SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ વ્યાખ્યાન ૧૧૦] પ્રથમ ગુણવ્રત-દિગ્વિરતિ નાગપુરના રાજા નાગચંદ્રને રત્નમંજરી નામે એક રૂપવતી કન્યા છે. તેના એક રોમરાયના દર્શન કરવાથી પણ બે બ્રહ્મનો અનુભવ થાય છે અને તેનું દર્શન થવાથી બે કામદેવથી પૂર્ણ થવાય છે. તે કન્યાને તુલ્ય કોઈ બીજી કન્યા નથી. એ કન્યા તમારા કુમારને યોગ્ય છે, એવું ચિંતવી તેમણે મને વિશ્વાસુ જાણી તમારી પાસે પ્રાર્થના કરવા મોકલ્યો છે, માટે તેને વરવા સારુ તમારા કુમારને મારી સાથે મોકલો.' દૂતનાં આવાં વચન સાંભળી રાજાએ પોતાના પ્રિય મિત્ર સિંહને કહ્યું, “મિત્ર! આપણા બન્નેમાં કાંઈ પણ અંતર નથી, માટે કુમારને લઈને તમે નાગપુર જાઓ અને તેનો વિવાહ કરી આવો.” સિંહશ્રેષ્ઠીએ અનર્થદંડના ભયથી રાજાને કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં; એટલે રાજા જરા ક્રોઘ લાવીને બોલ્યો કે-“શું તમને આ સંબંધ રુચતો નથી?” શ્રેષ્ઠી બોલ્યો-“રાજેંદ્ર! મને રુચે છે, પણ મેં સો યોજન ઉપરાંત જવા-આવવાનો નિયમ લીધો છે અને અહીંથી નાગપુર સવાસો યોજન દૂર થાય છે; તેથી વ્રત ભંગ થવાના ભયથી હું ત્યાં જઈશ નહીં.” આ પ્રમાણે સાંભળતાં જ ઘી હોમવાથી અગ્નિની જેમ રાજાના કોપાગ્નિની જ્વાળા વિશેષ પ્રજ્વલિત થઈ, અને તે બોલ્યો કે–“અરે! શું તું મારી આજ્ઞા નહીં માને? તને ઊંટ ઉપર બેસાડી સહસ્ત્ર યોજન સુધી મોકલી દઈશ.” સિંહ અવસર પારખીને બોલ્યો-“સ્વામી! આ તો મેં મારા વ્રતની વાત જણાવી, પણ આપની આજ્ઞા કેમ ઉત્થાપાય? હું તમારી આજ્ઞા પ્રમાણે કરીશ.” તે સાંભળી તરત રાજા હર્ષ પામ્યો. પછી પોતાના પુત્રને સૈન્ય સાથે તૈયાર કરી અને સિંહ શ્રેષ્ઠીને સર્વ ક્રિયામાં આગેવાન ઠરાવી કુમાર સાથે રવાના કર્યો. માર્ગમાં સિંહે પ્રતિબોઘ આપીને ભીમકુમારની સંસારવાસના તોડી નાખી. સો યોજન ચાલ્યા પછી સિંહ શ્રેષ્ઠી આગળ ચાલ્યો નહીં, એટલે સૈનિકોએ એકાંતે કુમારને જણાવ્યું કે, “કુમાર! અમને રાજાએ ગુપ્તપણે આજ્ઞા કરી છે કે, જો સિંહશ્રેષ્ઠી સો યોજનથી આગળ ન ચાલે તો તમારે તેને બાંધીને નાગપુર લઈ જવો.' આ વિચાર કુમારે પોતાના ઘર્મગુરુને નિવેદન કર્યો. સિંહે રાજકુમારને કહ્યું, ‘કુમાર! આ અસાર સંસારમાં પ્રાણીને શરીર પણ પોતાનું થતું નથી તો બીજું કોઈ શેનું થાય? માટે હું તો અહીં પાદપોપગમ (વૃક્ષની જેમ સ્થિરતાવાળું) અનશન કરીશ. પછી તેઓ મને બાંધી લઈ જઈને શું કરશે?” આ પ્રમાણે કહીને સિંહશ્રેષ્ઠી સિંહની જેમ અનશન લેવા ચાલ્યો. કુમાર પણ તેની સાથે ગયો. એવામાં રાત્રિ પડી; સૈનિકોએ કુમારને અને સિંહને જોયા નહીં એટલે તેઓ ચારે તરફ તેમને શોઘવા લાગ્યા. એમ કરતાં થોડે દૂર આવેલા કોઈ પર્વત ઉપર તે બન્ને તેમના જોવામાં આવ્યા; પરંતુ દીક્ષા અને અનશન આદરી બેઠેલા તેમને જોઈ સૈનિકો પ્રણામ કરીને બોલ્યા કે-“હે મહાશયો! અમારો અપરાઘ ક્ષમા કરો. પણ હે સ્વામી! આ ખબર જાણી મહારાજા અમને ઘાણીમાં ઘાલીને પીલી નાંખશે.” આ પ્રમાણે તેમણે ઘણા કાલાવાલા કર્યા, તથાપિ તેઓ જરા પણ ક્ષોભ પામ્યા નહીં. કહ્યું છે કે, “સંતોષરૂપી અમૃત વડે તૃત થયેલા યોગી ભોગની ઇચ્છા કરતા નથી; કારણ કે તે તો માટી તથા સુવર્ણમાં અને શત્રુ તથા મિત્રમાં એક સરખી બુદ્ધિ રાખે છે.” અનુક્રમે આ ખબર કીર્તિપાળ રાજાના સાંભળવામાં આવી, તેથી તેને બહુ ક્રોઘ ચડ્યો. તેણે નિશ્ચય કર્યો કે, “કુમારને બાંધીને પરણાવવા અને સિંહને શત્રુની જેમ મારી નાખવો.” આવા વિચારથી રાજા તેમની પાસે આવ્યો, ત્યાં તો વ્યાધ્રાદિક પ્રાણીને તે બન્નેના ચરણની સેવા કરતાં જોઈ રાજા આશ્ચર્ય પામ્યો અને વિચાર્યું કે, “આ બન્નેને ભક્તિવચનોથી જ બોલાવવા.” આવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy