SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ વ્યાખ્યાન ૧૨૦]. અજાણ્ય ફળ વર્ચ બદલ્યા વિના એમ ને એમ મારી ભાભી સાથે સૂઈ ગઈ હતી. તે સાંભળી તેણે પોતાને નિયમ દેનારા ગુરુની પ્રશંસા કરી. એક વખતે પેલા સૂરિના શિષ્યો ત્યાં આવ્યા, તેમને નમી વંકચૂલે શ્રી જિનપ્રાસાદ કરાવવા વિષે ઘમદેશના સાંભળી. તેથી તત્કાળ તેણે તે જ પલ્લીમાં ચર્મણવતી નદીને તીરે એક જિનપ્રાસાદ કરાવ્યો. તેમાં શ્રી વીરભગવંતની સ્થાપના કરી. અનુક્રમે તે તીર્થ થયું. એ તીર્થની યાત્રા કરવા કોઈ વણિક સ્ત્રી સાથે ત્યાં આવ્યો. ચર્મણવતી નદી ઊતરવા માટે તે દંપતી વહાણમાં બેઠા. પ્રાસાદનું શિખર જોતાં તે વણિકની સ્ત્રી ચંદનાદિક ઉત્તમ દ્રવ્યો સુવર્ણના કચોળામાં લઈ લઈને તેની સામે નાખવા લાગી. એટલામાં તે વણિક સ્ત્રીના હાથમાંથી કચોળું નદીમાં પડી ગયું. તે જોઈ વણિક બોલ્યો-“અરે ભદ્ર! બહુ ખોટું થયું, આ કચોળું રાજાનું છે. આપણે ઘરાણે રાખ્યું છે, તેમાં અમૂલ્ય રત્ન જડેલા છે, હવે હું તેને શું ઉત્તર આપીશ?” પછી તે વણિકની આજ્ઞાથી કોઈ એક માછી તે લેવા નદીમાં પડ્યો. અંદર શોઘતાં શોઘતાં શ્રી પાર્શ્વનાથના બિંબના ખોળામાં રહેલું તે કચોળું તેણે દીઠું. તે લઈને તેણે વણિકને આપ્યું. તે રાત્રે ખલાસીને સ્વપ્ન આવ્યું કે, “નદીમાં પુષ્પમાળા નાખવી, તે માળા જે સ્થાને સ્થિર થાય તેની નીચે શ્રી પાર્શ્વનાથજીના બિંબની શોઘ કરવી, અને તે બિંબ લઈને વંકચૂલને આપવું. ખલાસીએ તે પ્રમાણે કર્યું અને શ્રી પાર્શ્વનાથજીનું બિંબ કાઢીને વંકચૂલને આપ્યું. તેથી ઘણા ખુશી થઈ તેણે તે માછીને પુષ્કળ દાન આપ્યું; અને શ્રી વિરપ્રભુના પ્રાસાદની બહાર મંડપમાં તે બિંબને તેણે સ્થાપિત કર્યું. પછી નવીન ચૈત્ય બંઘાવી તેમાં સ્થાપવા માટે તે બિંબ લેવા માંડ્યું. ઘણા પુરુષોએ મળીને પ્રયત્ન કર્યો, પણ તે બિંબ ત્યાંથી ચલિત થયું નહી, ત્યાં જ રહ્યું. અદ્યાપિ તે ત્યાં જ છે. ત્યાર પછી એક દિવસ પેલા માછીમારે આવીને કહ્યું કે, “હે સ્વામિ! પૂર્વે નદીમાંથી જ્યાંથી બિંબ કાઢ્યું હતું ત્યાં જ બીજું એક બિંબ અને સુવર્ણનો રથ છે.” એટલે વંકચૂલે સભા વચ્ચે પૂછ્યું કે, “આ બન્ને બિંબ વિષે કોઈ કાંઈ પણ હકીકત જાણે છે?” એટલે એક વૃદ્ધ પુરુષે કહ્યું કે, “દેવ! પૂર્વે પ્રજાપાળ નામે રાજા શત્રુના સૈન્ય સાથે યુદ્ધ કરવા ગયા હતા, તે સમયે શત્રુના ભયથી તે રાજાની રાણી પોતાનું સર્વસ્વ અને આ બે બિંબ સુવર્ણરથમાં રાખીને આ ચર્મણવતી નદીને જલદુર્ગ ઘારી તેમાં એક વહાણમાં રહી હતી. એવામાં કોઈ દુર્જને આવીને તેને કહ્યું કે, “રાજા મૃત્યુ પામ્યા.” તે સાંભળતાં જ તેણે તે બિંબ તથા રથ સહિત વહાણ જ આક્રમણ કરવા વડે જળમાં ડુબાડી દીધું. એટલે વહાણમાં કાણું પાડી જલસમાધિ લીધી. પોતે જિન ધ્યાનથી મૃત્યુ પામીને દેવતા થયેલ હશે, નહીં તો આ બિંબનો મહિમા કોણ કરે? તે બે બિંબમાંથી એક બિંબ તમે લાવ્યા છો અને બીજું એક બિંબ ત્યાં જ રહેલ જણાય છે.” આ પ્રમાણેની હકીકત સાંભળી તે બિંબ લેવા માટે વંકચૂલે અનેક ઉપાય કર્યા પણ તે નીકળ્યું નહીં. એમ સંભળાય છે કે, તે બિંબ અદ્યાપિ ત્યાં જ છે અને વર્ષમાં એક દિવસ દર્શન આપે છે.” શ્રી વિરપ્રભુના બિંબની અપેક્ષાએ શ્રી પાર્શ્વનાથનું બિંબ બહુ નાનું હોવાથી શ્રી વીરપ્રભુની આગળ તે બાળકરૂપ છે એવું ઘારી ત્યાંના મેવાડી ભીલ વગેરે લોકોએ તેનું ચલણ પાર્શ્વનાથ એવું નામ પાડ્યું. તે સિંહગુહા પલ્લીને ઠેકાણે અનુક્રમે મોટું નગર વસેલું છે. અદ્યાપિ શ્રી વિરભગવંતની તથા ચેલ્લણપાર્શ્વનાથની યાત્રા કરવા અનેક સંઘો ત્યાં આવી તેમને આરાઘે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy