SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૩૩]. પ્રમાદનો પાંચમો ભેદ-વિકથા ૨૧૫ સ્ત્રીથી શું સુખ મળે?” વળી સ્ત્રી સંબંધી દેશ, જાતિ, કુળ, રૂપ, નામ, પહેરવેશ અને પરિજનની કથા કરવી તે પણ સ્ત્રીકથા. તેમાં દેશ સંબંધી સ્ત્રીકથા આ પ્રમાણે-“લાટદેશની સ્ત્રીઓ મથુરભાષી અને રતિક્રિયામાં નિપુણ હોય છે ઇત્યાદિ.” જાતિ સંબંધી સ્ત્રીકથા આ પ્રમાણે-“વિઘવા થયેલી બ્રાહ્મણની સ્ત્રીઓને ધિક્કાર છે, કે જેઓ જીવતી મર્યા જેવી છે, અને કેટલીક બીજી જાતિની સ્ત્રીઓને ઘન્ય છે કે જે સદા અનિંદિત રહે છે ઇત્યાદિ.” કુળ સંબંધી સ્ત્રીકથા આ પ્રમાણે-“અહો! સોલંકી રાજ્યવંશની પુત્રીઓનું સાહસ જગતમાં સર્વથી અધિક છે. તેઓ પતિની અણમાનતી હોય તો પણ પતિ મૃત્યુ પામે તેની પાછળ અગ્રિમાં પ્રવેશ કરે છે ઇત્યાદિ.” રૂપ સંબંધી સ્ત્રીકથા કે જેમાં સ્ત્રીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવે. નામ સંબંધી સ્ત્રીકથા આ પ્રમાણે-“જેવું સ્ત્રીનું નામ તેવું પરિણામ” એમ કહે. નેપથ્ય (વેશ) સંબંધી સ્ત્રીકથા આ પ્રમાણે-“તે સ્ત્રીના રૂપ, યૌવન અને પહેરવેશને ધિક્કાર છે કે જે યુવાન પુરુષોના નેત્રને આનંદદાયક થતાં નથી.” પરિજન સંબંધી સ્ત્રીકથા આ પ્રમાણે-“આ સ્ત્રીનો દાસ દાસીનો પરિવાર ડાહ્યો અને વિનીત છે' ઇત્યાદિ સ્ત્રીકથાનો ત્યાગ કરવો. (૩) દેશકથા આ પ્રમાણે–જેમકે “માળવદેશ રમણીય છે કે જેમાં સારાં ઘાન્ય અને સુવર્ણ થાય છે; અને જ્યાં કટિમેખલા પણ સોનાની પહેરાય છે. ગુર્જરભૂમિ દુર્ગમ અને ઉગ્ર સુભટવાળી છે. લાટદેશ તો ભીલલોકોથી ભરપૂર છે. કાશ્મીરમાં મૂર્ખતા બહુ છે; અને કુંતલદેશ સુખમાં સ્વર્ગ જેવો છે.” આ પ્રમાણે દેશકથા સબુદ્ધિવાળા પુરુષોએ દુર્જનના સંગની જેમ છોડી દેવી. (૪) ભક્તકથા–એટલે ભોજનનો સ્વાદ વગેરેની કથા. તે આ પ્રમાણે–જેમકે “આ પુરુષે વિવાહાદિ કાર્યમાં ઘણી ઉત્તમ રસોઈ કરી હતી. તેમાં જે શાકભાજી બનાવ્યા હતા તેનો સ્વાદ હજુ દાઢમાં જ છે” અથવા “આણે કરેલા પક્વાન્ન વગેરે તો બાળી દેવા જેવા જ હતા. એક પાપડ વિના બીજું બધું ખરાબ કર્યું હતું.' ઇત્યાદિ. આ પ્રમાણે ભક્તકથાનો ત્યાગ કરવો. આ પ્રમાણે ચાર પ્રકારની વિકથા જાણવી. સંબોઘસિત્તરી નામના પ્રકરણની વૃત્તિમાં સાત પ્રકારની વિકથા કહેલી છે–તેમાં ઉપર કહેલી ચાર અને બીજી ત્રણ પ્રકારની વિકથા આ પ્રમાણે (૧) શ્રોતાના હૃદયને મૃદુ બનાવી દે તે પહેલી વૃદ્ધીકથા કે જેમાં પુત્ર-પુત્રી આદિની કથાનું પ્રદાનપણું હોવાથી તે કરુણા ઉત્પન્ન કરે તેવી હોય છે જેમકે, “હા પુત્ર! હા વત્સ! અમને મૂકીને તું પ્રજ્વલિત અગ્નિમાં ક્યાં પડ્યો?’ ઇત્યાદિ. (૨) બીજી દર્શનભેદિની કથા–જેમાં કુતીર્થીઓના જ્ઞાનાદિકના અતિશયપણાની પ્રશંસા કરવામાં આવે છે. જેમકે, “બુદ્ધનું શાસન સૂક્ષ્મ અર્થને જણાવનારું હોવાથી શ્રવણ કરવા યોગ્ય છે.” ઇત્યાદિ. (૩) ત્રીજી ચારિત્રભેદિની કથા–જેમાં વ્રત ગ્રહણ કરેલા અથવા વ્રત લેવાને તત્પર થયેલા પુરુષના ચારિત્ર સંબંધી વિચારનો ભેદ (ભંગ) કરવામાં આવે છે. જેમકે “કેવલી વિનાના આ કાળમાં ચારિત્રનો શુદ્ધ કે અશુદ્ધ ભાવ કોણ જાણે છે? માટે ચારિત્ર લેવું નકામું છે.” વળી “આ કાળમાં તો ચારિત્ર લઈને માત્ર દેહને પીડા કરવાની છે; કારણકે ગિરિના શિખર ઉપરથી પડવું સહેલું છે પણ ચારિત્ર પાળવું સહેલું નથી.” વળી એમ કહે કે काले पमायबहुले, दंसणनाणेहिं वट्टए तित्थं । वुच्छिन्नं चारित्तं, तो गिहिधम्मो वरं काऊ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy