SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ વળી જુગાર વગેરેનું રમવું–‘આદિ’ શબ્દથી સોગઠાબાજી, ગંજીફા, શતરંજ વગેરેનું રમવું. અથવા ‘આદિ’ શબ્દથી સાત દુર્વ્યસન સેવવા તે પ્રમાદાચરણ છે, તેથી તેને તજી દેવાં. કહ્યું છે કે—જુગાર, માંસભક્ષણ, સુરાપાન, વેશ્યાસંગ, શિકાર, ચોરી અને પરસ્ત્રીસેવન આ સાત દુર્વ્યસન કહેવાય છે. તે પ્રાણીને ઘોરાતિઘોર નરકમાં લઈ જાય છે.” જુગાર વગેરેના વ્યસનથી પ્રાણીને પગલે પગલે વિપત્તિ પ્રાપ્ત થાય છે. જુગાર વિષે એક કથા છે તે આ પ્રમાણે— ૨૨૨ જુગાર વિષે પુરંદરરાજાની કથા સિદ્ધપુર નામના નગરમાં પુરંદર નામે રાજા હતો. તે સુંદર નામના કોઈ જુગારી મિત્ર સાથે જુગાર રમવા લાગ્યો. તે જોઈ એક વખતે તેની રાણીએ અમૃતસમાન વાણીથી રાજાને કહ્યું કે, ‘‘હે સ્વામી! જુગા૨થી નળરાજા અને પાંડવો પગલે પગલે નિંદાને પ્રાપ્ત થઈ દુઃખી થયા છે, તેથી સર્પ જેમ કાંચળીને છોડી દે તેમ તમે જુગારને છોડી દો.’’ ઇત્યાદિ વચનો વડે બહુ નિવાર્યો, તો પણ રાજાએ જુગાર છોડ્યો નહીં. એક વખતે રાજા તેના નાના ભાઈ સાથે જુગાર રમતાં રાજ્ય હાર્યો. રાજ્યપાટ હારવાથી અનુજ બંધુએ તેને નગરની બહાર કાઢી મૂક્યો. રાજા રાણી અને એક કુમારને લઈને અરણ્યમાં ચાલી નીકળ્યો. માર્ગે જતાં કોઈ ભીલની સાથે એવી શરત કરી કે, જો હું જીતું તો તારી સ્ત્રી લઉં અને હારું તો માથું આપું.’ આવી શરત કરી જુગા૨ ૨મ્યો, તેમાં રાજા જીત્યો. એટલે જાણે કાજળથી બનાવી હોય તેવી કાળી અને દુર્ભાગ્યથી નિર્માણ કરેલી હોય તેવી કુરૂપા ભીલડીને લઈને રાજા આગળ ચાલ્યો. માર્ગે ચાલતાં નીચ ભીલડીને વિચાર થયો કે, ‘આ રાણી મારી સપત્ની (શોક્ય) હોવાથી મારી વૈરિણી છે માટે તેને મારી નાખું તો સુખ થાય.' એવો વિચાર કરી જળ ભરવાનું મિષ કરી રાણીને કૂવા પાસે લઈ જઈ કૂવામાં નાખી દીધી અને પુરંદરરાજા પાસે આવીને કહ્યું કે, ‘તમારી રાણી તો કોઈ બીજા પુરુષને લઈને ચાલી ગઈ.' રાજા તેના વિયોગથી ઘણો ખેદ પામ્યો. પછી ભીલડી અને કુમારને લઈને રાજા આગળ ચાલ્યો. માર્ગમાં એક મોટી નદી આવી. ભીલડી અને કુમા૨ બન્નેને એક સાથે નદી ઉતારવાને અસમર્થ હોવાથી પ્રથમ ભીલડીને લઈને રાજા નદીમાં પેઠો. ત્યાં કોઈ મગર રાજાને ગળી ગયો, અને ભીલડી નદીમાં તણાઈ જવાથી મૃત્યુ પામી ગઈ. રાજાના ભારથી મગર વધારે ચાલી શક્યો નહીં. એટલે કાંઠા ઉપર આવીને પડ્યો. ઢીમર લોકોએ તેને પકડીને ચીર્યો, એટલે તેના ઉદરમાંથી રાજા નીકળ્યો. તેને શીતળ પવનથી સંજ્ઞા આવી. એટલે ઢીમર લોકોએ તેને પોતાને ઘેર દાસ કરીને રાખ્યો. એક વખતે રાજા મત્સ્ય લેવાને નદીમાં પેઠો, ત્યાં નદીના પૂરમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યો. અહીં રાણી કૂવામાં પડી હતી તેને કોઈ મુસાફરોએ કૂવામાંથી કાઢી. તે મુસાફરોના સાર્થપતિએ તેને ‘તું કોણ છે?” એમ પૂછ્યું; એટલે તેણીએ પોતાનું વૃત્તાંત જે યથાર્થ હતું તે કહી બતાવ્યું. તેથી તેણે પોતાની પાસે તેને બહેન કરીને રાખી. નદીને કાંઠે જે રાજકુમાર રહ્યો હતો તેને કોઈ વિદ્યાધરી વૈતાઢ્ય પર્વત ઉપર લઈ ગઈ; અને તેને ઘણી વિદ્યાઓ શીખવીને અનુક્રમે તેના પિતાના રાજ્ય ઉપર બેસાડ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy