SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ ભાવાર્થ-બહુ પ્રમાદવાળા આ કાળમાં દર્શન અને જ્ઞાન વડે જ શાસન પ્રવર્તે છે, ચારિત્ર તો વિચ્છેદ પામ્યું છે, તેથી હાલ તો ગૃહસ્થનો ઘર્મ અંગીકાર કરવો તે જ શ્રેષ્ઠ છે.” આ પ્રમાણે પૂર્વોક્ત ચારમાં બીજી ત્રણ વિકથા મેળવવાથી સાત પ્રકારની વિકથા થાય છે; પણ અહીં મથાળાના શ્લોકમાં તો આવશ્યકાદિ સૂત્રમાં પ્રસિદ્ધ ચાર વિકથા હોવાથી ચાર પ્રકારની જ કહેલી છે. વિકથા ઉપર એક રોહિણી નામની સ્ત્રીની કથા છે તે આ પ્રમાણે– વિકથા ઉપર રોહિણીની કથા કુંડનપુરી નામની નગરીમાં સુભદ્ર નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને રોહિણી નામે એક બાળવિધવા પુત્રી હતી. તેણે ગુરુ પાસે અધ્યયન કરીને કમ્મપડિ વગેરે ગ્રંથો પોતાના નામની જેવા કંઠે કર્યા હતા. તે હમેશાં ત્રિકાળ જિનપૂજા અને બે કાળ આવશ્યક કરતી હતી અને નિત્ય ભણવાથી તે એક લાખ કરતાં વિશેષ સ્વાધ્યાયનો પાઠ કરનારી થઈ હતી. અહીં અંતરંગ એવું બન્યું કે, ચિત્તરૂપ નગરમાં રહેનારા મોહરાજાને તેના કુબોઘ નામના દૂતે જણાવ્યું કે, “મહારાજ! એક રોહિણી નામે સ્ત્રી તમારા વારંવાર અવગુણ ગાય છે અને તમારા પુત્ર રાગ અને દ્વેષની, તમારા મિથ્યાત્વ નામના મંત્રીની અને અઢાર પાપસ્થાનકરૂપ સભાસદોની ઘણી નિંદા કરે છે. તે સાંભળી મોહરાજા પોતાની સભા સમક્ષ રુદન કરતો ગદ્ગદ્ વાણીએ બોલ્યો કે, “અરે! મારી સભામાં, મારા પરિવારમાં કોઈ એવો નથી કે જે મારી આજ્ઞાને ખંડન કરનારી રોહિણી કે જે મારા વૈરી ચારિત્રઘર્મને મળવાને ઉત્સુક છે તેને વશ કરીને મને સોંપી દે?” આ પ્રમાણેનાં મોહરાજાનાં વચનો સાંભળીને એક ખૂણે બેઠેલી મોહરાજાની સ્ત્રી કુદ્રષ્ટિની સખી વિકથા નામે યોગિની બોલી-“હે સ્વામી! આવા સ્વલ્પ કામમાં આપને ખેદ કરવો યોગ્ય નથી; કેમકે તમારા એકે એક સેવકે સમ્યકત્વ, વ્રત અને શ્રતથી પૂર્ણ થયેલા એવા જીવોને પણ પોતાના ગુણોથી પાડી દીધા છે, તેઓ અદ્યાપિ આપના ચરણની પાસે રજની જેમ રઝળે છે. તેમની સંખ્યા પણ કોઈ જાણતું નથી. તે વિષે જવાનુશાસનની વૃત્તિમાં કહેલું છે કે, “મોહના પ્રભાવથી અનંતા શ્રુતકેવળીઓ પણ પૂર્વગત મૃતને ભૂલી જઈ મૃત્યુ પામીને અનંતકાયમાં ગયેલા ને રહેલા છે.” માટે હે રાજા! આ બિચારી રોહિણી તે કોણમાત્ર છે?” આ પ્રમાણે કહી મોહરાજાએ આપેલી આશિષ ગ્રહણ કરીને વિકથાએ રોહિણીના મુખમાં અને ચિત્તમાં પ્રવેશ કર્યો. તે વખતથી રોહિણી તત્કાળ ઘર્મનાં સર્વકાર્યમાં વિકથા કરવા લાગી અને બીજાની પાસે કરાવવા લાગી. એક વખતે સાઘુઓએ અને સાધ્વીઓએ તેને શિક્ષા આપી કે, “હે શ્રાવિકે! તને સુજ્ઞાતને પરનિંદા ને વિકથા કરવી યોગ્ય નથી. કહ્યું છે કે, यदीच्छसि वशीकर्तुं, जगदेकेन कर्मणा । परापवादशस्येभ्य-श्चरंतीं गां निवारय ॥१॥ " ભાવાર્થ-જો એક જ કર્મથી આ જગતને વશ કરવાને તું ઇચ્છતા હો તો પરનિંદારૂપ ઘાસને ચરતી એવી તારી વાણીરૂપ ગાયને તેમાંથી નિવૃત્ત કર.” તે સાંભળી રોહિણીને ક્રોઘ ચડ્યો, એટલે હળવે હળવે મોહરાજાનું સર્વ સૈન્ય તેની પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy