SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૮ એટલે કે ઘનને માટે જ્યારે સંતોષ થતો નથી ત્યારે તેથી થયેલી તૃષ્ણાની વૃદ્ધિ વડે ખેતી વગેરે અનેક પ્રકારના આરંભો કરે છે, સગા બંધુનો પણ વઘ કરવા તત્પર થાય છે અને તેવા આરંભ વડે સંસારની વૃદ્ધિ થાય છે, તેથી પરિગ્રહનો અવશ્ય નિયમ ગ્રહણ કરવો. આ વિષે બે ભાઈઓનો પ્રબંઘ છે તે આ પ્રમાણે સોમ અને શિવદત્તનો પ્રબંધ અવંતિ નગરીમાં સોમ અને શિવદત્ત નામે બે ભાઈ રહેતા હતા. તેઓ દ્રવ્ય મેળવવા માટે સૌરાષ્ટ્ર દેશમાં ગયા. ત્યાં અનેક જાતના અઘર્મ તથા કર્માદાનના વ્યાપારો કરીને તેમણે કેટલુંક દ્રવ્ય ઉપાર્જન કર્યું. પછી તે દ્રવ્યની વાંસળી કટીએ બાંઘી બન્ને ભાઈ પોતાના નગર તરફ ચાલ્યા. માર્ગમાં વારાફરતી વાંસળી પોતપોતાની કેડે બાંઘતા. તે જ્યારે મોટા ભાઈની કેડે હતી ત્યારે તેને વિચાર થયો કે, “જો હું આ અનુજ બંધુને મારી નાખું તો પછી મારી પાસે કોઈ ભાગ માગે નહીં.” આવા કુવિચારથી તે અનુજ બંદુને લઈને ગંઘવતી નદીને તીરે આવ્યો એટલે તેને વિચાર થયો કે, “અહો! આ ઘન કેવું અનર્થકારી છે કે જેથી મને આવો કુવિકલ્પ થયો! તેથી આનો ત્યાગ કરવો તે જ યોગ્ય છે.' આવું ઘારીને તેણે દ્રવ્યની વાંસળી નદીના ઘરામાં નાખી દીધી. અનુજ બંધુએ પૂછ્યુંભાઈ! આમ કેમ કર્યું?” ત્યારે તેણે પોતાનો માઠો અભિપ્રાય જણાવ્યો એટલે નાના ભાઈએ પણ કહ્યું- તે ઘણું સારું કર્યું કે જેથી મારી દુષ્ટ બુદ્ધિ પણ નાશ પામી.” પછી તેઓ પોતાને ઘરે આવ્યા. હવે પેલી દ્રવ્યની વાંસળી કોઈ મત્સ્ય ગળી ગયો. તે મત્સ્યને કોઈ માછીએ જાળમાં પકડ્યો. તે મત્સ્ય તે બન્નેની માતાએ વેચાતો લીઘો. માતાએ પોતાની પુત્રીને આપ્યો. મત્સ્યને વિદારતાં તેણે દ્રવ્યની વાંસળી દીઠી, એટલે તત્કાળ તેણે ખોળામાં ગોપવી દીધી. માતાએ પૂછ્યું, “ખોળામાં શું છે?” તેણે કહ્યું કે, “કાંઈ નથી.” પછી માતા શંકાને લીધે જેવી તે જોવા તેની પાસે આવી તેવો પુત્રીએ છરીનો ઘા કર્યો, તેથી તેની માતા ઘાયલ થઈને મૃત્યુ પામી. તેવામાં તેના બન્ને ભાઈઓ ઘરે આવ્યા. તેમણે બહેનના ખોળામાંથી પડતી પેલી દ્રવ્યની વાંસળી જોઈ, તેથી તત્કાળ વિચાર્યું કે, “અહો! દ્રવ્ય કેવું અનર્થદાયક છે!” પછી વૈરાગ્ય પામીને તેઓ ગુરુ પાસે ગયા. ત્યાં ગુરુના મુખથી આ પ્રમાણે વાણી સાંભળી–“આ જગતમાં તૃષ્ણારૂપી ખાણ એવી ઊંડી છે કે તે કોઈથી પૂરી શકાતી નથી, તેમાં મોટા મોટા પદાર્થો નાખીએ તો તેથી તે ઊલટી વઘારે ખોદાય છે. એટલે ઊંડી થતી જાય છે. તૃષ્ણાવાળો જીવ દ્રવ્ય પ્રાપ્ત કરવા માટે ઘણા પાપો કરે છે, પણ તેથી શું તેને કાંઈ પણ સુખ થાય છે? નથી થતું, કેમકે પાપદ્રવ્યથી શું સુખ હોય? વળી ઘર્મઋદ્ધિ, ભોગઋદ્ધિ અને પાપદ્ધિ એમ ત્રણ પ્રકારની ઋદ્ધિ કહેવાય છે. તેમાં ઘર્મત્રદ્ધિ તે કે જે ઘર્મકાર્યમાં ઉપયોગી થાય છે, ભોગઋદ્ધિ તે કે જે શરીરના ભાગમાં વપરાય છે અને પાપઋદ્ધિ તે કે જે ઘર્મકાર્યમાં વપરાતી નથી, તેમ શારીરિક ભોગમાં પણ વપરાતી નથી પણ માત્ર અનર્થરૂપ ફળને જ આપે છે. તેવી ઋદ્ધિ પૂર્વકૃત પાપના યોગે પ્રાપ્ત થાય છે અને પુનઃ પાપ કરાવે છે. તે ઉપર કોઈ એક નીચે પ્રમાણે દ્રષ્ટાંત છે તે સાંભળો વસંતપુરમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક અને સોની એ ચાર જ્ઞાતિના ચાર મિત્રો હતા. તેઓ દ્રવ્ય મેળવવા માટે દેશાંતર ચાલ્યા. માર્ગમાં રાત્રિ પડતાં એક ઉદ્યાનમાં વડવૃક્ષની નીચે તેઓએ વિશ્રાંતિ લીધી. ત્યાં તે વૃક્ષની શાખા સાથે લટકતો એક સુવર્ણપુરુષ તેઓના જોવામાં આવ્યો. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy