા પુરુષે બે હાથ પાસેથી ઉપકાર શીખવો, સ્ત્રી પાસેથી સત્ત્વ શીખવું, ભાગતા શ્વાન પાસેથી બળ કરતાં શીખવું, જિલ્લા પાસેથી ડહાપણ શીખવું અને બે નેત્ર પાસેથી મિત્રપણું શીખવું.” તે રાજાને વસુ નામે ગુરુ હતા. તેને ચિત્રગુપ્ત નામે એક કૌતુકપ્રિય પુત્ર હતો. એકદા જયશેખર રાજા અકસ્માતુ મૃત્યુ પામ્યો. એટલે અમાત્યોએ જ્યેષ્ઠ રાજપુત્ર પુરુષદત્તને રાજા કર્યો અને કનિષ્ઠ રાજપુત્ર પુરુષસિંહને યુવસજપદ ઉપર બેસાર્યો. એક વખતે રાજાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy