SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૭૯] સત્યનું માહાભ્ય પ૯ એક વખતે હંસરાજા અલ્પ પરિવાર લઈ રત્નશિખરગિરિ ઉપર ચૈત્રી મહોત્સવના પ્રસંગે શ્રી આદીશ્વર પ્રભુને નમવા ગયો. અર્થમાર્ગે આવતાં કોઈ સેવકે ત્વરાથી આવીને કહ્યું કે-“હે દેવ! તમે યાત્રા કરવા ચાલ્યા કે તરત સીમાડાના રાજાએ આવી બળાત્કારે તમારા નગરને કબજે કર્યું છે, તેથી આપને જેમ યોગ્ય લાગે તેમ કરો.” પાસે રહેલા સુભટોએ પણ રાજાને વિજ્ઞપ્તિ કરી કે, “સ્વામી, આપણે પાછા જઈએ.” રાજાએ કહ્યું કે, “પ્રાચીન પૂર્વ કર્મના વશથી સંપત્તિ અને વિપત્તિની પ્રાપ્તિ થયા જ કરે છે, તેથી જેઓ સંપત્તિમાં હર્ષ અને વિપત્તિમાં ખેદને વિસ્તારે છે તેઓ ખરેખરા મૂઢ છે. આ અવસરે સદ્ભાગ્યથી પ્રાપ્ત થયેલા જિનયાત્રામહોત્સવને તજી દઈને ભાગ્યથી લભ્ય એવા રાજ્યને માટે દોડવું તે યુક્ત નથી.” વળી કહ્યું છે धनेन हीनोपि धनी मनुष्यो, यस्यास्ति सम्यक्त्वधनं महायं । धनं भवेदेकभवे सुखार्थं, भवे भवेऽनंतसुखी सुदृष्टि ॥१॥ ભાવાર્થ-જેની પાસે સમકિતરૂપી અમૂલ્ય ઘન છે, તેને ઘનહીન છતાં ઘનવાન સમજવો, કેમ કે ઘન તો એક ભવમાં જ સુખદાયક છે અને સમકિત તો ભવોભવમાં અનંત સુખદાયક છે.” આ પ્રમાણે કહી રાજા પાછો ન વળતાં આગળ ચાલ્યો; પરંતુ શત્રુ આવ્યાના ખબર સાંભળી એક છત્રઘારક સિવાય બીજો સર્વ પરિવાર પોતપોતાના ઘરની સંભાળ લેવા પાછો વળી ગયો. રાજા પોતાના અલંકારોને ગોપવીને છત્રઘારકના વસ્ત્રો પહેરીને આગળ ચાલ્યો. ત્યાં કોઈ એક મૃગ રાજાના દેખતાં સત્વર દોડતો લતાકુંજમાં પેસી ગયો. તેની પછવાડે તરત જ ઘનુષ્ય ઉપર બાણ ચડાવેલો કોઈ ભીલ આવ્યો. તેણે રાજાને પૂછ્યું, “અરે! મૃગ કઈ બાજુ ગયો તે કહે.” તે સાંભળી રાજાએ મનમાં ચિંતવ્યું કે, “જે પ્રાણીઓને અહિત હોય તે સત્ય હોય તો પણ કહેવું નહીં અને તેવો પ્રસંગ આવે ત્યારે સુબુદ્ધિ પુરુષોએ તે પૂછનારને બુદ્ધિના પ્રપંચથી સમજાવવો.” આ પ્રમાણે ચિંતવી રાજા બોલ્યો કે “અરે ભાઈ! હું માર્ગભ્રષ્ટ થયો છું.' કિરાતે ફરી પૂછ્યું, ત્યારે રાજાએ કહ્યું કે, હું હંસ છું.” આ પ્રમાણે રાજાનાં વચન સાંભળી તે ભીલ ક્રોઘથી બોલ્યો કે, “અરે વિકળ! આવો વિપરીત ઉત્તર કેમ આપે છે?” ત્યારે રાજાએ કહ્યું કે, “હવે તમે મને જે માર્ગ બતાવશો, તે માર્ગે હું જઈશ.' આ પ્રમાણે વિરુદ્ધ વચનો સાંભળી તે ભીલ તેને ગાંડો માની નિરાશ થઈને પાછો ચાલ્યો ગયો. ત્યાંથી રાજા આગળ ચાલ્યો, તેવામાં એક સાઘુ તેના જોવામાં આવ્યા. તેમને નમસ્કાર કરી આગળ જતાં હાથમાં શસ્ત્ર ઘારણ કરનાર બે ભીલ રાજાને સામા મળ્યા. તેઓએ રાજાને કહ્યું કે “અરે પાંથ! અમારા સ્વામી ચોરી કરવા જતા હતા. ત્યાં વચમાં એક સાઘુ સામો મળ્યો; તેથી અપશુકન થયા જાણી અમારા સ્વામી પાછા વળ્યા, અને અમને તે મુનિને મારવા માટે મોકલ્યા છે, તો તે સાઘુ તારા જોવામાં આવ્યો હોય તો બતાવ.” રાજા તે વખતે અસત્ય પણ સત્ય જેવું છે એમ માનીને બોલ્યો કે-“તે સાધુ ડાબે માર્ગે જાય છે પણ તમને મળશે નહીં, કારણ કે તે વાયુની જેમ પ્રતિબંધ રહિત છે.” આવો ઉત્તર સાંભળી તે બન્ને પાછા ચાલ્યા ગયા. પછી રાજા સૂકાં પાંદડાં વગેરેનો આહાર કરીને રાત્રે સૂવા માટે તૈયારી કરતો હતો તેવામાં કાંઈક કોલાહલ તેના સાંભળવામાં આવ્યો. તેમાં તેણે એવો શબ્દ સાંભળ્યો કે, “આપણે ત્રીજે દિવસે સંઘને લૂંટીશું.” તે સાંભળી રાજા ચિંતાતુર થયો. ક્ષણવાર થઈ તેવામાં તો કેટલાક સુભટોએ આવીને પૂછ્યું કે, “અરે! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy