SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૦ (૩) મુખર એટલે બહુ વાચાલ, તે સંબંધી ભાવ તે મૌખર્ય કહેવાય, અર્થાત્ અસંબદ્ધ બહુ પ્રલાપ કરવાપણું તે પાપોપદેશને લગતો ત્રીજો અતિચાર છે. તેવું અત્યંત વાચાળપણું હોવાથી વિચારવાની તક ઓછી મળે છે તેથી પાપોપદેશ થઈ જવાનો સંભવ છે. ૨ (૪) કુચેષ્ટા એટલે ભૃકુટિ, નેત્ર, નાસિકા, હાથપગ અને મુખના વિકાર વડે હાસ્ય ઉત્પન્ન થાય તેવી કુચેષ્ટાઓ કરવી કે જેથી બીજો ઉપહાસ્ય કરે અને પોતાની લઘુતા થાય તેવી ચેષ્ટા કરવી કે તેવું બોલવું તે પ્રમાદાચરણ સંબંધી ચોથો અતિચાર છે. (૫) કંદર્પ એટલે કામદેવ તેની ઉત્પત્તિના હેતુરૂપ વચનો બોલવા તે પાંચમો અતિચાર છે. ઉત્તમ આચારવાળા શ્રાવકે તેવું વચન બોલવું નહીં કે જેથી પોતાને યા બીજાને મોહની જાગૃતિ થાય. આ છેલ્લા બે અતિચાર પ્રમાદ સંબંધી છે. આ સંબંધમાં એક દૃષ્ટાંત નીચે પ્રમાણે છે :શૂરસેન ને મહીંસેનનું દૃષ્ટાંત બંધુરા નામની નગરીમાં શૂરસેન અને મહીસેન નામે બે રાજપુત્રો હતા. તેઓ હમેશાં સદાચારવાલા અને પરસ્પર પ્રીતિવાલા થઈ સુખે રહેતા હતા. એક વખતે મહીસેનની જિલ્લા ઉપર અસાધ્ય રોગ ઉત્પન્ન થયો. વૈદ્યોએ તેને અસાધ્ય ધારી છોડી દીધો. એ રોગથી તેની જિલ્લા એવી ગંધાવા લાગી કે જેથી કોઈ તેની પાસે રહી શકતું નહીં, માત્ર તેનો બંધુ શૂરસેન જ સ્નેહથી તેની પાસે રહેતો હતો. રોગની તીવ્ર વેદનાથી જ્યારે મહીસેન ‘અરે! અરે!' એવો પોકાર કરતો ત્યારે શૂરસેન કહેતો કે—“હે બંધુ! શાંત થા અને સર્વ જગતને તારવા સમર્થ, તેમજ જ્ઞાનઘ્યાનરૂપ અગ્નિથી આ ભવપ્રપંચ તથા કર્મજાલને ભસ્મ કરનાર શ્રી સર્વજ્ઞ પ્રભુનું સ્મરણ કર.'' બંધુના આવા ઉપદેશથી મહીસેને પંચપરમેષ્ઠીનું મનમાં ધ્યાન કરવા માંડ્યું. શૂરસેને પોતાના બંધુના જીવવાની આશા છોડી દીધી હતી, તેથી તેની પાસે પાપના અનેક નિયમો કરાવ્યા અને પ્રાસુક જલથી તેની જિલ્લા ઉપર જલસિંચન કરવા માંડ્યું. દૈવયોગે તે પ્રમાણે મંદમંદ જલ સિંચન કરવાથી તેનો રોગ મૂળમાંથી ગયો. તેણે જે જે પચખાણ લીઘા હતા તે તે પાળવા માંડ્યાં. એકદા ત્યાં શ્રી ભદ્રબાહુસ્વામી પધાર્યા. તેમનું આગમન સાંભળી તે બન્ને ભાઈ તેમને વંદન કરવા ગયા. દેશના સાંભળ્યા પછી શૂરસેને મહીસેનને રોગ થવાનું કારણ પૂછ્યું એટલે ગુરુ બોલ્યા— મણિપુર નગરમાં મદન નામના કોઈ સુભટને વીર અને ઘીર નામે બે ધર્મિષ્ઠ પુત્ર હતા. એક વખતે તે બન્ને વનમાં ફરવા ગયા. ત્યાં પોતાના મામા વસંત નામના મુનિને પૃથ્વી ઉપર બેસુધ પડેલા જોઈ લોકોને તેનું કારણ પૂછ્યું, એટલે તેઓમાંથી કોઈએ કહ્યું કે—એક સર્પ, કાયોત્સર્ગે રહેલા આ મુનિને ડસીને રાફડામાં પેસી ગયો છે.’ મામાના સ્નેહથી લઘુબંધુ ઘીર બોલ્યો કે—‘અરે રાંક લોકો! તમે તે સર્પને નાસતાં મારી નાખ્યો કેમ નહીં?’ તે સાંભળી વીર બોલ્યો કે–‘હે ભ્રાતા! આમ બોલીને પૃથા કર્મ શા માટે બાંધે છે?’ ઘીરે કહ્યું કે—“મુનિને ડસનારા સર્પને મારવાથી તો ધર્મ જ થાય. કહ્યું છે કે ઃ दुष्टस्य दंडः स्वजनस्य पूजा, न्यायेन कोशस्य च संप्रवृद्धिः । अपक्षपातो रिपुराष्ट्रचिंता, पंचैव यज्ञा नृपपुंगवानां ॥ १ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy