SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૨ ૯૨ નરકે જઈશ!’ એવું આર્તધ્યાન કરવા લાગ્યા. તે જોઈ પ્રભુ બોલ્યા—હૈ અચ્યુત! તમે આવતી ચોવીશીમાં અમમ નામે બારમા તીર્થંકર થશો.’’ તે સાંભળી કૃષ્ણ હર્ષ પામી પોતાની નગરીમાં આવ્યા અને તત્કાળ નગરીની અંદર જેટલી મદિરા હતી તે તમામ બહાર કઢાવી ફેંકાવી દીધી. એક વખતે શાંબ અને પ્રદ્યુમ્ન કુમાર વનમાં ક્રીડા કરવા દૂર ગયા હતા. ફરતાં ફરતાં ગિરનાર પહોંચી ગયા. ત્યાં ગિરનાર પર્વતની ગુફાઓમાં નાંખેલી પેલી મદિરાની ગંધ આવી; તેથી ચિરકાળે દેખવાથી અતિ લુબ્ધ થયેલા યાદવકુમારોએ ત્યાં જઈ તે મદિરાનું પાન કર્યું. પછી મદથી વિકળ બની તેઓ યથેચ્છ ભમવા લાગ્યા. તેવામાં દ્વૈપાયન તપસ્વી તેમના જોવામાં આવ્યા; એટલે તે ઉન્મત્ત થયેલા કુમારોએ ગાઢ પ્રહાર વડે તેમને કૂટી નાખ્યા. તે વખતે ક્રોધાયમાન થયેલા દ્વૈપાયને તત્કાળ નિયાણું કર્યું કે ‘જો મારું તપ પ્રમાણભૂત હોય તો હું યાદવોની દ્વારાવતી પુરીનો દાહ કરનાર થાઉં.’’ આ વૃત્તાંત તે કુમારોએ કૃષ્ણ અને બલરામ પાસે જઈને કહ્યો. તે સાંભળી કૃષ્ણ અને બલરામ દ્વૈપાયનની પાસે જઈ કહેવા લાગ્યા—‘હે મુનિ! આવું ભયંકર નિયાણું કૃપા કરીને નિષ્ફળ કરો.’ દ્વૈપાયને કહ્યું–‘‘તે વૃથા થશે નહીં, પણ તમને બેને જવા દઈશ. તે સિવાય બીજા કોઈને પણ છોડીશ નહીં. હવે વિશેષ તમારે મને કાંઈ કહેવું નહીં.'' પછી કૃષ્ણે દ્વારિકામાં આવી પડહ વગડાવ્યો કે ‘હે લોકો! દ્વૈપાયન તાપસે કોપથી આપણી નગરીનો પ્રલય કરવો નિર્ધાર્યો છે, માટે તમે જિનઘ્યાનમાં એક ચિત્તવાળા થજો.'' લોકોએ તેમ કરવા માંડ્યું. તે પ્રસંગે શ્રી નેમિનાથ પ્રભુએ દેશના આપી કે ‘“સંઘ્યાકાળના વાદલનો રંગ, હસ્તીના કાન, દર્ભના અગ્રભાગે રહેલું જલબિંદુ, સમુદ્રનાં મોજાં અને ઇંદ્રધનુષ જેવું આ સાંસારિક દ્રવ્ય, યૌવન અને રાજ્યસુખ સર્વ ચપલ છે.’’ શ્રી નેમિપ્રભુની આવી દેશના સાંભળી કેટલાય લોકોએ દીક્ષા અંગીકાર કરી. દ્વૈપાયનઋષિ મૃત્યુ પામીને અગ્નિકુમાર નિકાયમાં દેવ થયો. પૂર્વના રોષથી તે દ્વારિકા નગરીને ઉપદ્રવ ક૨વા આવ્યો, પણ કૃષ્ણની આજ્ઞાથી લોકો આંબેલ વગેરે તપ કરતા હતા, તેથી તે તેમનો પરાભવ કરવા સમર્થ થઈ શક્યો નહીં. એવી રીતે બાર વર્ષ વીતી ગયાં. અન્યદા સર્વ લોકો લૌકિક પર્વને દિવસે ધર્મકાર્યમાં પ્રમાદી થઈ ગયા. તે અવસરનો લાભ લઈ દુરાત્મા હૈપાયને સંવર્તક પવન વડે નગરીમાં તૃણકાષ્ઠ ક્ષેપવી તેને સળગાવી. તે વખતે બહારગામ ગયેલા યાદવોને પણ તેણે લાવી લાવીને તેમાં નાંખ્યા. તે સમયે બલરામ અને કૃષ્ણ સંભ્રમ પામી રોહિણી, દેવકી અને વસુદેવ એ ત્રણને રથમાં બેસારી નગરીના દરવાજા પાસે આવ્યા. ત્યાં રથના ઘોડા એક ડગલું પણ આગળ ચાલી શક્યા નહીં, એટલે કૃષ્ણ અને બલરામ પોતે રથ ખેંચવા લાગ્યા. તે વખતે દ્વૈપાયન દેવે કહ્યું–‘હે રામકૃષ્ણ ! તમે વૃથા પ્રયાસ શા માટે કરો છો? તમારા બે સિવાય કોઈને હું છોડીશ નહીં.’ એટલું કહેતાંમાં જ નગરીનો જાજ્વલ્યમાન થતો દરવાજો ૨થ ઉપર તૂટી પડ્યો અને રથમાં બેઠેલા ત્રણે જણ મૃત્યુ પામ્યા. તેઓ શ્રી જિનેશ્વરના ધ્યાનમાં લીન હોવાથી દેવપણાને પામ્યા. કૃષ્ણ અને બલરામે નગરીમાંથી નીકળી કોઈ પર્વતના શિખર ઉપર ચડી તે નગરીને છ માસ સુધી બળતી જોઈ. પછી તે બન્ને પાંડુપુત્રની પાંડુમથુરા નગરીએ જવા ઉત્સુક થયા. અનુક્રમે ચાલતાં ચાલતાં તેઓ કૌશાંબી નગરીના વનમાં આવ્યા. ત્યાં એક વડના વૃક્ષ નીચે શિલા ઉપર બન્ને વિશ્રામ લેવા બેઠા. તે વખતે ઘણી તૃષા લાગવાથી કૃષ્ણે પોતાના બંધુ પાસે જળ માંગ્યું, એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy