SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ કરતી વખતે ઉષ્ણતાને લીધે તે ઘી ઓગળી ગયું, તે અજાણપણે મારા ખાવામાં આવી ગયું. તે દેવદ્રવ્ય ભક્ષણના દુષ્કૃત્યથી હું સાત ભવથી શ્વાનનો અવતાર પામ્યા કરું છું. આ ભવે તમારા પ્રભાવથી જાતિસ્મરણ થતાં મને માનુષીવાણી પ્રાપ્ત થઈ છે.” આ વાત સાંભળી તે બ્રાહ્મણે શ્વાનને પ્રસન્ન કરી તે સિવાય કોઈ બીજો દંડ કરાવવા પ્રાર્થના કરી. આવી રીતે અજાણપણે પણ જો દેવદ્રવ્ય ખાવામાં આવે તો દુઃખનું કારણ થાય છે. તેથી વિવેકી પુરુષોએ પોતાની શક્તિ પ્રમાણે દેવદ્રવ્યનું રક્ષણ કરવું. આ વૃત્તાંત સાંભળી અનેક રીતે અન્યાયવૃત્તિ છોડી દેવી, યશોવર્મા રાજાની જેમ ક્યારેય પણ નીતિ છોડવી નહીં. યશોવર્મા રાજાની કથા કલ્યાણકટક નામે નગરમાં યશોવર્મા નામે રાજા રાજ્ય કરતો હતો. તે ન્યાય આપવામાં સદા તત્પર રહેતો. લોકોને ન્યાય આપવાને માટે તેણે પોતાના ગૃહના દ્વાર ઉપર એક ન્યાયઘંટા બાંધી હતી. એક વખતે તેના રાજ્યની અધિષ્ઠાત્રી દેવી રાજા યશોવર્માની ન્યાયવૃત્તિની પરીક્ષા કરવા એક ગાયનું રૂપ અને તેની સાથે એક તત્કાલ જન્મેલા વાછડાનું રૂપ કરીને રાજમાર્ગમાં બેઠી. તે વખતે યશોવર્મા રાજાનો પુત્ર પોતાના વાહનને વેગથી દોડાવતો ત્યાં આવ્યો. વેગને લીધે તેની ગાડી વાછડાની ઉપર થઈને પસાર થઈ ગઈ, તેથી તે વત્સ મૃત્યુ પામ્યો. તે જોઈ ગાય મોટે સ્વરે રુદન કરવા લાગી અને અશ્રુઘારા છોડવા લાગી. કોઈએ ગાયને સૂચના કરી કે, રાજદ્વારે જઈ ફરિયાદ કરીને ન્યાય મેળવ; એટલે ગાય ત્યાં ગઈ અને તેણે શીંગડાના અગ્રભાગ વડે પેલી ન્યાયઘંટા વગાડી. રાજા યશોવર્મા તે વખતે ભોજન કરવા બેઠો હતો. તેણે ઘંટાનો શબ્દ સાંભળી સેવકોને કહ્યું કે, “કોણ ઘંટા વગાડે છે? તપાસ કરો.” સેવકોએ જોઈને કહ્યું કે, “મહારાજ! કોઈ નથી, આપ ભોજન કરી લો.” રાજા બોલ્યો-“નિર્ણય કર્યા સિવાય કેમ ભોજન થાય?” એમ કહી ભોજનનો થાળ છોડી રાજદ્વારની દોઢીએ આવીને જોયું તો ત્યાં બીજું કોઈ જોવામાં આવ્યું નહીં, પણ પેલી ગાયને દીઠી. એટલે રાજાએ તેને કહ્યું કે, “હે ઘેનો! શું તારો કોઈએ પરાભવ કર્યો છે? કર્યો હોય તો તે મને બતાવ.” તે સાંભળી ગાય આગળ ચાલી એટલે પછવાડે રાજા ચાલ્યો. ગાયે પેલો મૃત્યુ પામેલો પોતાનો વાછડો જ્યાં પડ્યો હતો ત્યાં લઈ જઈ તે બતાવ્યો. તે જોઈ રાજાએ સર્વની વચ્ચે કહ્યું કે, “જેણે આ વત્સ ઉપર ગાડી હાંકી હોય, તે મારી આગળ હાજર થઈ જાઓ.” બધા તે વાક્ય સાંભળી રહ્યા, પણ કોઈ પ્રગટ થયું નહીં; એટલે રાજાએ પ્રતિજ્ઞા કરી કે, “જ્યારે આ વાર્તા સ્કુટ થશે, અર્થાત્ આનો ગુનેગાર મળશે ત્યારે હું ભોજન કરીશ.” રાજાને એક લાંઘણ થઈ એટલે બીજે દિવસે પ્રાતઃકાળે રાજકુમારે આવીને જણાવ્યું કે, “હે દેવ! તેમાં હું અપરાથી છું, તેથી જે યોગ્ય લાગે તે દંડ કરો.” પછી રાજાએ નીતિશાસ્ત્રને જાણનારા વિદ્વાનોને એકઠા કરીને પૂછ્યું કે, “આ રાજકુમારને શો દંડ આપવો જોઈએ?” નીતિવેત્તાઓએ કહ્યું-“મહારાજ! રાજ્યને યોગ્ય આ એક જ પુત્ર છે, તેને શો દંડ હોય?” રાજા બોલ્યો-“રાજ્ય કોનું? અને પુત્ર કોનો? મારા માટે તો નીતિ જ મોટી છે. સોમનીતિમાં કહ્યું છે કે, પોતાનો પુત્ર હોય તો પણ તેને અપરાઘ પ્રમાણે દંડ આપવો જોઈએ; તેથી જ તેને યોગ્ય દંડ હોય તે કહો.” આવા રાજાનાં વચનો સાંભળી તે વિદ્વાનોમાંથી એક બોલ્યો કે–“નીતિમાં એમ કહ્યું છે કે, જે બીજાને જેવી વ્યથા કરે તેવી વ્યથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy