SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૩૨] અનર્થદંડના બીજા ભેદો ૨૧૩ પ્રચલાપ્રચલા અને વાસુદેવથી અર્ધ બળ ઊંઘનારમાં આવે અને દિવસે ચિંતવેલું કાર્ય રાત્રે ઊંઘમાં ઊઠીને કરે તે સ્થાનદ્ધિ. એ પ્રમાણે નિદ્રાના પાંચ ભેદ છે. સ્યાનદ્ધિ નિદ્રાની પૂર્વ કથિત વ્યાખ્યા કર્મગ્રંથની ચૂર્ણમાં કહેલી છે. પણ તેટલું બળ વજ>ઋષભનારાચ સંઘયણની અપેક્ષાએ સમજવું. તે સિવાય તો વર્તમાનકાળના યુવાનોથી આઠગણું બળ હોય એવો કર્મગ્રંથની વૃત્તિનો અભિપ્રાય છે. જીતકલ્પની વૃત્તિમાં એમ લખે છે કે, “સ્યાનદ્ધિ નિદ્રાનો ઉદય થાય ત્યારે અતિ સંક્લિષ્ટ પરિણામથી દિવસે જોયેલા અર્થને રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં ઊઠીને સાધે છે; અને તે વખતે તેનામાં વાસુદેવથી અડધું બળ હોય છે. તે નિદ્રાનો વિયોગ હોય ત્યારે પણ તે મનુષ્યમાં બીજા પુરુષોથી ત્રણગણું કે ચોગણું બળ હોય છે. આ નિદ્રા નરકગામી જીવોને જ હોય છે.” આ નિદ્રા વિષે મહાભાષ્યની ૨૩૪ મી ગાથામાં ઘણાં દ્રષ્ટાંતો કહેલા છે. તે ગાથામાં કહ્યું છે કે–“થિણદ્ધિ નિદ્રા ઉપર માંસ, મોદક, હાથીદાંત, કુંભાર અને વડવૃક્ષ–એમ પાંચ ઉદાહરણો જાણવા. તે ઉદાહરણો આ પ્રમાણે કોઈ કણબી માંસભક્ષી હતો. તેને કોઈ સ્થવિર સાઘુએ પ્રતિબોઘ પમાડી દીક્ષા આપી. અન્યદા કોઈ ઠેકાણે પાડાનો વઘ થતો તેના જોવામાં આવ્યો. તેથી તેનો અભિલાષ કરતો તે સૂઈ ગયો. રાત્રે તેને સ્થાનદ્ધિ નિદ્રાનો ઉદય થઈ આવ્યો, તેથી તેણે ઊભા થઈ કોઈ ઠેકાણે જઈ બીજા પાડાને મારી તેનું માંસ ભક્ષણ કર્યું અને બાકીનું જે વધ્યું તે સાથે લાવી ઉપાશ્રયમાં પોતાના સંથારા પાસે મૂકીને સૂઈ ગયો. પ્રાતઃકાળે તેણે ગુરુને કહ્યું કે, “મેં આવું સ્વપ્ન જોયું છે. ત્યાં તો પેલું માંસ બીજા સાધુઓના જોવામાં આવ્યું. તેથી તેમણે જાણ્યું કે, “આ સાધુને રાત્રીએ મ્યાનદ્ધિ, નિદ્રાનો ઉદય થયેલો જણાય છે' પછી સંઘે મળી તેની પાસેથી ઓઘો મુહપત્તી વગેરે મુનિલિંગ લઈ લીધું અને તેને વિસર્જન કરી દીઘો. કારણ કે આ નિદ્રાવાળા જીવો દીક્ષાને યોગ્ય હોતા નથી. કોઈ એક સાથે શ્રાવકને ઘેર મોદક જોઈ તેની અભિલાષા કરતો સૂઈ ગયો. રાત્રે તેને સ્યાનદ્ધિ નિદ્રાનો ઉદય થયો, એટલે ઊઠીને તે શ્રાવકને ઘેર ગયો, અને તેના કમાડ ભાંગી તે મોદક ખાઈ બાકીના ઉપાશ્રયે લાવી પાત્રામાં નાખીને સૂઈ ગયો. સવારે ઊઠીને તેણે પણ સ્વપ્ન આવ્યાનું જ ગુરુને કહ્યું, પણ પાત્રાં પડિલેહતાં તેમાં મોદક દીઠા. એટલે ગુરુએ તેને સ્થાનદ્ધિ નિદ્રા આવેલી જાણી વિસર્જન કરી દીધો. કોઈ એક સાધુને હાથીએ બહુ ખેદ પમાડ્યો. ત્યાંથી કોઈ પ્રકારે નાસીને તે ઉપાશ્રયમાં આવ્યો, અને તે હાથી ઉપર મનમાં કોપ કરતો સૂઈ ગયો. રાત્રે તેને સ્વાદ્ધિ નિદ્રાનો ઉદય થતાં તે મુનિ નગરના કમાડ ભાંગી, તે હાથીને મારી, તેના દાંત ખેંચી કાઢી પોતાના સ્થાનમાં લાવીને સૂઈ ગયો. પ્રભાતે તે હકીકત જાણવામાં આવતાં તેને સંયમને અયોગ્ય જાણી ગુરુએ કાઢી મૂક્યો. કોઈ કુંભારે મોટા ગચ્છમાં દીક્ષા લીધી. એક વખત સ્વાદ્ધિ નિદ્રાનો ઉદય થતાં પૂર્વે જેમ માટીના પિંડ તોડતો હતો તેમ તેણે સાઘુઓના શિર તોડીને કબંઘ (ઘડ)ની સાથે એકાંતમાં મૂકી દીઘા. બીજા કેટલાક મુનિઓ ત્યાંથી ખસી ગયા તે બચ્યા. પ્રાતઃકાળે એ દેખાવ જોઈ સંઘે તે સાઘુને ગચ્છથી દૂર કર્યો. કોઈ સાધુને જવા આવવાના માર્ગમાં એક વડનું વૃક્ષ દુઃખદાયક લાગતું હતું. એકદા રાત્રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy