SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૯ ચંદરવા બાળી નાખ્યા હતા તેથી આ ભવમાં સાત વર્ષ સુધી તને કોઢનો વ્યાધિ રહ્યો હતો.’’ આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળીને તે બન્નેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી પુત્રને રાજ્ય સોંપી પોટિલાચાર્ય પાસે દીક્ષા લઈને તે બન્ને સ્વર્ગે ગયા. ‘ઉપરની કથા સાંભળીને જે ઘાર્મિક શ્રાવક શયનસ્થાને, પાણિયારામાં અને રસોડા વગેરેમાં ભાવથી ચંદરવા બાંધે તે ઉત્તમ દેવલોકને પામે છે.’’ વ્યાખ્યાન ૧૩૫ પ્રમાદાચરણના બીજા ભેદ વળી બીજાં પ્રમાદાચરણ દર્શાવે છે— अव्रतप्रत्ययी बंधं, प्रत्याख्यानेन वारयेत् । सर्वं प्रयत्नतः कार्यं, तथा द्युतादिसेवनम् ॥ १ ॥ कुतूहलान्नृत्यप्रेक्षां, कामग्रंथस्य शिक्षणम् । સુધી: પ્રમાવાષરળ, વાવ પરિત્વનેત્ રા ભાવાર્થ-‘વ્રત લીધા વિના અવિરતિપણાથી જે કર્મનો બંધ પડે છે તેને પચખાણ લેવા વડે નિવારવો, સર્વ કાર્ય યતનાથી કરવું; અને જુગટા વગેરેનું રમવું, કુતૂહલથી નૃત્ય જોવું, અને કામગ્રંથનું શીખવું ઇત્યાદિ પ્રમાદાચરણ સબુદ્ધિવાળા મનુષ્યોએ છોડી દેવાં.’ વિશેષાર્થ-અવિરતિ વડે થતો કર્મનો બંઘ પચખાણ કરીને નિવારવો. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી—–એ ચાર ગતિરૂપ આ અપાર સંસારને વિષે ભ્રમણ કરતા પ્રાણીઓએ જે જે દેહ, આયુષ્ય ભોગવીને અસ્થિ, લોહ અથવા કાષ્ઠરૂપ પૂર્વે છોડ્યા છે, તે શરીર વડે જ્યારે જ્યારે બીજા જીવોના વધરૂપ અનર્થ થાય, ત્યારે ત્યારે પ્રથમ મૂકેલા દેહનો સ્વામી જે જીવ તેણે અન્ય ભવને પ્રાપ્ત કર્યા છતાં પણ તેની સત્તાનો ત્યાગ કર્યો નથી એટલે તે દેહને વોસરાવ્યા નથી તેથી ત્યાં સુધી તેના વડે થતા પાપથી લિપ્ત થાય છે; એટલે જ્યાં તે ગયો હોય ત્યાં તે પાપ અવિરતિ વડે આવે છે. એ તત્ત્વાર્થ છે. તે વિષે ભગવતીસૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં કહ્યું છે કે, “હે ભગવંત! કોઈ મનુષ્ય ધનુષ્યમાંથી બાણ છોડે અને તેના વડે જીવ હણાય તો તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે?’’ ભગવંત ઉત્તર આપે છે કે—‘હે ગૌતમ! જે પુરુષ ઘનુષ્યવડે બાણ છોડે છે તેને પાંચ ક્રિયાઓ લાગે છે. કાયિકી, અધિકરણિકી, પ્રહેષિકી, પરિતાપિકી અને પ્રાણાતિપાતિકી; અને જે જીવના દેહથી તે ઘનુષ્ય વગેરે નીપજ્યા હોય છે તે જીવને પણ તે પાંચ ક્રિયાથી સ્પર્શ થયેલો કહેવાય છે.’’ Jain Education International અહીં કોઈ શંકા કરે કે, “જેણે બાણ મૂક્યું, તેને તો તે ક્રિયાઓ લાગુ પડે પણ બીજા જીવોને શી રીતે લાગુ પડે? કેમકે તે તો માત્ર કાયરૂપ છે, અને તેનું અચેતનપણું છે. વળી જો એમ કહેશો કે માત્ર શરીરથી પણ ક્રિયા લાગે તો સિદ્ધ થયેલા જીવોને પણ પ્રથમ મૂકેલા દેહને લીઘે બળાત્કારે બંધ થવો જોઈએ. કારણ કે સિદ્ધ થયેલા જીવનો દેહ પણ કોઈ ઠેકાણે જીવધાતનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy